શિક્ષણ

રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારવામાં આવી, શિક્ષણ વિભાગે તમામ DEOને પરિપત્ર જાહેર કરી અમલ કરવા સૂચના આપી

Published

on

રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની મુદ્દતને લઈ શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મંડળ દ્વારા પ્રવાસી શિક્ષકોને શૌક્ષણિક સત્ર પુરૂ થાય ત્યાં સુધી રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં પ્રવાસી શિક્ષકો 31 માર્ચ સુધી જ ફાળવવામાં આવ્યા હતા.

 

ત્યારે આ મામલે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારી છે અને તમામ શિક્ષણાધિકારીઓને તેનો અમલ કરાવવા સૂચના આપવામાં આવી છે.

 

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં વાસી શિક્ષકો માત્ર 31 માર્ચ સુધી જ ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ 2021-22નું શૈક્ષણિક સત્ર હજુ મે મહિના સુધી ચાલે તેમ છે અને પ્રવાસી શિક્ષક ન હોય તો અનેક શાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી શકે છે.

Advertisement

જેને પગલે રાજ્ય શાળા સંચાલક મંડળે આ મામલે શિક્ષણ વિબાગને અનેક રજૂઆતો કરી હતી. જેને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારીને શૈક્ષણિક સત્ર પુરૂ થાય ત્યાં સુધી કરી દીધી છે. અને આ મામલે તમામ શિક્ષણાધિકારીઓને તેનો અમલ કરાવવા સૂચના આપવામાં આવી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version