ગાંધીનગર
માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન
માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન
મહાનગરોમાં પશુઓ રાખવા માટે લાયસંસ લેવાના સરકારના કાયદાનો હવે માલધારીઓ જોરશોરથી વિરોધ કરવા માટે રણનિતિ તૈયાર કરી દીધી છે જેના ભાગરુપે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં માલધારી મહાપંચાયત યોજાઇ હતી,
જેમાં નિર્ણય કરાયો છે કે 18મીએ સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી માલધારી સમાજની લાગણી બાબતે સરકારને અવગત કરાશે જ્યારે 19મીથી ગાંધીનગર માલધારી સમાજના 11 આગેવાનો આમરણાંત ઉપવાસ શરુ કરશે
કોગ્રેસના ધારાસભ્ય રધુ ભાઇ દેસાઇએ જણાવ્યુ છે કે
સરકાર અલગ વાત કરે છે બીજેપી સંગઠન અલગ વાત કરે છે, સરકાર અને સંગઠન વચ્ચે સમન્વય નથી, એના કારણે અલગ અલગ નિવેદન આવી રહ્યાછે,અમારુ આંદોલન નબળુ પડે તે માટે સરકાર રાજ રમત રમી રહી છે, રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યા સમય પુર્ણ થય છે જેથી માલધારી સમાજે રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે જેન ભાગ રુપે કેટલાક કાર્યક્રમો નક્કી કર્યાછે, 18 એપ્રિલે સમગ્ર ગુરજરાતમાં જિલ્લા કક્ષાએ પ્રતિક ધરણા કરાશે, 19મીએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણમાં 11 આગેવાનો આમરણ ઉપવાસ કરશે, સરકાર આ કાયદો રદ્દ કરવાની અમને ખાતરી નહી આપે ત્યાં સુધી અમારો આંદોલન ચાલુ રહેશે
તેમને વધુ માં કહ્યુ હતું કે ગુજરાતનો દરેક સમાજ, ક્ષત્રિય સમાજ, જૈન સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ, લધુમતી સમાજે જાહેરમાં અમને સમર્થન આપ્યુ છે, સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ સમર્થન આપ્યુછે,
જ્યારે માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઇએ જણાવ્યુ છે કે
શ્રી વડવાળા મંદિર શેરથામાં ગુજરાત માલધારી મહાપંચાયત ની મીટીંગ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ . ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ . માલધારી સમાજ ના આગેવાન બળદેવભાઈ લૂની અને શેરથા મંદિર ના મહંત ગોમતીદાસ જી ની આગેવાની માં યોજાઈ જેમાં ગુજરાત સરકાર ને આપવા માં ૭૨ કલાક નું એલ્ટીમેટમ પૂર્ણ થતા અને ગુજરાત સરકાર ના અલગ અલગ નિવેદનો થી માલધારી સમાજ નારાજ થઈ આજે ગુજરાત માલધારી મહાપંચાયત એ આંદોલન જાહેર કર્યું
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !