Connect with us

અમદાવાદ

ગરમી નહીં ભડકો મોંઘવારીનોઃ પેટ્રોલ – ડીઝલ બાદ CNG, LPG અને DAP પણ મોંઘાદાટ

Published

on

ગરમી નહીં ભડકો મોંઘવારીનોઃ પેટ્રોલ – ડીઝલ બાદ CNG, LPG અને DAP પણ મોંઘાદાટ

 હાઈવેની મુસાફરી પણ સોંઘી નહીં રાષ્ટ્રીય હાઈવે પર ટોલટેક્સમાં રુ. 10થી 65નો વધારો ઝીંકાયો

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

અમદાવાદ

નવા નાણાંકીય વર્ષના આરંભ સાથે જ મોંઘવારી પણ હિસાબ ચૂકતેના કરવાના મૂડમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં એકતરફ રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં જોરશોરથી જોતરાઈ ગયા છે, ત્યારે
જનતા જર્નાદન બે છેડા કેવી રીતે ભેગા કરવા તેની પળોજણમાં જોવા મળી રહી છે. કારણ સવાર પડતાની સાથે
જ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો શુભ સુવાર કરી રહ્યો છે. તેમાંય તા.2જી એપ્રિલની સવાર સીએનજી, એલપીજી
અને રાસાયણિક ખાતરના ભાવ વધારો લઈને આવી હતી.

Advertisement

 

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

દેશમાં કોમર્શિયલ LPG, વિમાનના ઈંધણ, CNG અને DAP ખાતર સહિતની વસ્તુઓમાં જંગી ભાવવધારો ઝીંકાયો હતો.
તો ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ અદાણી ગ્રૃપે CNGના ભાવમાં અધધધ કહી શકાય તેવો વધારો ઝીંક્યો છે
. હજુ 8 દિવસ પૂર્વે જ અદાણી CNGના ભાવમાં રુ. 1.50નો વધારો કરાયા બાદ શુક્રવારે ફરીથી રુ. 5નો વધારો લાદી દીધો છે
. હોટેલ -રેસ્ટોરન્ટ અને ચ્હા-નાસ્તાની લારીઓ સહિતના કોમર્શિયલ એકમો દ્વારા ઉપયોગમાં લેવાતા LPGના ભાવ 19 કિલોગ્રામ
સિલિન્ડર દીઠ રુ. 249.50 વધારીને રુ. 2,253 કરવામાં આવ્યા હતા. જોકે ગૃહિણીઓ દ્વારા રસોડામાં ઉપયોગમાં લેવાતા રાંધણ
ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ એકાદ સપ્તાહમાં તેનો પણ વારો આવી શકે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ગત તા. 22મી માર્ચે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ સિલિન્ડર દીઠ વધારીને રુ. 949.50 કરી દેવાયા હતા. ત્યારે હવે તે પણ
ટૂંકસમયમાં એક હજારની પાર જવાની શક્યતા સેવાઈ રહી છે.

 

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

Advertisement

ગુજરાતમાં પેટ્રોલના ભાવ શનિવારે રુ. 102ને પાર થઈ ચુક્યા હતા, ત્યારે સીએનજીના ભાવમાં માત્ર એક માસના સમયગાળામાં
જ રુ. 9.50 જેટલો વધારો થઈ ચૂક્યો છે, એથી અમદાવાદ, વડોદરા, સુરત તેમજ રાજકોટ જેવા મહાનગરો જ નહીં આણંદ
, નડિયાદ, મહેસાણા જેવા નગરોના રિક્ષાચાલકો તેમજ રાતોરાત પોતાના ફોર વ્હીલરમાં CNGની કીટ લગાવનારાની હાલત પણ કફોડી બની છે. કારણ હવે CNGના ભાવ પણ પેટ્રોલ-ડીઝલની નિકટ જઈ રહ્યા છે.

હાલમાં અમદાવાદમાં CNGનો ભાવ રુ. 79.59 પર પહોંચી ગયો છે. માર્ચ માસ પર નજર કરીએ તો કુલ ત્રણ વખત ભાવ વધારો થયો હતો. ત્યારબાદ 1લી એપ્રિલે ભાવ વધારો થયો છે.

અમદાવાદમાં ફરીવાર અદાણી CNGના ભાવમાં વધારો થતા ખાસ કરીને રિક્ષાચાલકો લાલઘુમ બન્યા છે. વર્ષ 2022ના જાન્યુઆરીથી તા.1લી એપ્રિલ સુધીમાં 5 વખત વધ્યા છે.

આમ વર્ષ 2022ના પ્રથમ ત્રણ માસમાં જ તબક્કાવાર CNGના ભાવ રુ. 12 વધ્યા છે.

…શટલ સહિત સ્પેશિયલ રિક્ષા સવારી પણ ખિસ્સા ખાલી કરાવશે

Advertisement

અમદાવાદ ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ રાજ શિરકેએ જણાવ્યુ હતુ કે
સીએનજીના ભાવ વધારા સામે રિક્ષાચાલકો પોતાની રીતે ભાડુ વસુલશે. હાલ મિનિમન ભાડુ રુ. 18 છે, તેના
બદલે રિક્ષાચાલકો હવે રુ. 30 વસુલશે. ત્યારબાદ જ્યાં ભાડામાં રુ. 30 હશે ત્યાં રુ. 40 વસુલશે.
આમ નિયત ભાડા કરતા રુ. 10 વધુ વસૂલાશે. રિક્ષાચાલક એસોસિયેશનના અન્ય એક અગ્રણી વિજય મકવાણાના
જણાવ્યા મુજબ સીએનજી ભાવ વધારાના વિરોધમાં માત્ર રિક્ષાચાલકો જ નહીં પ્રજાનો પણ સહકાર લઈને કાર્યક્રમ કરાશે.
હેડીંગ…હાઈવેની મુસાફરીમાં ટોલટેક્સમાં વધારાનો ડામ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તા.1લી એપ્રિલથી ટોલટેક્સમાં રુ. 10થી 65ના વધારાનો અમલ કર્યો છે.
જેમાં વન-વે હળવા વાહનો માટેના ટોલટેક્સમાં વાહન દીઠ રુ.10નો અને કોમર્શિયલ વ્હીકલ માટે તેમાં રુ. 65નો વધારો કર્યો છે
. દરેક નાણાંકીય વર્ષના આરંભ ટોલટેક્સમાં સુધારો થયો હોય છે.

 

ભરત સિહ સોલંકી વિરુધ્ધ તેમના પત્ની રેશ્મા પટેલ પહોચ્યા કોર્ટ


… ઈફકોએ ડીએપી, એનપીકેના ભાવમાં વધારો ઝીંક્યો
દેશની અગ્રણી કો.ઓપરેટિગ સંસ્થા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો. ઓપરેટિંગ લિમિટેડ (ઈફ્કો)એ ડાયએમોનિયમ ફોસ્ટેટ(ડીએપી)
માં થેલી દીઠ રુ. 150 અને એનપીકેમાં રુ. 285 ભાવમાં વધારો ઝીંક્યો છે. ખેતીવાડીમાં સૌથી વધુ વપરાશ ધરાવતા ડીએપીના ભાવમાં
રુ. 150નો વધારો ઝીંકાયો છે. ડીઝલના ભાવ આસમાને હોઈ પરેશાન ખેડૂતો માટે ખાતરના ભાવ વધારાએ બળતામાં ઘી હોમવા
જેવું કામ કર્યુ છે. કારણ હવે ખાતરના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે.

 

 

Advertisement

બ્યુરો રિપોર્ટ..

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.