અમદાવાદ

આપ દ્વારા વિધાનસભા ના ઉમેદવારો ના નામો ની કરાઈ જાહેરાત

Published

on

આપ દ્વારા વિધાનસભા ના ઉમેદવારો ના નામો ની કરાઈ જાહેરાત

આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી.

આમ આદમી પાર્ટીએ 10 મજબૂત ઉમેદવારોની યાદી જાહેર કરી.

માંડવી બેઠકથી એક પ્રતિષ્ઠિત વેપારી કૈલાશદાન ગઢવીને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

 

Advertisement

અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી નિવૃત્ત મામલતદાર દિનેશભાઈ કાપડિયાને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

ડીસા વિધાનસભાથી ઓર્થોપેડિક સર્જન ડો.રમેશ પટેલને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

પાટણ વિધાનસભા પરથી સામાજિક અગ્રણી લાલેશભાઈ ઠક્કરને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

અમદાવાદની વેજલપુર વિધાનસભા પરથી પ્રતિષ્ઠિત વ્યવસાયકાર કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

વડોદરામાં સાવલી વિધાનસભાથી સામાજિક અગ્રણી વિજયભાઈ ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

Advertisement

આમ આદમી પાર્ટી આદિવાસી સંગઠનના પ્રદેશ પ્રમુખ બીપીનભાઈ ગામેતીને ખેડબ્રહ્મા વિધાનસભામાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે: ગોપાલ ઇટાલિયા

કેવડિયા બચાઓ આંદોલન સમિતિના પ્રણેતા પ્રો.પ્રફુલ વસાવાને નાંદોદ રાજપીપળા સીટ ઉપરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે: ગોપાલ ઇટાલિયા

પોરબંદર વિધાનસભાથી માછીમાર સમાજના સામાજીક અગ્રણી જીવણભાઈ જુંગીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે: ગોપાલ ઇટાલિયા

ખૂબ મોટા દિગ્ગજ કો-ઓપરેટીવ સેક્ટરના સહકારી આગેવાન અરવિંદભાઈ ગામીતને તાપી જિલ્લાની નિઝર વિધાનસભા સીટ માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે: ગોપાલ ઇટાલિયા

અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરંટીઓ દ્વારા આમ આદમી પાર્ટીના વિચારો ગુજરાતના ઘરે ઘરે પહોંચી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા

Advertisement

‘આપ’ના ડોર ટુ ડોર ‘‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ લઈ રહ્યા છે અને રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા

અરવિંદ કેજરીવાલજીએ ૩૦૦ યુનિટ વિજળી આપવાની ગેરંટી આપી છે, મહિલાઓને દર મહિને ₹1,000 ની સન્માન રાશિ આપવાની ગેરંટી આપી છે, 10 લાખ સરકારી નોકરીઓની સાથે યુવાનોને રોજગારની ગેરંટી આપી છે: ગોપાલ ઇટાલિયા

ખેડૂતો, વેપારીઓ, આદિવાસીઓ, મહિલાઓ, કર્મચારીઓ વગેરે તમામ વર્ગ માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે: ગોપાલ ઇટાલિયા

આજે ગુજરાતમાં ભરોસા અને વિશ્વાસનો બીજું નામ કેજરીવાલ છે: ગોપાલ ઇટાલિયા

ગુજરાતની જનતા એમ માની ગઈ છે કે, “કેજરીવાલજી જે બોલે છે એ કરીને બતાવે છે”: ગોપાલ ઇટાલિયા

Advertisement

 

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરેન્ટીઓ દ્વારા આમ આદમી પાર્ટીના વિચારો ગુજરાતના ઘરે ઘરે પહોંચી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજીએ ૩૦૦ યુનિટ વિજળી આપવાની ગેરંટી આપી છે, મહિલાઓને દર મહિને ₹1,000 ની સન્માન રાશિ આપવાની ગેરંટી આપી છે, 10 લાખ સરકારી નોકરીઓની સાથે યુવાનોને રોજગારની ગેરંટી આપી છે. આ સિવાય ખેડૂતો, વેપારીઓ, આદિવાસીઓ, મહિલાઓ, કર્મચારીઓ વગેરે તમામ વર્ગ માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે.

ગુજરાતમાં એક અલગ જ પ્રકારનો વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જનતા એમ માની ગઈ છે કે કેજરીવાલજી જે બોલે છે એ કરીને બતાવે છે. કારણ કે દિલ્હીમાં પણ 200 યુનિટ મફત વીજળી આપીને બતાવી, પંજાબમાં પણ ૩૦૦ યુનિટ મફત વીજળી આપીને બતાવી, તો એ જ રીતે ગુજરાતમાં પણ કરોડો લોકોને વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં પણ 300 યુનિટ મફત વીજળી આપીને બતાવશે. આ રીતે આજે ગુજરાતમાં ભરોસા અને વિશ્વાસનો બીજું નામ કેજરીવાલ છે. આ વિશ્વાસ, આ ભરોસો, આ આશા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં લોકો દિલથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાનાર સાથીઓની સંખ્યા વધી રહી છે. સરપંચો કો ઓપરેટીવ સેક્ટરના આગેવાનો અન્ય પાર્ટીઓના કાર્યકર્તાઓ તથા નેતાઓ તમામ લોકો દિવસેને દિવસે ખુબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ધીરે ધીરે ગુજરાતમાં એક ક્રાંતિનું રૂપ લઈને આગળ વધી રહી છે.

આમ આદમી પાર્ટીએ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટ ભાજપને મજબૂત ટક્કર આપી ઈમાનદાર સરકાર બનાવવા માટે અગાઉ ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી. આજે અમે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવા જઈ રહ્યા છીએ. આ યાદી ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠક, ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન અને સંકલનથી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના સૂચનથી યાદી તૈયાર કરવામાં આવી છે અને આજે અમે તે જાહેર કરવા જઈ રહ્યા છીએ. આ યાદીમાં સ્થાન પામેલ તમામ ઉમેદવારોને હું શુભેચ્છા પાઠવું છું.

માંડવી બેઠકથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવીને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. કૈલાશદાન ગઢવી એક પ્રતિષ્ઠિત વેપારી છે. તેઓ CA પણ છે. તેઓ વેપારી વર્ગ વચ્ચે ખૂબ જ સારું કામ કરી ચૂક્યા છે હું તેમને શુભેચ્છા પાઠવું છું.

Advertisement

અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી દિનેશભાઈ કાપડિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે દિનેશભાઈ નિવૃત્ત મામલતદાર તરીકે હાલ કાર્યરત છે તેઓએ ખૂબ જ ઉપયોગી કામ કરીને સમાજસેવા કરી છે અને દાણીલીમડા વિધાનસભામાં નામના મેળવી છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.

ડીસા વિધાનસભાથી ડો.રમેશ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ડો.રમેશ પટેલ એક ઓર્થોપેડિક સર્જન છે. તેઓએ આરોગ્યના ક્ષેત્રમાં ગરીબ લોકોની ખૂબ જ સેવા કરી છે અને તેમને ખૂબ જ મદદરૂપ થયા છે. તેમણે નાના માણસોના ઘણા બિલ પણ માફ કર્યા છે અને ડીસાની અંદર આરોગ્ય ક્ષેત્રે ખૂબ નામ ધરાવતા વ્યક્તિ છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

પાટણ વિધાનસભામાંથી લાલેશભાઈ ઠક્કરને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. લાલેશભાઈ એક સામાજિક અગ્રણી છે. પાટણ પંથકના વિસ્તારોમાં તેમણે ગૌ સેવા, રક્તદાન, ગરીબ મહિલાઓને સહાયતા આપવી એમ એવા અનેક સમાજ સેવાના કાર્યોથી સંકળાયેલા લાલેશભાઈને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

અમદાવાદની વેજલપુર સીટ પરથી કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. જેઓ એક પ્રતિષ્ઠિત વ્યવસાયકાર છે. ગણેશ હાઉસિંગના પ્રોજેક્ટના માધ્યમથી અમદાવાદમાં તેઓ ખૂબ પ્રતિષ્ઠિત છે. તેવા ભોલાભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

વડોદરામાં સાવલી વિધાનસભામાંથી વિજયભાઈ ચાવડાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. વિજયભાઈ એક સામાજિક અગ્રણી છે. આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ ક્રાંતિકારી સભ્ય છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

Advertisement

ખેડબ્રહ્મા વિધાનસભામાંથી બીપીનભાઈ ગામેતીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. બીપીનભાઈ આમ આદમી પાર્ટીના આદિવાસી સંગઠનના પ્રદેશ પ્રમુખ છે. આ સિવાય તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી જ તાલુકા પંચાયતની સીટ પણ હાલમાં જીતેલા છે. વ્યવસાયે તેઓ શિક્ષક છે અને આદિવાસી સમાજમાં તેઓએ શિક્ષણને લઈને ખૂબ જ સારું કામ કર્યું છે. એવા બીપીનભાઈને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

નાંદોદ રાજપીપળા સીટ ઉપરથી પ્રો.પ્રફુલ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. પ્રફુલ વસાવા પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂક્યા છે. કેવડિયા બચાઓ આંદોલન સમિતિના તેઓ પ્રણેતા રહ્યા છે અને કેવડિયા વિસ્તારમાં આદિવાસી વિસ્તારના જમીન બાબતે નેતૃત્વ કરી ચૂક્યા છે. આદિવાસી સમાજની જમીન બચાવવા માટે ખૂબ જ ફાળો આપી ચૂક્યા છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

પોરબંદર વિધાનસભાથી જીવણભાઈ જુંગીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. જીવણભાઈ માછીમાર સમાજના સામાજીક અગ્રણી છે. અને માછીમાર સમાજના જેટલા પણ સામાજિક પ્રશ્નો હોય છે કે માછીમાર ભાઈઓ માછલી પકડવા જતા ભૂલથી જ્યારે પાકિસ્તાન બોર્ડરએ પહોંચી જાય છે અને તેમને પકડી લેવામાં આવે છે તે બાબતે જીવણભાઈ ખૂબ જ લડી રહ્યા છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

તાપી જિલ્લાની નિઝર સીટ ઉપરથી અરવિંદભાઈ ગામીત ને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. અરવિંદભાઈ હાલમાં ડેરીના ડિરેક્ટર છે. ખૂબ મોટા દિગ્ગજ કો-ઓપરેટીવ સેક્ટરના સહકારી આગેવાન છે. અને તાપી વિસ્તારની અંદર ખેડૂતો સાથે સીધી રીતે સંકળાઈને ખેડૂતોને, દૂધ ઉત્પાદકોને ખૂબ સારી રીતે તેઓ મદદ કરી રહ્યા છે, તેમની સેવા કરી રહ્યા છે. તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આમ આ 10 ઉમેદવારોને અને ત્રીજી યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હું તમામ દસે દસ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવું છું. આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી એક એક વિસ્તારમાં આગળ વધી રહી છે. હાલમાં ડોર ટુ ડોર ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ ચાલુ છે. એ કેમ્પેઇનની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ લઈ રહ્યા છે, ભાગ લઈ રહ્યા છે, જોડાઈ રહ્યા છે અને રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે ડોર ટૂ ડોર કેમ્પેનમાં આપણે વધુમાં વધુ સમય ફાળવીએ અને આમ આદમી પાર્ટીની સરકાર બને તે તરફ આગળ વધીએ.

Advertisement

 

 

 

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version