અમદાવાદ
ગ્રાન્ટેડ કોલેજો માં કાર્યરત અધ્યાપક સહાયકો ની સેવા સળંગ ગણવા માં આવે પ્રો.રાજેન્દ્ર જાદવ
ગ્રાન્ટેડ કોલેજો માં કાર્યરત અધ્યાપક સહાયકો ની સેવા સળંગ ગણવા માં આવે પ્રો.રાજેન્દ્ર જાદવ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2006 પહેલા ફિક્સ પગાર ની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને સેવા સળંગ કરવાનો નિર્ણય ખૂબ આવકારદાયક છે. પરંતુ રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યની ગ્રાન્ટઇન એડ કોલેજોમાં જોડાયેલા તમામ અધ્યાપક સહાયકોને બાકાત રાખવામાં આવ્યા છે જે અન્યાયકર્તા છે.એમ ગુજરાત રાજય અધ્યાપક મહામંડળ ના મહામંત્રી પ્રોફેસર રાજેન્દ્ર જાદવે કહ્યું હતું.તેમણે વધુમાં કહ્યું હતું કે
રાજયની કોલેજોમાં આધ્યાપકની નોકરી માટે નેટ /સ્લેટ અને પીએચડી જેવી ઉચ્ચ લાયકાત ફરજિયાત હોય છે આ લાયકાત મેળવવા માટે ઉમેદવારને લાંબો સમય અભ્યાસ કરવો પડતો હોય છે અને પછી તે અધ્યાપકની નોકરી મેળવતો હોય છે. આ નોકરી ના શરૂઆતના પાંચ વર્ષ ફિક્સ પગારમાં પસાર કરવા પડે છે.. ત્યારબાદ તેમને ફુલ પગારમાં મૂકવામાં આવતા હોય છે.. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા જ્યારે 2006 પહેલાના તમામ કર્મચારીઓને ફિક્સ પગારની સેવા સળંગ કરવામાં આવતી હોય ત્યારે આ પ્રકારના ઉચ્ચ લાયકાત ધરાવતા અધ્યાપક સહાયકોની સેવા સળંગ કરવી જોઈએ..
ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા રાજ્યની 356 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યરત અધ્યાપક સહાયકોની સેવા સળંગ કરવામાં આવે તે માટે રાજ્ય સરકારને રજૂઆત કરશે
સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ
પ્રધાન ગજેન્દ્ર સિહ પરમારનો ઘડો લાડવો થશે ! ભાજપે મન બનાવ્યું
ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતીમાં ક્યાં સામે આવી જુથ બંધી !
કોંગ્રેસના સિનિયર સિટીઝનની જોડી શુ ભાજપને ફાયદો કરાવશે કે માથે પડશે,કોંગ્રેસમાં ચર્ચા