Connect with us

અમદાવાદ

આપ દ્વારા વિધાનસભા ના ઉમેદવારો ના નામો ની કરાઈ જાહેરાત

Published

on

આપ દ્વારા વિધાનસભા ના ઉમેદવારો ના નામો ની કરાઈ જાહેરાત

આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી.

આમ આદમી પાર્ટીએ 10 મજબૂત ઉમેદવારોની યાદી જાહેર કરી.

માંડવી બેઠકથી એક પ્રતિષ્ઠિત વેપારી કૈલાશદાન ગઢવીને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

 

Advertisement

અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી નિવૃત્ત મામલતદાર દિનેશભાઈ કાપડિયાને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

ડીસા વિધાનસભાથી ઓર્થોપેડિક સર્જન ડો.રમેશ પટેલને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

પાટણ વિધાનસભા પરથી સામાજિક અગ્રણી લાલેશભાઈ ઠક્કરને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

અમદાવાદની વેજલપુર વિધાનસભા પરથી પ્રતિષ્ઠિત વ્યવસાયકાર કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

વડોદરામાં સાવલી વિધાનસભાથી સામાજિક અગ્રણી વિજયભાઈ ચાવડાને ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા

Advertisement

આમ આદમી પાર્ટી આદિવાસી સંગઠનના પ્રદેશ પ્રમુખ બીપીનભાઈ ગામેતીને ખેડબ્રહ્મા વિધાનસભામાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે: ગોપાલ ઇટાલિયા

કેવડિયા બચાઓ આંદોલન સમિતિના પ્રણેતા પ્રો.પ્રફુલ વસાવાને નાંદોદ રાજપીપળા સીટ ઉપરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે: ગોપાલ ઇટાલિયા

પોરબંદર વિધાનસભાથી માછીમાર સમાજના સામાજીક અગ્રણી જીવણભાઈ જુંગીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે: ગોપાલ ઇટાલિયા

ખૂબ મોટા દિગ્ગજ કો-ઓપરેટીવ સેક્ટરના સહકારી આગેવાન અરવિંદભાઈ ગામીતને તાપી જિલ્લાની નિઝર વિધાનસભા સીટ માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે: ગોપાલ ઇટાલિયા

અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરંટીઓ દ્વારા આમ આદમી પાર્ટીના વિચારો ગુજરાતના ઘરે ઘરે પહોંચી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા

Advertisement

‘આપ’ના ડોર ટુ ડોર ‘‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’માં ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ લઈ રહ્યા છે અને રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે: ગોપાલ ઇટાલિયા

અરવિંદ કેજરીવાલજીએ ૩૦૦ યુનિટ વિજળી આપવાની ગેરંટી આપી છે, મહિલાઓને દર મહિને ₹1,000 ની સન્માન રાશિ આપવાની ગેરંટી આપી છે, 10 લાખ સરકારી નોકરીઓની સાથે યુવાનોને રોજગારની ગેરંટી આપી છે: ગોપાલ ઇટાલિયા

ખેડૂતો, વેપારીઓ, આદિવાસીઓ, મહિલાઓ, કર્મચારીઓ વગેરે તમામ વર્ગ માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે: ગોપાલ ઇટાલિયા

આજે ગુજરાતમાં ભરોસા અને વિશ્વાસનો બીજું નામ કેજરીવાલ છે: ગોપાલ ઇટાલિયા

ગુજરાતની જનતા એમ માની ગઈ છે કે, “કેજરીવાલજી જે બોલે છે એ કરીને બતાવે છે”: ગોપાલ ઇટાલિયા

Advertisement

 

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે અરવિંદ કેજરીવાલજીએ આપેલી ગેરેન્ટીઓ દ્વારા આમ આદમી પાર્ટીના વિચારો ગુજરાતના ઘરે ઘરે પહોંચી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજીએ ૩૦૦ યુનિટ વિજળી આપવાની ગેરંટી આપી છે, મહિલાઓને દર મહિને ₹1,000 ની સન્માન રાશિ આપવાની ગેરંટી આપી છે, 10 લાખ સરકારી નોકરીઓની સાથે યુવાનોને રોજગારની ગેરંટી આપી છે. આ સિવાય ખેડૂતો, વેપારીઓ, આદિવાસીઓ, મહિલાઓ, કર્મચારીઓ વગેરે તમામ વર્ગ માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે.

ગુજરાતમાં એક અલગ જ પ્રકારનો વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જનતા એમ માની ગઈ છે કે કેજરીવાલજી જે બોલે છે એ કરીને બતાવે છે. કારણ કે દિલ્હીમાં પણ 200 યુનિટ મફત વીજળી આપીને બતાવી, પંજાબમાં પણ ૩૦૦ યુનિટ મફત વીજળી આપીને બતાવી, તો એ જ રીતે ગુજરાતમાં પણ કરોડો લોકોને વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં પણ 300 યુનિટ મફત વીજળી આપીને બતાવશે. આ રીતે આજે ગુજરાતમાં ભરોસા અને વિશ્વાસનો બીજું નામ કેજરીવાલ છે. આ વિશ્વાસ, આ ભરોસો, આ આશા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં લોકો દિલથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાનાર સાથીઓની સંખ્યા વધી રહી છે. સરપંચો કો ઓપરેટીવ સેક્ટરના આગેવાનો અન્ય પાર્ટીઓના કાર્યકર્તાઓ તથા નેતાઓ તમામ લોકો દિવસેને દિવસે ખુબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ધીરે ધીરે ગુજરાતમાં એક ક્રાંતિનું રૂપ લઈને આગળ વધી રહી છે.

આમ આદમી પાર્ટીએ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટ ભાજપને મજબૂત ટક્કર આપી ઈમાનદાર સરકાર બનાવવા માટે અગાઉ ઉમેદવારોની બે યાદી જાહેર કરી હતી. આજે અમે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવા જઈ રહ્યા છીએ. આ યાદી ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠક, ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન અને સંકલનથી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના સૂચનથી યાદી તૈયાર કરવામાં આવી છે અને આજે અમે તે જાહેર કરવા જઈ રહ્યા છીએ. આ યાદીમાં સ્થાન પામેલ તમામ ઉમેદવારોને હું શુભેચ્છા પાઠવું છું.

માંડવી બેઠકથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવીને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. કૈલાશદાન ગઢવી એક પ્રતિષ્ઠિત વેપારી છે. તેઓ CA પણ છે. તેઓ વેપારી વર્ગ વચ્ચે ખૂબ જ સારું કામ કરી ચૂક્યા છે હું તેમને શુભેચ્છા પાઠવું છું.

Advertisement

અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી દિનેશભાઈ કાપડિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે દિનેશભાઈ નિવૃત્ત મામલતદાર તરીકે હાલ કાર્યરત છે તેઓએ ખૂબ જ ઉપયોગી કામ કરીને સમાજસેવા કરી છે અને દાણીલીમડા વિધાનસભામાં નામના મેળવી છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.

ડીસા વિધાનસભાથી ડો.રમેશ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ડો.રમેશ પટેલ એક ઓર્થોપેડિક સર્જન છે. તેઓએ આરોગ્યના ક્ષેત્રમાં ગરીબ લોકોની ખૂબ જ સેવા કરી છે અને તેમને ખૂબ જ મદદરૂપ થયા છે. તેમણે નાના માણસોના ઘણા બિલ પણ માફ કર્યા છે અને ડીસાની અંદર આરોગ્ય ક્ષેત્રે ખૂબ નામ ધરાવતા વ્યક્તિ છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

પાટણ વિધાનસભામાંથી લાલેશભાઈ ઠક્કરને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. લાલેશભાઈ એક સામાજિક અગ્રણી છે. પાટણ પંથકના વિસ્તારોમાં તેમણે ગૌ સેવા, રક્તદાન, ગરીબ મહિલાઓને સહાયતા આપવી એમ એવા અનેક સમાજ સેવાના કાર્યોથી સંકળાયેલા લાલેશભાઈને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

અમદાવાદની વેજલપુર સીટ પરથી કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. જેઓ એક પ્રતિષ્ઠિત વ્યવસાયકાર છે. ગણેશ હાઉસિંગના પ્રોજેક્ટના માધ્યમથી અમદાવાદમાં તેઓ ખૂબ પ્રતિષ્ઠિત છે. તેવા ભોલાભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

વડોદરામાં સાવલી વિધાનસભામાંથી વિજયભાઈ ચાવડાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. વિજયભાઈ એક સામાજિક અગ્રણી છે. આમ આદમી પાર્ટીના સંનિષ્ઠ ક્રાંતિકારી સભ્ય છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

Advertisement

ખેડબ્રહ્મા વિધાનસભામાંથી બીપીનભાઈ ગામેતીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. બીપીનભાઈ આમ આદમી પાર્ટીના આદિવાસી સંગઠનના પ્રદેશ પ્રમુખ છે. આ સિવાય તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી જ તાલુકા પંચાયતની સીટ પણ હાલમાં જીતેલા છે. વ્યવસાયે તેઓ શિક્ષક છે અને આદિવાસી સમાજમાં તેઓએ શિક્ષણને લઈને ખૂબ જ સારું કામ કર્યું છે. એવા બીપીનભાઈને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

નાંદોદ રાજપીપળા સીટ ઉપરથી પ્રો.પ્રફુલ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. પ્રફુલ વસાવા પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂક્યા છે. કેવડિયા બચાઓ આંદોલન સમિતિના તેઓ પ્રણેતા રહ્યા છે અને કેવડિયા વિસ્તારમાં આદિવાસી વિસ્તારના જમીન બાબતે નેતૃત્વ કરી ચૂક્યા છે. આદિવાસી સમાજની જમીન બચાવવા માટે ખૂબ જ ફાળો આપી ચૂક્યા છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

પોરબંદર વિધાનસભાથી જીવણભાઈ જુંગીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. જીવણભાઈ માછીમાર સમાજના સામાજીક અગ્રણી છે. અને માછીમાર સમાજના જેટલા પણ સામાજિક પ્રશ્નો હોય છે કે માછીમાર ભાઈઓ માછલી પકડવા જતા ભૂલથી જ્યારે પાકિસ્તાન બોર્ડરએ પહોંચી જાય છે અને તેમને પકડી લેવામાં આવે છે તે બાબતે જીવણભાઈ ખૂબ જ લડી રહ્યા છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

તાપી જિલ્લાની નિઝર સીટ ઉપરથી અરવિંદભાઈ ગામીત ને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. અરવિંદભાઈ હાલમાં ડેરીના ડિરેક્ટર છે. ખૂબ મોટા દિગ્ગજ કો-ઓપરેટીવ સેક્ટરના સહકારી આગેવાન છે. અને તાપી વિસ્તારની અંદર ખેડૂતો સાથે સીધી રીતે સંકળાઈને ખેડૂતોને, દૂધ ઉત્પાદકોને ખૂબ સારી રીતે તેઓ મદદ કરી રહ્યા છે, તેમની સેવા કરી રહ્યા છે. તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આમ આ 10 ઉમેદવારોને અને ત્રીજી યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હું તમામ દસે દસ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવું છું. આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી એક એક વિસ્તારમાં આગળ વધી રહી છે. હાલમાં ડોર ટુ ડોર ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ ચાલુ છે. એ કેમ્પેઇનની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ લઈ રહ્યા છે, ભાગ લઈ રહ્યા છે, જોડાઈ રહ્યા છે અને રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે ડોર ટૂ ડોર કેમ્પેનમાં આપણે વધુમાં વધુ સમય ફાળવીએ અને આમ આદમી પાર્ટીની સરકાર બને તે તરફ આગળ વધીએ.

Advertisement

 

 

 

 

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.