Connect with us

અમદાવાદ

કપડવંજમાં ભાજપના દાવેદારોની લાંબી કતાર !

Published

on

કપડવંજમાં ભાજપના દાવેદારોની લાંબી કતાર

ગુજરાતમાં ચૂંટણીને લઇને રાજકીય કાર્યક્રમો શરુ થઇ ગયા છે, ત્યારે અન્ય પક્ષોની જેમ ભાજપ એવા તમામ સીટો ઉપર
મંથન કરી રહી છે, જે જીતવામાં તેને મુશ્કેલી પડી રહી છે,, ત્યારે કંપડવંજ એક એવી જ સીટ છે,,જેના ઉપર ભાજપનુ
પ્રભુત્વ જોવા મળતું નથી,ત્યારે કપડવંજની વાત કરીએ તો 1962થી લઇને 2017 સુધી અહી કોગ્રેસનો વધુ દબદબો જોવા મળે છે,
આ સીટ ઉપર રાજ્યના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા પણ ઇલેક્શન લડીને જીતી ચુક્યા છે, અને વિરોધ પક્ષના નેતા પણ
બની ચુક્યા છે

મોંઘવારી પર સવાલ પુછાતાં કેમ છંછેડાયા સ્મૃતિ ઇરાની

ત્યારે કપડવંજ વિધાનસભા સીટનો ઇતિહાસ જોઇએ તો

વર્ષ 1962માં કોગ્રેસના ઉત્સવ પરીખે સ્વતંત્ર પક્ષના ધનવંત લાલ શ્રોફને હરાવ્યા હતા,

Advertisement

1967માં સ્વતંત્ર પક્ષના કે એન દોશીએ કોગ્રેસના ઉત્સવ પરિખને હરાવ્યા હતા

વર્ષ 1972માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇનેશનના બુધાજી ચૌહાણે કોગ્રેસના પુનમ ચંદ પટેલને હરાવ્યા હતા

વર્ષ 1975માં કોગ્રેસના બુધાજી ચૌહાણે ભારતિય જનસંધના વિનોદ ચંદ્ર શાહને હરાવ્યા

વર્ષ 1980માં ઇન્દિરા કોગ્રેસના બુધાજી ચૌહાણે જેએનપી(જેપી) પુનમચંદ્ર પટેલને હરાવ્યા હતા

વર્ષ 1985માં કોગ્રેસના બુધાજી ચૌહાણે જેએનપીના ઝાલા રાયસિહજીને હરાવ્યા

Advertisement

વર્ષ 1990માં કોગ્રેસના રતનસિહ રાઠોડે ભાજપના મણીલાલ પટેલને હરાવ્યા

વર્ષ 1995માં ભાજપના મણીલાલ પટેલે કોગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા

વર્ષ 1998માં ભાજપના બિમલ શાહે કોગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા

વર્ષ 2002માં ભાજપના બિમલ શાહે કોગ્રેસના કિશોર સિહ સોલંકીને હરાવ્યા

વર્ષ 2007માં કોગ્રેસના મણીલાલ પટેલે ભાજપના બિમલ શાહને હરાવ્યા

Advertisement

વર્ષ 2012માં કોગ્રેસના શંકર સિહ વાધેલાએ ભાજપના કનુભાઇ ડાભીને હરાવ્યા

વર્ષ 2017માં કોગ્રેસના કાળા ભાઇ ડાભીએ ભાજપને કનુભાઇ ડાભીને હરાવ્યા

 

કપડવંજના ઐતિહાસિક તથ્યો

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો શુ છે પીએમનો હોમવર્ક

Advertisement

ઇતિહાસના આકડા બતાવે છે કે કોંગ્રેસના બુધાજી ચૌહાણે વર્ષ 1972,1975, 1980,1985માં સતત ચાર વખત
વિધાનસભા ચૂટણી જીત મેળવી છે, જે રેકોર્ડ આજ દિન સુધી કોઇ તોડી શક્યુ નથી
વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બની સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો પવન ફુંકાતા
મધ્ય ગુજરાતમાં કપડવંજ બેઠક પરથી ભાજપના મણીલાલ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
પણ 1998માં ભાજપે ટિકીટના આપતા તેઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો અને 2007માં તેઓ કોંગ્રેસમાંથી
ચૂંટણી લડ્યા અને ભાજપના બિમલ શાહને હરાવ્યા
જ્યારે બિમલ શાહ ભાજપમાં 1998 અને 2002માં જીત્યા કેશુભાઇ પટેલની સરકારમાં વાહન વ્યવહાર
પ્રધાન રહી ચૂક્યા છે તેમણે પણ તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદી કાર્યપધ્ધતિનો વિરોધ કરીને
ભાજપ છોડ્યુ અને કોંગ્રેસમાં જોડાયા હતા, પણ કોંગ્રેસે તેમને ટિકીટ માટે ઠેંગો બતાવ્યો,,તો તેઓએ 2017માં
અપક્ષમાં ચૂંટણી લડ્યા તેમને 46928 મતો મળ્યા,, અને તેઓ ત્રિજા સ્થાને રહ્યા ,,એટલે કે ન તો તેઓ જીત્યા,, ન તો ભાજપને જીતવા દીધુ

વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !

હવે કપડવંજમાં ભાજપના દાવેદારોની વાત કરીએ તો

વર્ષ 2012 અને 2017માં કપડવંજ બેઠક પરથી હારી ચૂકેલા કઠલાલના પુર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી પ્રબળ દાવેદાર છે

ખેડા જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ, બંશી લાલ પ્રજાપતિ(પુર્વ કોર્પોરેટર વસ્ત્રાલ)

Advertisement

કપડવંજ તાલુકા ભાજપના પ્રમુખ કિરણ સિહ ડાભી

કંપડવંજ તાલુકા ભાજપના મહામંત્રી અલ્પેશ ઝાલા

કઠલાલ એપીએમસીના ચેરમેન હસમુખ પરમાર

કપંડવંજ એપીએમસીના ચેરમેન નિલેશ પટેલ

ખેડા જીલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન જીતેન્દ્ર સિહ ચૌહાણ

Advertisement

કાણીયલ ગામના સરપંચ ચિમન લાલ સોઢા

મુડેલ ગામના સરપંચ દિપક ડાભી

ભાટેરા ગામના સરપંચ રાજુ ભાઇ પટેલ

સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદના નેતા સ્નેહલ સિહ સોલંકી

જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી

Advertisement

આમ તો કપડવંજ વિધાનસભા સીટ એ કોગ્રેસની સીટ માનવામાં આવે છે, છતાં જે રીતે ત્રણ વખત અહી ભાજપ કબ્જો જમાવી ચુકી છે,
તે સિવાય આ વખતે ભાજપ તરફી માહોલ બની રહ્યુ છે,પરિણામે સંખ્યા દાવેદારો આતંરિક તૈયારી કરી રહ્યા છે, અને ટિકિટ માટે
યોગ્ય ગોડ ફાઘરની શોધ કરી રહ્યા છે,, છતાં અંતે ફેસલો તો વડા પ્રધાન નરેદ્રમોદી અને અમિત શાહ કરશે,

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.