Connect with us

અમદાવાદ

બાપુનગર વિધાનસભા સીટ માટે ભાજપમાં શરુ થયુ શક્તિ પ્રદર્શન

Published

on

બાપુનગર વિધાનસભા સીટ માટે ભાજપમાં શરુ થયુ શક્તિ પ્રદર્શન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે ભાજપ દ્વારા આગામી સમયમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા હાથ ધરાશે, એવા સમયે ભાજપમાં દાવેદારો દ્વારા વિવિધ પ્રસંગોના નામે શક્તિપ્રદર્શન શરુ કરી દેવાયું છે, વાત જો અમદાવાદના બાપુનગર વિધાનસભાની કરીએ તો અહીસંઘ સાથે જોડયેલા અને ગુજરાત આયુર્વેદીક બોર્ડના ચેરમેન ડો હસમુખ સોનીએ પોતાના પિતા સંઘના સ્વય સેવક એવા જીવરાજ ભાઇ સોનીની સાકર તુલા કાર્યક્રમ ઉજવીને પોતાના વિરોધીઓ દોડતા કરી દીધા,,આ બેઠક ઉપર ઓરીજીનલ ભાજપ અને કોંગ્રેસ યુક્ત ભાજપના નેતાઓ વચ્ચે ટિકીટ માટે આંતરિક ખેચતાણ તેજ બની છે,

વર્ષ 2012માં બાપુનગર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી,અને ભાજપે પુર્વ ડેપ્યુટી મેયર અને સૈજપુર વોર્ડના પુર્વ કોર્પોરેટર જગરુપ સિહ રાજપુતને મૈદાનમાં ઉતાર્યા હતા, અને તેઓ કોંગ્રેસના ઉમેદવારને ધીરુ ભાઇ દુધવાલાને હરાવ્યા, વર્ષ 2017માં ભાજપે તેમને ફરી ટીકીટ આપી,જો કે તેઓ અમદાવાદના પુર્વ મેયર હિમ્મત સિહ  પટેલે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હરાવ્યા હતા, હવે 2022માં વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિમ્મત સિહ પટેલ ફાઇનલ છે, જ્યારે ભાજપમાં અનેક મુરતિયા પોતાનુ કિસ્મત આજમાવવા માટે જાત ભાતના નુસ્ખા અપનાવી રહ્યા છે, થોડા સમય પહેલા મુળ કોંગ્રેસી અને હવે ભાજપના નેતા દિનેશ શર્માએ બાપુનગરમાં તિરંગા યાત્રા અને બ્લડ ડોનેશન કેમ્પના નામે વિશાળ શક્તિપ્રદર્શન કર્યુ હતું, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા, પરિણામે કેટલાક સ્થાનિક ભાજપના નેતાઓના પેટમાં તેલ પણ રેડાયું હતું અને તેઓ હાજર રેહવાનુ પણ ટાળ્યું હતું,

હવે ગુજરાત આયુર્વેદના ચેરમેન અને સંઘ પરિવારમાંથી ડો હસમુખ ભાઇ સોનીએ પોતાન પિતા 75 વર્ષ નિમિત્તે ભાવ્ય સાકર તુલા કાર્યક્રમનુ આયોજન કર્યું જેમાં પેજ સમિતીથી લઇને શહેરના હોદ્દેદારોને બોલાવ્યા હતા, પણ સૌથી ખાસ વાત એ રહી કે  તેેમના કાર્યક્રમમાં સંઘના પુર્વ પ્રાંત પ્રચારક પ્રવિણ ભાઇ ઓતિયા, મુકુંદ રાવજી દેવભાણકર, અશ્નિન ભાઇ કડેચા, સજ્જન દાદા,અશોક ભાઇ પટેલ સહિતના વરિષ્ઠ પ્રચારકોએ ઉપસ્થિત રહ્યા હતા, જેને જોઇને કેટલાક ભાજપના સ્થાનિક નેતાઓ ચોંકી ઉઠ્યા હતા,તેઓએ પોતાના વિસ્તારના પાચ હજારથી વધુ બાળકોને દત્તક લઇને તેમના સ્વાસ્થ્યની જવાબદારી ઉપાડી લીધી છે, આ પ્રકારના શક્તિપ્રદર્શન થકી આગામી વિધાનસભાના ટીકીટની દાવેદારી મજબુત કરી હોવાનુ તેમના નજીકના ટેકેદારો માની રહ્યા છે,.

Advertisement

 

અત્યારે બાપુનગર વિધાનસભા બેઠક પર મુળ ભાજપના નેતાઓ અને કોંંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા નેતાઓ વચ્ચે ટિકીટને લઇને ભારે ખેચતાણ જોવા મળી રહી છે, ભાજપને વર્ષો સુધી વફાદાર રહેલા અને કર્મઠ કાર્યકર્તાઓની માંગ છે કે આ બેઠક મુળ ભાજપના જ નેતાઓને ટિકીટ આપવામાં આવે તો આ વખતે ભાજપ કોગ્રેસને હરાવી શકે છે, નહી તો ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો પણ આવી શકે છે,

આ બેેઠક વર્ષ 2012થી હિન્દીભાષી ઉમેદવારો માટે હોટ ફેવરિટ બની છે, હિન્દી ભાષીઓમાં રાજસ્થાની અને ઉત્તર પ્રદેશના સ્થાનિક નેતાઓ વચ્ચે દાવેદારી તેજ બની છે, એજ પ્રકારે આ વખતે બાપુનગર વિધાનસભા બેઠક માટે ઓબીસી નેતાઓ પણ મજબુત દાવો કરી રહ્યા છે, પટણી સમાજના લોકો માને છે કે સમગ્ર ગુજરાતમાં 50 લાખથી વધુ વસ્તી હોવાથી ભાજપે પટણી સમાજને એક બેઠક આપવી  જોઇએ, આમ તો અસારવામાં દેવી પુજક સમાજની વસ્તી વધુ છે,  જો કે આ બેઠક એસસી માટે અનામત હોવાથી બાપુનગર બેઠક માટે વિચાર કરવો જોઇએ, એ માટે આગામી સમયમાં બાપુનગરમાં સમ્મેલન બોલાવીને શક્તિ પ્રદર્શન પણ થશે,જ્યારે વાળંદ સમાજના આગેવાનો પણ માને છે કે સમગ્ર ગુજરાતમાં ભાજપે અત્યાર સુધી એક પણ વાળંદ આગેવાનને ધારાસભ્ય તરીકે ટિકીટ આપી નથી, વાળંદ સમાજ માટે પણ બાપુનગરમાં વિચાર કરવો જોઇએ,,આમ ઓબીસી અને હિન્દીભાષી વચ્ચે અને ઓરીજનલ બીજેપી અને કોંગ્રેસયુક્ત ભાજપના દાવેદારો વચ્ચે સાવધાની રાખવી પડશે

ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !

બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !

Advertisement

ગુજરાતની નવી ઉદ્યોગનીતિથી ઉદ્યોગકારો માટે બેય હાથમાં લાડુ જેવી સ્થિતિઃ વડાપ્રધાન

 

 

Advertisement

 

Continue Reading
Advertisement
1 Comment

1 Comment

  1. રાકેશ પંજાબી

    October 11, 2022 at 11:05 pm

    બાપુનગર માં ભાજપ જો મૂળ ભાજપના કાર્યકર નેં ટીકીટ નહિ આપે તો ફરી સીટ ગુમાવશે ગુમાવશે બાકી આ સમયે ભાજપ તરફી વાતાવરણ લાગે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.