અમદાવાદ
જિનલની બચાવો જિંદગી

જિનલની બચાવો જિંદગી
એ ચારેક મહિનાની માંડ હતી.હતીય સાવ રુ ના પોલ જેવી પોચી પોચી. આંખોના પોપચા પણ હજુ પૂરા ખૂલ્યા ના હતા. ને એની મલમલ જેવી કોમળ ગુલાબી હથેળીઓ પણ નાનકડા શિશુની સતત બંધ હાલતમાં હોય એમ મૂઠીવાળેલી બંધ જ હતી. એની હસ્તરેખાઓ પણ પૂરી વિકસિત થઈ ના હતી કે જોઈ જાણતલ જોષીડો એના ભાગ્ય જોઈ શકે.
એક સવારે એની મમતાળુ મમ્મી ‘ને સેવાભાવી પપ્પા અને મા જેવું જ વહાલ વેરતા મામા એને લઈને રાજકોટ ઉપડયા. ને એય તે વળી મોપેડમાં. ત્રણ જણાની સવારી લઈ મોપેડ તો ઉપડયું. એની મમ્મી એને ગોદમાં ઢબુરી પ્રેમાળ પતિની પાછળ બેઠી,ને મમ્મી પાછળ નાનકડા મામા પણ બેઠા, વાંકાનેર વટી ગયા ને કુવાડવા તરફનો રસ્તો પસાર કરતા હતા, ને શું થયું કે એ માસુમ ફૂલપરીના પપ્પાએ મોપેડ પરથી કાબુ ગુમાવ્યો. ને એ સીધા જ મોપેડ સહિત રસ્તા પરના માઈલસ્ટોન સાથે ટકરાયા. એ માસુમ પરીની માતા કે મામાને ઉની આંચ ના આવી, કે ના એ ફૂલ શી કળીને જરા અમથી ખરોચ પણ આવી. પણ ભયંકર ખરોચ તો બંને મા દીકરી પર ઉપરવાળાએ નાખી, ને તત્ક્ષણ ને નાનકડી ફૂલપરીના પપ્પાનું પ્રાણપંખેરુ ઉડી ગયું.
હા હું વાત કરી રહી છું વાંકાનેરની તેજસ્વી દીકરી જીનલની .જીનલની માતા પર આભ તૂટી પડયું. પતિ બળદેવભાઈ ખૂબ પ્રેમાળ હતા. જીનલની માતા ગોદાવરીબેનને ખૂબ સાચવતા.બંને પતિ પત્ની વચ્ચે અઢળક પ્રેમ. જીનલના પપ્પા બીજા લોકો તરફ પણ એટલા જ પ્રેમાળ. સેવાભાવી એવા કે અરધી રાતે કોઈને જરુર પડે કે તરત જ દોડયા જાય. પોતે બ્લડ બેંકમાં નોકરી કરતા હતા, ને આપણી આ કથાની રાજકુમારીના મમ્મી આંગણવાડી માં વર્કર. પગારમાં તો શું હોય? પેલા માઈલસ્ટોન સાથે બળદેવભાઈનું માથું ટકરાયું ને મા દીકરીના જીવનમાંથી કાયમને માટે દૂર થઈ ગયા.
સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ
હા હું વાત કરી રહી છું
ગઈકાલે મેં જે જીનલના ફોટા મૂકીને મદદ માટે ની લીંક શેર કરી છે એ જીનલની. જીનલે તો પિતાનું મોઢુ પણ જોયુ કે ઓળખ્યુ ન હતું એવડી એની ઉંમર હતી.ચારેક માસની જીનલ અને એની મમ્મીના જીવનમાં પેલા માઈલસ્ટોને સંપૂર્ણ અંધકાર પાથરી દીધો હતો.
આ વસમા આઘાતની કળ વળતા જીનલના મમ્મીને બહુ સમય લાગ્યો.પતિ એટલો પ્રેમાળ હતો કે એની ખોટ બીજો કોઈ જ પુરુષ કદી પૂરી કરી શકે એમ ના હતો. ને પતિના પ્રેમની નિશાની ચારેક માસની જીનલ ગોદાવરીબેનના ખોળામાં હતી. જીનલના મમ્મીએ મન કાઠું કરી દીકરી માટે જીવવા ઝઝૂમવા હિંમત એકઠી કરી લીધી. હવે એકલા હાથે જીવી જીનલને ઉછેરવાની હતી. પતિ ખોયો, પણ નાના નાનીની હૂંફાળી છાંયા, માયા જીનલ અને એના મમ્મીને જીવનભર મળ્યા. પણ દીકરીની માથેથી છીનવાયેલું પિતાનું છત્ર ,ને ગોદાવરી બહેનનો પતિનો છૂટી ગયેલો સાથ કોઈ ભરપાય કરી શકે એમ ન હતું. આંગણવાડી ની નાની એવી નોકરી કરતા કરતા સતિ સમા ગોદાવરી બહેને જીનલને પેટો પાટા બાંધી ભણાવી. દીકરીની જન્મવેળા એજ બળદેવભાઈએ રાજી થઈ ગોદાવરી બહેનને કહેલું,” આપણે આપણી જીનલને ડૉક્ટર બનાવીશું.”
આ સપનું સેવનાર પિતા તો કુદરતના ધામમાં ગયા હતા..હવે એ સપનું પુરુ કરવા જીનલની માતાએ કમર કસી હતી.ને જીનલ હતી પણ તેજસ્વી.ધો.12 સાયન્સ રાજકોટની અક્ષર સ્કુલમાં પૂરુ કર્યુ.ડૉકટર બનવામાં થોડાક જ માર્કસ ખૂટયા ને રાજકોટના આત્મીય એજ્યુકેશન વાળા ચિરાગભાઈએ હેલ્પ કરીને ફિલિપાઇન્સ મોકલી.ત્યાં એક વરસ મેડિકલનું પુરુ થયું ના થયું ત્યાં જીનલ અને એની માતાને કુદરતે બીજો કારમો ફટકો એ આપ્યો કે જીનલના હદય અને ફેફસા બંને કામ કરવાનો નનૈયો ભણવા લાગ્યા. ફિલિપાઈન્સમાં જ ચેકઅપ થયું જે થથરાવી મૂકે તેવું હતું. અંતે અભ્યાસ અધુરો છોડી અંધકાર ઓઢી જીનલ વાંકાનેર પરત ફરી. વારંવારની મેડિકલ તપાસને અંતે દરેક ડૉકટરોએ એક જ ઈલાજ કહયો, જીનલને બચાવવી હશે તો હાર્ટ ને ફેફસા બંને બદલવા પડશે. ઓપરેશનનો ખર્ચ સાંભળી જીનલની માતાની આંખે અંધારા આવી ગયા. 35 લાખ ખાલી ઓપરેશનના હતા. આટલા રુપિયા લાવવા કયાંથી? જીનલની માતાએ મન મકકમ કરી જયાં શકય લાગ્યુ ત્યાં મદદ માટે ધા નાખી. ગુજરાત સરકાર શ્રીમાં પણ રજુઆત કરી. સરકાર તરફથી દસ લાખની સહાય મળે છે. બાકીના પચ્ચીસ લાખ કયાંથી લાવવા? પતિના અકસ્માતે અવસાન પછી ગોદાવરી બેનનું જીવન જ જીનલ હતી.કુદરતને ગોદાવરીબેનનું એ સુખ પણ જાણે કે મંજૂર ન હતું.રુપાળી પરી જેવી મીઠડી જીનલ છેલ્લા બે વરસમાં તદન સુકાઈ ગઈ છે.એને અમુક દવાઓ ને ડૉકટરની સુચના મુજબના ખોરાકથી ગોદાવરી બેન જીવાડી રહયા છે. વાંકાનેરના અમુક સેવાભાવી લોકોએ ફૂલ નહી તો ફુલની પાંદડી ની મદદ આપી છે. પણ મિત્રો જલ્દી પચીસ લાખ એકઠા થાય તો જ જીનલનું ઓપરેશન શક્ય બનશે ને ઓપરેશન થશે તો જ જીનલને નવ જીવન મળશે. ગોદાવરી છેલ્લા બે વરસમાં બાંસઠ વરસના હોય એવા બની ગયા છે. દીકરીની ચિંતા પીડાએ ગોદાવરી બેનના ચહેરાને સુકવી નાખ્યો છે, પણ મન મકકમ કરી એ હિંમતપૂર્વક લડી રહયા છે. મિત્રો હું ગોદાવરી બહેનને બહુ નજીકથી જાણુ છું .આંગણવાડી ની નોકરીનો ટૂંકો પગાર તો જીનલની દવા ને અમુક પ્રકારના જ ખોરાક ને ફ્રુટસ, ચેકઅપ માટે અમદાવાદના ભાડાભથ્થામાં જ ઓહિયા થઈ જાય છે.
જીનલને જીવવું છે, ને આપણે બધા તેને થોડી થોડી હેલ્પ કરીશું તો જીનલ જીવી જશે. મિત્રો તમને બધાને હું બે હાથ જોડી વિનંતી કરુ છું કે આપણે બધા જ શક્ય એટલી જીનલને હેલ્પ કરીએ. સાથે હું ફરીથી આ લીંક શેર કરુ છું.
મને ભરપૂર શ્રધ્ધા છે કે જીનલના ઓપરેશન માટે ખૂટતી રકમ પચ્ચીસ લાખ આપ સૌની સહાયથી વહેલી તકે મળી જશે…
જીનલ માટે પરિવારે લંબાવેલ મદદનો હાથ ખાલી નહીં જાય…
આભાર સહ…..
આ લીંક વધુમાં વધુ શેર કરી આ ગરીબ બાળકી જીનલ બળદેવભાઈ ચાવડા (રહે. વાંકાનેર, જી.મોરબી) ને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ માટે મદદ કરવા વિનંતી છે, જેને ફેફસાં અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કુલ 35 લાખ ખર્ચ થનાર છે.
બાળકી ખુબ ગરીબ પરિવાર માં થી આવે છે અને વિધવા માતા ની દીકરી છે, તેના માતા આંગણવાડી વર્કર છે. દીકરી ભણવામાં ખુબ હોશિયાર છે, તેને મેડિકલ માં એડમીશન પણ મળ્યું હતું પરંતુ હાર્ટ અને ફેફસાં ની ગંભીર બીમારી થતાં 3 વર્ષ થી પથારીવશ છે.
આ બાળકી ની સારવાર સોલા, અમદાવાદ શહેરની CIMS હોસ્પિટલ માં ડૉ.ધવલ નાયક ની દેખરેખ હેઠળ ચાલે છે, અને બાળકી ના ટ્રાન્સપ્લાન્ટ ખર્ચ એકઠો કરવા અને બાળકી ને સાજી કરવા CIMS હોસ્પિટલ, ઇમ્પેક્ટ ગુરૂ સંસ્થા અને અગ્રણી સામાજિક આગેવાન અરવિંદ કતપરા વગેરે એ બીડું ઉઠાવ્યું છે. જીનલ ના કેસ ને લઇ ને જ ભાજપ ગુજરાત પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રી અરવિંદ કતપરા અને CIMS હોસ્પિટલના ડૉ.ધવલ નાયક ની અસરકારક રજૂઆત ને પગલે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા હાર્ટ અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ માટે ચોક્કસ નીતિ બનાવી સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ, જીનલ ની CM ફંડ માં થી સહાય મેળવવાની અરજી ટેકનિકલ કારણોસર અગાઉ રદ કરવામાં આવી હતી જે અરવિંદ કતપરા એ તાત્કાલિક ત્યાર ના CM વિજયભાઈ રૂપાણી ને રૂબરૂ મળી પુનઃ મંજૂર કરાવેલ.
Only A Lung And Heart Transplant Can Save My 21 Y/O Niece Jinal
Arvind Kumar m katapara wants to raise funds to help his Jinal Baldevbhai Chavada to undergo heart and lung transplant. Your donation can guide them to reach their fund goals. Please help.
Read More: http://impactguru.com/s/yQclY5
Donate Here: http://impactguru.com/s/Am4UGW
NEFT / IMPS / RTGS
(Transfers to this account number would be allowed from Banks in India only)
===========================
Account number: 2223330003386337
Account name: Jinal Baldevbhai Chavada
IFSC code: RATN0VAAPIS
Bank Name: RBL Bank
===========================
————————————-
UPI Handle:
assist.jinal10@icici
Pay via GooglePay / PhonePe / UPI (Android Only): http://impactguru.com/s/ok10dn
————————————-
Donations via ICICI UPI and RBL Bank Transfers are safe with ImpactGuru.
Indian tax benefits available
#ImpactGuru
#CIMS #Hospital
#drdhavalnayak
#Jinal #Jeenal
#Heart #Lung #transplant
gitaben vankar 9408787600
બહુચરાજી ટ્રસ્ટ માં નિમણુંક કરતા ભાજપ ના નેતાઓ માં કહી ખુશી કહી ગમ
સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ
ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ