ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલ શંકર ચૌધરીનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન કરાયું.
ગુજરાત વિધાનસભા સંકુલ મા વિધાનસભા સત્ર દરમિયાન શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાને મળીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે રજુઆત કરી હતી.
પ્રાથમિક વિભાગમાં તાલુકાના આંતરિક બોન્ડ, એચ.ટાટ સહિતના પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.તેઓએ આ તમામ પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં બેઠક બોલાવવામાં આવશે.સાથે સાથે તેઓ એ ઓનલાઇન બદલીના ઓર્ડર થઇ જવાની ખાતરી આપી હતી.
માધ્યમિક વિભાગમાં પાંચ વર્ષની સળંગ નોકરી ગણવાના કેમ્પમાં વિસંગતતા બાબતે રજૂઆત કરતા સમગ્ર રાજ્યમાં એક સાથે આ પ્રક્રિયા ઝડપી, પારદર્શક રીતે પૂર્ણ થાય તે અંગે દરેક જિલ્લામાં સૂચના આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી તથા એચ.મૅટ પ્રમાણપત્ર ઉમેદવારને ઝડપથી આપવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી.
આ ઉપરાંત . નાણાં વિભાગના સચિવ મિલિંદ તોરવણે એ આગામી એક થી દોઢ મહિનામાં ૨૦૦૫ પહેલાં ના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન નો ઠરાવ થશે તેવી ખાતરી આપી હતી.જ્યાં સુધી ઠરાવ ન થાય ત્યાં સુધી પ્રવર્તમાન નિયમ ના કારણે કુટુંબ પેન્શન નું ફોર્મ ભરવા માટે કહ્યું હતું.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી, પ્રાથમિક સંવર્ગ સહ સંગઠન મંત્રી પરેશભાઈ પટેલની ઉપસ્થિતિ રહ્યા હતા.