ગાંધીનગર

મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓ 25 સપ્ટેમ્બર થી જશે અચોક્કસ મુદત ની હડતાળ પર

Published

on

મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓ 25 સપ્ટેમ્બર થી જશે અચોક્કસ મુદત ની હડતાળ પર

ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વવારા સમગ્ર ગુજરાતમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપી ને મધ્યાહન ભોજન ના કર્મચારીઓ ની માંગણીઓ ને લઈ સરકાર ને અવગત કરાઈ છે.જોકે રાજય સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ ના મળતા સમગ્ર ગુજરાત માં મધ્યાહન ભોજન કેન્દ્ર પણ બંધ રાખી ને વિરોધ કર્યો હતો જો રાજય સરકાર મધ્યાહ્ન ભોજન કર્મચારીઓ ના હિત માં નિર્ણય નહીં કરે તો આગામી 25 સપ્ટેમ્બર થી જિલ્લા મથકે અચોક્કસ મુદત ના ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પ્રમુખ કિશોર જોશી એ ઉચ્ચારી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version