Connect with us

અમદાવાદ

ભાજપના કયા નેતાઓ વિરુધ્ધ નોધાયો બળાત્કારનો કેસ !

Published

on

ભાજપના કયા નેતાઓ વિરુધ્ધ નોધાયો બળાત્કારનો કેસ !

ગુજરાત ભાજપના સીનિયર ધારાસભ્યને અને પુર્વ પ્રધાન ગજેન્દ્ર સિહ પરમાર સામે અને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમિચંદ પટેલ સામે બળાત્કારની ફરિયાદ રાજસ્થાનમાં નોધાઇ છે, પરિણામે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે,આ ફરિયાદ ચાર લોકો વિરુધ્ધ પોસ્કોની નોધાઇ છે,
https://youtu.be/odvhHi6R2T8

ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને હાલના પ્રાંતિજ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં સગીરાની છેડતી બદલ પોક્સોનો ગુનો નોંધાયો છે. તેમની સાથે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત કુલ 4 લોકો સામે સગીરાની છેડતીની ફરિયાદ નોંધાઈ છે. રાજસ્થાનમાં ગુજરાતના નેતાઓ સામેના પોક્સોના કેસથી રાજકીય વાતાવરણમાં ભારે ખળભળાટ મચ્યો છે. રાજસ્થાનના આબૂ રોડ પોલીસ સ્ટેશનમાં 20મી જાન્યુઆરીએ આ ગુનો નોંધાયો છે.

https://youtu.be/4An8sLssK5I

પીડીતાએ પંચાત ટીવીને સંભળાવી આપવીતી-
પીડીતાએ જણાવ્યુ હતુ કેં  ગજેન્દ્રસિંહ સાથે વિધાનસભાના પ્રવાસ દરમિયાન  મુલાકાત થઈ હતી . ત્યારબાદ અમે નિયમિત MLA ક્વાર્ટરમાં મળતાં હતાં એમની સાથે. એમણે મને પત્ની તરીકે રાખવાનો વચન આપીને મારી સાથે ફિઝીકલ રિલેશન પણ બાંધ્યા હતા. 2020માં જેસલમેર જવાનું હોવાથી મારી દીકરીને લઈને હું એમની સાથે જેસલમેર જવા નીકળી હતી  ત્યારે મને વોમેટ થતી હતી, એટલે ગાડી હિલક્રિસ્ટ હોટલ પાસે ઊભી રાખી હતી. ત્યારે તેઓએ મારી દીકરીને આઈસક્રીમ ખાવાના બહાને લઈ ગયા હતા અને મારી દીકરી જોડે શારીરિક અડપલાં, તેમજ જબરજસ્તી કરવાની કોશિષ કરી હતી. ત્યારબાદ મારી દીકરી પરત આવી ત્યારે મારી દીકરીએ મને જાણ કરી. તો મારી દીકરીએ એવું કહ્યું કે, મમ્મી આપણે ઘરે જતાં રહીએ, તે રડવા લાગી હતી. મને એમ કે તેને કંઈક થયું હશે. મેં બહુ પૂછવાની કોશિષ કરી, પણ એણે કંઈ જણાવ્યું નહીં. ત્યારબાદ એપ્રિલમાં-માર્ચમાં મેં પોઈઝન પીધું હતું, આ લોકોના ત્રાસથી. કારણ કે, આ લોકો મને હેરેસમેન્ટ કરતા હતા અને મને ધમકીઓ મળતી હતી કે, મારી દીકરી બાબતે કોઈને જાણ કરવી નહીં. તો મેં કંટાળીને જ્યારે પોઈઝન પીધું. ત્યારે એ લોકોએ મને એમ કહ્યું, કે તમે જો મારી દીકરી બાબતે કોઈની પણ સાથે ચર્ચા કરશો તો અમે તમારી પર કાયદાકીય કેસ પણ કરાવીશું અને તમને ફસાવી પણ દઈશું અને તમને મારી પણ નાખીશું. ત્યારે મારી દીકરીએ મને કહી દીધું કે, મમ્મી, મારી સાથે પણ આવો બનાવ બન્યો છે. આ લોકોએ મારી જોડે શારીરિક છેડછાડ પણ કરી હતી અને જબરજસ્તી કરવાની કોશિષ કરી હતી. ત્યારબાદ હું સદર પોલીસ સ્ટેશન આવી અને ત્યાં મેં એક અરજી આપી પણ પોલીસ કોઈ તપાસમાં ખબર નઈ એમણે શું કર્યુ અને એમાં કંઈ અમને સફળતા મળી નહીં. ત્યારબાદ અમે સિરોહી કોર્ટમાં એક એપ્લિકેશન નાખી અને કોર્ટે અમને સાચા છે તેવું માની અને પોલીસ તપાસ ખોટી છે તેવું માનીને આમાં પોક્સોનો ઓર્ડર કર્યો છે .

રાજ્ય સરકારના પ્રધાનનો મહિલા સાથે કથિત વાયરલ ઓડિયોથી હંગામો !

આરોપીઓઃ1.ગજેન્દ્રસિંહ પરમાર (નિવાસી- વક્તાપુર,તલોદ, સાબરકાંઠા) 2.મહેશ પટેલ (નિવાસી, શ્યામ વિલાસ સોસાયટી, ગ્રીન પાર્ક મહાવીરનગર, હિંમતનગર, ગુજરાત) 3.બે અન્ય વ્યક્તિ

(સમગ્ર ઘટના 10.11.2020ની છે)

Advertisement

ફરિયાદી આરોપી ગજેન્દ્રસિંહ પરમાર (નિવાસી- વક્તાપુર,તલોદ, સાબરકાંઠા)ને ઘણા સમયથી જાણે છે. તેની સાથેના અન્ય બે આરોપીમાંથી એક આરોપી કે જેનું નામ ગણપત છે, તેને પણ ચહેરાથી ઓળખે છે.

ફરિયાદી મહિલા અને તેમની પુત્રી કે જે સગીરા છે, તેઓ આરોપી ગજેન્દ્રસિંહની ગાડીમાં ફરવા માટે જેસલમેર જઈ રહ્યા હતા. રાતના લગભગ 12 કલાકે હિલક્રિસ્ટ હોટલ પાસે,દાનવાવ, આબુ રોડ સામે ફરિયાદીનો જીવ ગભરાવવા લાગ્યો અને તે ગાડીની બહાર આવી ગઈ અને ઘણા સમય સુધી બહાર જ બેઠી રહી. ફરિયાદીને ઉલટી થવા લાગી અને ત્યારબાદ ફરિયાદી જ્યારે ગાડીમાં પાછી બેસવા ગઈ ત્યારે તેની પુત્રી ગાડીમાંથી બહાર આવીને રડવા લાગી. તેમણે પુત્રીને રડવાનું કારણ પૂછ્યું તો તેણીએ કહ્યું કે મારે આ લોકોની સાથે નથી જવું અને કહ્યું આપણે ઘરે જઈએ. આ વાતને લઈ ફરિયાદીએ ગજેન્દ્રસિંહ સાથે ઝઘડો કર્યો. પછી ફરિયાદી અને તેની પુત્રી ફરવા ના ગઈ અને પોતાના ઘરે અમદાવાદ ચાલ્યા ગયા.

ફરિયાદીએ એક વર્ષ બાદ ગજેન્દ્રસિંહ વિરુદ્ધ અમદાવાદમાં કેસ કર્યો. જેથી ગજેન્દ્રસિંહે ઘણા પ્રકારના દબાણો ફરિયાદી પર બનાવ્યા છે. ત્યારે ફરિયાદીએ તેનાથી હેરાન થઈ તારીખ 5-3-2022 એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે ફરિયાદીની પુત્રીએ તારીખ 10-11-2020એ તળેટીમાં આરોપી ગજેન્દ્રસિંહ અને અન્ય બે લોકો દ્વારા તેની સાથે છેડતી થઈ અને ગજેન્દ્રસિંહ દ્વારા ફરિયાદીને સ્તન અને જાંગ પર હાથ ફેરવ્યો અને જબરદસ્તી કરવાની સમગ્ર ઘટના વર્ણવી હતી. આ પ્રકારે આરોપી ગજેન્દ્રસિંહ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા ફરિયાદીની સગીર પુત્રીની સાથે તારીખ 10.11.2020એ છેડતી કરી જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો છે. ફરિયાદીએ ઉપરોક્ત ઘટનાની ફરિયાદ કરવાનું વિચાર્યુ પણ આરોપી ગજેન્દ્રસિંહ રાજનીતિમાં સારી પકડ ઘરાવે છે અને તેનું મોટા લોકો સાથે ઊઠવા બેસવાનું પણ છે. જેથી ફરિયાદી મહિલાની કોઈ ફરિયાદ કરવાની હિંમત ના થઈ. ફરિયાદીને આરોપી નં.2 મહેશભાઈ પટેલ ફરિયાદીના ઘરે આવીને ધમકાવતો પણ હતો અને કહેતો કે આબુરોડની ઘટના વિશે તે અથવા તારી પુત્રીએ કોઈ ફરિયાદ કરી તો બંનેને જાનથી મારી નાંખીશ. તમે અમારુ કાંઈ બગાડી નહી શકો. અમારી રાજનીતિમાં સારી પકડ છે. આમ પણ પોલીસ અમારુ કાંઈ નહી બગાડી શકે. આ ઉપરાંત આરોપી મહેશ પટેલ દ્વારા ફરિયાદીની પુત્રી સાથે ઘણીવાર છેડતી કરવામાં આવી જેથી ફરિયાદી આ લોકોથી ઘણી ડરી ગઈ હતી.

આ ઉપરાંત પણ ફરિયાદી અને તેની સગીર પુત્રીએ હિંમત રાખી આબુરોડ પોલીસ સ્ટેશનમાં તારીખ 26.05.2022એ ફરિયાદ આપી. પરંતુ તે ફરિયાદ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ.

આ સંદર્ભમાં ફરિયાદી દ્વારા તારીખ 11.10.2022એ લેખિત ફરિયાદ રજીસ્ટર્ડ એડીથી આબૂ રોડ પોલીસ અધિકારીને મોકલી હતી અને તારીખ 12.10.22 એ જ મળી હતી. એક ફરિયાદ સિરોહીના પોલીસ અધિક્ષકને મોકલી હતી. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ દ્વારા ફરિયાદીને બોલાવી તેના કોઈ નિવેદન પણ લેવામાં આવ્યા નથી.

ફરિયાદની સુનાવણી અને ક્ષેત્રાધિકાર ન્યાયાલય હેઠળ છે.

આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 8-જાતીય ગુનાઓથી બાળકોનું સંરક્ષણ અધિનિયમ 354. 354A, 365,506,384 / 34 ઉપરાંત પોક્સો એક્ટની 7/8 કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

 

ગુજરાતના મોટા  કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ !

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.