Connect with us

અમદાવાદ

આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !

Published

on

આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાયો ચઢાવી !

બહિષ્કારનો મુદ્દો જય પ્રકાશ પટેલ વર્સીસ દિનેશ ચૌધરી બન્યો !

શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇની બદલી અમદાવાદ મહાનગર પાલિકા કેમ કરાઇ !

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધે હવે એસ એસ સીની પરિક્ષાના મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે
જ્યારે બીજી તરફ આચાર્ય સંધે બહિષ્કાર પરત ખેચવાની જાહેરાત કરતા મામલો ગુચવાયો છે,જેથી હવે એસએસસીના પરિણામોમાં
વિલંબ થઇ શકે છે, જેની સીધી અસર પ્રવેશ પ્રક્રીયા પર થઇ શકે છે, આ ઘટના સાબિત કરે છે કે આચાર્ય સંધના પ્રમુખ જય પ્રકાશ પટેલ
ઉપર ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ મહામંડળને વિશ્વાસ રહ્યો નથી, જેથી બન્ને સંઘો હવે સામ સામે આવી ગયા છે,

ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ

Advertisement

જય પ્રકાશ પટેલે કહ્યુ શંકા કરવાની જરુર નથી

ગુજરાત રાજ્ય આચાર્ય સંધના પ્રમુખ જય પ્રકાશ પટેલે (મહિસાગર જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ) કેટલાક ગણ્યા ગાઠ્યા હોદ્દેદારો સાથે
શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીની મુલાકાત કરી,, અને ભાજપના કાર્યકર્તાની જેમ શિક્ષણ પ્રધાને જે આદેશ કર્યો તેને તેઓએ
નતમસ્તક શિસ ઝુકાવી સ્વીકારી લીધુ,, અને બહાર આવીને કહ્યુ કે બહિષ્કાર પરત ખેચ્યો છે,
આચાર્ય સંધોનો વિશ્વાસમાં લઇને પરત ખેચ્યોછે,
વિદ્યાર્થિઓના હિતમાં નિર્ણય લેવાયો છે,
અમે ફુટી ગયા નથી, કોઇને શંકા કરવાની જરુર નથી, પ્રશ્નોની રજુઆત કરી છે,સળંગ નોકરીનો ઇશ્યુ ઉકળતુ ચરુ જેવો છે,
શિક્ષણ પ્રધાન સાથે મિટીંગ કરી છે,, ઓપીએસ મુદ્દે આદોલન ચાલુ રહેશે
સંચાલકોના પ્રશ્નો, નોન ટીચીંગ સ્ટાફની સમસ્યા પણ નિવારણ લાવીશુ
શંકા કરવાની જરુર નથી,

બહિષ્કારનો મુદ્દો જય પ્રકાશ પટેલ વર્સીસ દિનેશ ચૌધરી બન્યો

દિનેશ ચૌધરી

દિનેશ ચૌધરી

જો કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ મહામંડળના પ્રમુખ દિનેશ ચૌધરીને જય પ્રકાશ પટેલ અને જીતુવાધાણીના ગઠબંધન
પર ભરોસો નથી,,કારણ કે જય પ્રકાશ પટેલ આચાર્ય સંધ ખભાનો ઉપયોગ કરીને ભાજપ અને સરકાર ઉપર દબાણ લાવીને
મહિસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવા માંગતા હોવાથી તેમના માટે આચાર્યો કે શિક્ષકો કરતા
પોતાની રાજકીય કારકીર્દી વધુ વ્હાલી છે અને એટલે જ તેઓ બહિષ્કારને પરત લઇ લીધો છે,,
દિનેશ ચૌધરીએ જણાવ્યુ છેકે આખા રાજ્યમાં જિલ્લા સ્તરે પ્રમુખ મહામંત્રીઓની બેઠક યોજાઇ હતી, જેમાં માર્ચ એપ્રિલ 2022માં
એસએસસી પરિક્ષાના મધ્યસ્થ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે, સાથે ફિક્સ પગારની પાચ વરસની નોકરીને
તમામ હેતુઓ માટે સળંગ ગણવામાં આવે તેવી માંગ કરાઇ છે,,સાથે તેઓએ તમામને અપિલ કરી છે કે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મધ્યસ્થ
મુલ્યાંકન કેન્દ્રોના સરકારી હુકમને સ્વિકાર્યો હોય તો પરત કરી પોતાની શાળામાં ફરજ બજાવવાની રહેશે જેને રાજ્યના તમામ
જિલ્લા અને શહેરી ઘટક સંઘો સંકલન સમિતિએ પણ સમર્થન આપ્યુ છે,,

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

Advertisement

આચાર્ય સંધ ઉપર માધ્યમિક શિક્ષક સંધને વિશ્વાસ રહ્યો નથી,

આમ હાલ તો આચાર્ય શિક્ષક સંધે ભલે સરકાર સાથે બેઠક કરીને કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયત્ન કર્યો હોય
પણ જે રીતે માધ્યમિક શિક્ષક સંધે જય પ્રકાશ પટેલે સામે બાંયો ચઢાવી છે, તેનાથી એસએસસીના પરિણામોમાં
વિલંબ થઇ શકે છે, તેમાં સૌથી મોટી વાત એ છેકે હવે માધ્યમિક શિક્ષક સંધને આચાર્ય સંધ અને ખાસ કરીને
જય પ્રકાશ પટેલ ઉપર વિશ્વાસ રહ્યો નથી, અને એટલે આચાર્ય સંધે ભલે બહિષ્કાર પરત ખેચ્યો હોય
પણ માધ્યમિક શિક્ષક સંધે બહિષ્કાર ચાલુ રાખ્યો છે,

Continue Reading
Advertisement
2 Comments

2 Comments

  1. અશોકભાઈ પટેલ

    April 7, 2022 at 10:43 pm

    આવા આચાર્ય સંઘ ના પ્રમુખશ્રી પાસે થી રાજીનામું લેવામાં આવે અથવા આપી દેવું જોઈએ જય પ્રકાશ ભાઈ કરતા બીજા દિગ્ગજ નેતા મહિસાગર જિલ્લામાં છે

  2. Pingback: AMC પર હવે પ્રધાનના ભાઇનો દબદબો - Panchat TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.