Connect with us

અમદાવાદ

રધુ શર્માની થઇ શકે છે વિદાય-તેમના સ્થાને મુકુલ વાસનિક બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી

Published

on

રધુ શર્માની થઇ શકે છે વિદાય-તેમના સ્થાને મુકુલ વાસનિક બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી

માણસામાં ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારનો પડશે મેળ !

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા ગુજરાતમાં નિષ્ફળ જતા હવે તેમની વિદાય પાકી માનવામાં આવી રહી છે, સુત્રોની માનીએ તો ગુજરાતમાં રધુશર્મા કઇ ખાસ ઉકાળી શક્યા નહી,,
ઉલ્ટા તેમના આવવાથી કોંગ્રેસમાં જુથ બંધી વધુ મજબુત થઇ,,અને કોંગ્રેસના સારા નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા છે,,જેનાથી નારાજ હાઇકમાન્ડ એટલે કે રાહુલ ગાંધીએ
તેમના સ્થાને મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોપાવાનો નિર્યણ કર્યો છે,

દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસનો હવાલો રાજસ્થાનના મુખ્ય પ્રધાનના ખાસ ગણાતા એવા રધુ શર્માને સોપી દેવાયો હતો,,તેઓએ પણ ગુજરાતમાં કોંગ્રેસને જુથવાદમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો
પણ જે રીતે અનેક ધારાસભ્યો,,હાર્દીક પટેલ, દિનેશ શર્મા સહિતના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમા જતા રહ્યા તેનાથી કોંગ્રેસને ચૂંટણી સમયે અનેક પ્રકારના ઝાટકા લાગતા રહ્યા,,તે સિવાય ભરત સિહ સોલંકીનો રાશ લીલા કાંડ બાદ
તેમને પણ રાજનિતિમાંથી બ્રેક લેવાની ફરજ પડી છે,, આવી અનેક ઘટનાઓએ સાબિત કર્યો કે રધુ શર્મા ગુજરાતમાં પ્રભારી તરીકે નિષ્ફળ રહ્યા, અને ચૂટણી પક્ષને એક જુટ ન રાખી શકે તેવા સંજોગોમાં રધુ શર્માને રાહુલ ગાંધીએ
પરત રાજસ્થાન મોકલવાનો નિર્યણ કર્યો છે,અને તેમના સ્થાને મહારાષ્ટ્રના મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી નિમવાનો નિર્યણ થઇ શકે છે, બીજી તરફ એવુ પણ કહેવાઇ રહ્યુ છે કે રાજસ્થાનમાં હવે સચીન પાયલોટ ગ્રુપ મજબુત બની રહ્યુ છે, પરિણામે હવે અશોક ગહેલોતને રઘુ શર્માની જરુરિયાત મહારાષ્ટ્રમાં છે, પરિણામે તેમને પરત રાજસ્થાન બોલાવાયા છે,

Advertisement

કોણ છે મુકુલ વાસનિક

મુકુલ વાસનિકને દિલ્હીમાં મહારાષ્ટ્રના એક ‘દલિત ચહેરા’ તરીકે ઓળખવામાં આવે છે.

યુવા સંસદસભ્ય રહેલા મુકુલ વાસનિક કેન્દ્રીય મંત્રીમંડળમાં રહ્યા છે અને હાલમાં તેઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ છે.

મુકુલ વાસનિકને રાજકીય વારસો પરિવારમાંથી મળ્યો, તેમના પિતા બાળકૃષ્ણ વાસનિક ત્રણ ટર્મ સુધી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેઓ કૉંગ્રેસના વગદાર નેતા મનાતા હતા.

બુલડાણા લોકસભા બેઠક 2009 પહેલાં અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક હતી.

Advertisement

જ્યારે વિદર્ભમાં કૉંગ્રેસનું એકહથ્થું શાસન હતું, ત્યારે બાળકૃષ્ણ વાસનિકે બુલડાણા બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી.

એ પછી બુલડાણા બેઠકથી ઉમેદવારી કરવાની તક બાળકૃષ્ણ વાસનિકના પુત્ર મુકુલ વાસનિકને મળી.

પચીસ વર્ષની વયે તેઓ 1984માં ચૂંટાઈને લોકસભામાં ગયા, તે લોકસભામાં તેઓ સૌથી યુવાન સભ્ય હતા.

સંસદ સભ્ય બન્યા એ પછી મુકુલ વાસનિકને એક પછી એક જવાબદારીઓ સોંપવામાં આવી.

1985માં વાસનિકને કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

Advertisement

1991માં ફરીથી તેઓ લોકસભામાં ચૂંટાયા અને એ સાથે જ તેમની મંત્રીપદ મળ્યું. 34 વર્ષની વયે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા.

પી. વી. નરસિમ્હારાવના મંત્રીમંડમાં વાસનિકને 1993માં માનવસંસાધન મંત્રીનું પદ મળ્યું.

2009માં મુકુલ વાસનિક રામટેક બેઠકથી જીત્યા અને કેન્દ્રીય કૅબિનેટમાં તેમને મંત્રીપદ મળ્યું.

મનમોહન સિંઘની સરકાર વખતે મંત્રીમંડળમાં વાસનિકને કેન્દ્રીય સમાજિક ન્યાયમંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી.

2009માં તેમને કૉંગ્રેસના મહાસચિવનું પદ મળ્યું અને આજ સુધી તે આ પદ પર છે.

Advertisement

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે 60 વર્ષની ઉંમરે લગ્નગ્રંથીથી જોડાઇને નવા જીવનની શરુઆત કરી હતી. સૂત્રોની જાણકારી મુજબ વાસનિકે દિલ્હી ખાતે ફાઇવસ્ટાર હોટલમાં રવીના ખુરાના સાથે લગ્ન કર્યા હતા કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક અને રવીના ઘણા જૂના મિત્ર હતા અને તાજેતરમાં લગ્નગ્રંથીથી જોડાવોના નિર્ણય લીધો હતો. રવીના ખુરાના એક ખાનગી કંપનીમાં ઉચ્ચપદ ધરાવે છે.

ઠંડા પીણાની બોટલ ચકાસીને લેજો-દુકાનદારને થયો કડવો અનુભવ !


આમ હાલ તો જે રીતે ગુજરાતમાં કોંગ્રેસની હાલત બિચારી બાપડી છે,તેની સામે અનેક પડકારો છે, એક તરફ તો તેને સંગઠન બચાવવા અને તેમાં જીત માટે જોશ ભરવાનો પડકાર છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી સામે પણ તેને
મોર્ચો માંડવાનો છે, કારણ કે ભાજપ સામે હાલ કોંગ્રેસનો કોઇ મુકાબલો નથી, જેથી હવે મુકુલ વાસનિક સામે પણ ગુજરાત કોંગ્રેસને એક જુથ કરીને ચૂટણી લડાવવાનો પણ મોટો પડકાર હશે,

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.