Connect with us

ગુજરાત

ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

Published

on

આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાંથી લાઇસન્સ રાજને બંધ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

દિલ્હીની જેમ ગુજરાતમાં પણ રેડ રાજ અને હપ્તા ખોરી ખતમ કરવામાં આવશે: ગોપાલ ઈટાલિયા

અરવિંદ કેજરીવાલે વેપારીઓ માટે ગેરંટી આપી છે કે વેપારીઓને સન્માન આપવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ વેપારીઓમાં ડરનો માહોલ ખતમ કરીશું: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ GST અને VATના રિફંડ ક્લીઅર કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

Advertisement

સરકારી ઓફિસે કે GST ઓફિસે એવા વ્યક્તિની વ્યવસ્થા કરવામાં આવશે જે વેપારીઓને કાયદાકીય કામોમાં મદદ કરે: ગોપાલ ઇટાલિયા

વેપારીઓનો સૌથી મોટો પ્રશ્ન GST નો છે: ગોપાલ ઇટાલિયા

લોકોને લાગે છે કે GST ના કારણે લોકોના ધંધા બંધ થઈ જશે, લોકો રોડ ઉપર આવી જશે: ગોપાલ ઇટાલિયા

આ દિવાળીએ દરેક વેપારીએ ભાજપવાળાને બોનસમાં સાવરણા આપવાનાં છે: ગોપાલ ઇટાલિયા

ગુજરાતમાં નાનો ધંધો કરવો હોય તો લાયસન્સ જોઇએ, દારુનો ધંધો કરવો હોય તો કોઇ લાયસન્સની જરુર નથી પડતી અને કોઇ લાયસન્સ માંગતુ પણ નથી : ગોપાલ ઇટાલિયા

Advertisement

આજે જુદા જુદા હપ્તા ઉઘરાવવાને કારણે હપ્તા રાજ, ધંધા પર રેડ પડે એવું રેડ રાજ, વિવિધ લાયસન્સ ઉઘરાવવાને કારણે લાયસન્સ રાજ ઉભું થયું છે: ગોપાલ ઇટાલિયા

કોઇ સમાજ, કોઈ વર્ગ કે કોઈ દેશને આગળ લઈ જવા માટે વેપાર ધંધા સક્ષમ હોવા જરૂરી : ગોપાલ ઇટાલિયા

વેપાર વધવાથી અર્થતંત્ર મજબૂત બને, અર્થતંત્ર મજબૂત બને તો આપણો દેશ મજબૂત બને તો આખા વિશ્વમાં આપણા દેશનું વજન વધે: ગોપાલ ઇટાલિયા

અરવિંદ કેજરીવાલજી દેશ માટે એક ઉમ્મીદ બન્યા છે, તો આપણે પણ તેમના સૈનિકો બનીને દિવસ રાત કામ કરવાનું છે: ગોપાલ ઇટાલિયા

આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ડરનો માહોલ ખતમ કરવામાં આવશે: ગોપાલ ઇટાલિયા

Advertisement

અરવિંદ કેજરીવાલે નક્કી કર્યું છે કે જનતાનાં ટેક્સનાં પૈસામાંથી જનતા માટે સારી સ્કૂલ, સારી હોસ્પિટલ, મફત વીજળી આપીશું, ભાજપને જે કરવું હોય એ કરે : ગોપાલ ઇટાલિયા
ભાજપનું સ્માર્ટ સીટી એવું છે કે, રાત્રે 8 વાગે પોલીસની ગાડી આવે ત્યારે દુકાનની લાઇટો બંધ કરવી પડે છે: ગોપાલ ઇટાલિયા

દિલ્હીમાં કોઈ વ્યક્તિનું રસ્તા પર એકસીડન્ટ થઈ જાય છે, તો દિલ્હી સરકાર એ વ્યક્તિના ઈલાજનો પૂરો ખર્ચો ઉઠાવે છે: ગોપાલ ઇટાલિયા

દિલ્લીના લોકોના દરેક પ્રકારના ઈલાજનો ખર્ચો દિલ્હી સરકાર ઉઠાવે છે, પછી ખર્ચો લાખનો હોય કે કરોડનો: ગોપાલ ઇટાલિયા

ઉદ્યોગપતિઓની દસ લાખ કરોડની લોન કેન્દ્ર સરકારે માફ કરી છે અને એટલા માટે એ પૈસા વસૂલ કરવા માટે કેન્દ્ર સરકારે આજે દૂધ, છાશ, દહીં જેવી વસ્તુઓ પર ટેક્સ નાખી દીધો છે: ગોપાલ ઇટાલિયા

 

Advertisement

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ખેડામાં વેપારીઓ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે કોઈપણ મંત્રી, નેતા, લોકો સાથે સંવાદ કરતા નથી, તેમની તકલીફો સાંભળતા નથી, તેમના સૂચનો સાંભળતા નથી. અરવિંદ કેજરીવાલે અને આમ આદમી પાર્ટીએ એક નવી પદ્ધતિ અમલમાં મૂકી છે વેપારીઓ સાથે સંવાદની. વિવિધ જિલ્લાઓમાં જઈને મેં વેપારીઓ સાથે સંવાદ કર્યો તેમાં સૌથી મોટો પ્રશ્ન GST નો આવ્યો.જ્યારે આ કાયદો લાવવામાં આવ્યો ત્યારે કહેવામાં આવેલું કે બધી જગ્યાએ એક જ ટેક્સ રહેશે, અલગ-અલગ ટેક્સની ઝંઝટ થી તમે બચી જશો, પરંતુ હવે લોકોને લાગે છે કે આ GST ના કારણે લોકોના ધંધા બંધ થઈ જશે, લોકો રોડ ઉપર આવી જશે એટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે.

રોજ GST ના કાયદાની અંદર નવા નવા સુધારા આવ્યા કરે છે, રોજ નવા સંશોધનો આવ્યા કરે છે, તેના કારણે વેપારીઓને સમજાતું નથી કે ધંધો કરવો કે રોજ ક્યાં નવા સુધારા આવ્યા તે ચેક કરવા બેસવું. આપણે ધંધામાં રોકાણ કરેલું હોય, ઉધારીમાં માલ લાગ્યા હોય, બેંકની લોન ચાલતી હોય એ બધા ઉપર ધ્યાન આપવું કે GSTમાં રોજ બદલાતા નવા નિયમો પર ધ્યાન આપવું. આપણું વર્ષનું 25 લાખનું ટર્ન ઓવર હોય અને એમાં પણ કાઉન્સિલિંગનો ખર્ચો, વકીલનો ખર્ચો, GST ના કાગળિયા બનાવવાનો ખર્ચો, એજન્ટનો ખર્ચો કર્યા પછી છેલ્લે કશું વધે નહીં. અરવિંદ કેજરીવાલજીએ રાજકોટમાં વેપારી સાથેના સંવાદમાં વચન આપ્યું છે કે, નાના વેપારીઓને GST ઓફિસમાં જ માણસ મળી રહેશે જેથી તેમને ખર્ચો નહીં કરવો પડે.

 

વેપારીઓનો બીજો પ્રશ્ન છે કે, વેપારમાં છેતરપિંડી કરવાવાળા લોકો સાથે કશું થતું નથી. પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોય, FIR નોંધાવી હોય તેનું પણ કશું થતું નથી. દરેક વેપારમાં કેટલાક લોકો છેતરપિંડી કરવા માટે આવતા હોય છે તેઓ વેપાર કરવા નહીં પરંતુ લોકોના પૈસા ભેગા કરીને ભાગી જતા હોય છે. આ પ્રશ્ન નું સમાધાન લાવવા માટે અરવિંદ કેજરીવાલજી ને રજૂઆત કરી છે. કોઈ સમાજ, કોઈ વર્ગ કે કોઈ દેશને આગળ લઈ જવા માટે તેના વેપાર ધંધા સક્ષમ હોય તે જરૂરી છે. સમાજ કે દેશ આગળ વધે, વેપાર થાય તો અર્થતંત્ર મજબૂત બને, અર્થતંત્ર મજબૂત બને તો આપણો દેશ મજબૂત બને, દેશ મજબૂત બને તો આખા વિશ્વમાં આપણા દેશનું વજન વધે.

અહીંયા સ્થિતિ અલગ છે વેપારીઓને નબળા કરવામાં આવે છે. વેપારીને ડરાવવામાં આવે છે. આમ આદમી પાર્ટીની મિટિંગમાં જશો તો તમારો ધંધો બંધ કરાવી દઈશું. આપણને વિચાર આવે કે આપણે સરકાર પસંદ કરી છે કે ડાકુ ગબ્બર સિંહ ને પસંદ કર્યા છે કારણ કે ડરાવવાનું કામ ડાકુઓનું છે સરકારનું કામ સપોર્ટ કરવાનું છે. એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી આપી છે કે આ્મ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ડરનો માહોલ ખતમ કરવામાં આવશે. તેઓ તમારી મુશ્કેલી સાંભળવા તૈયાર નથી પરંતુ તમારી મુશ્કેલી સાંભળવા આમ આદમી પાર્ટી આવે તો તમને ધમકાવશે કે એની સભામાં જતા નહીં. યા તો તમે વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી દો, તેમના પ્રશ્નો સાંભળો નહીં તો આમ આદમી પાર્ટી આવશે, લોકોને સાંભળશે અને જનતાના સહયોગથી પ્રશ્નોનું નિરાકરણ કરશે.

Advertisement

આ સંવાદની નવી પદ્ધતિ રાજનીતિમાં અરવિંદ કેજરીવાલે રજું કરી છે. આજે વેપારમાં જો કોઇ મોટી મુશ્કેલી ઉભી થઇ હોય તો તે હપ્તા રાજ છે. કોઇ પણ નાનો મોટો ધંધો કરો ત્યારે આજે બોણી થઇ ન હોય, વકરો ન થયો હોય એ પહેલાં હપ્તો લેવા વાળા આવી જાય અને એને જેટલા લેવા હોય એટલા લઇને ચાલ્યો જાય. આ હપ્તાવાળા કયા વિભાગનાં હોય કોણ હોય છે એ રામ જાણે. આજે જુદા જુદા હપ્તા ઉઘરાવવાને કારણે હપ્તા રાજ, ધંધા પર રેડ પડે એવું રેડ રાજ, વિવિધ લાયસન્સ ઉઘરાવવાને કારણે લાયસન્સ રાજ ઉભું થયું છે. આ હપ્તા રાજ, રેડ રાજ ને લાયસન્સ રાજ, જોડે રહેજો રાજ જેવું સારું હશે એવું માનતા લોકોને પાસે બેસાડીને સમજાવવા પડે કે આ ભાજપ વાળાનું ખિસ્સા કાતરો રાજ છે.

દિવાળી આવે ત્યારે બોનસ માંગે છે. આ લોકોને શાંનું બોનસ આપવાનું હોય? મહેનત અમે કરી, જોખમ અમે લીધું, માણસોને અમે સાચવ્યા, માલમાં નુકસાની ગઇ તો સહન અમે કર્યું તો આ બોનસ તમને શાંનુ આપવાનું? પણ આ દિવાળીએ દરેક વેપારીએ ભાજપવાળાને બોનસમાં સાવરણા આપવાનાં છે. દરેક દિવાળીએ બોનસ માંગવા આવી જાય છે. પાંચ વર્ષ ધંધામાં કોઇ સપોર્ટ નહીં કરે. તમારી દુકાન 2 કલાક મોડી પડે તો ગાડી આવે,

ભાજપનાં મિત્રો સ્માર્ટ સીટી બનાવવાની વાત કરે છે. આ સ્માર્ટ સીટી કોને કહેવાય? 24 કલાક ચાલું હોય તેને સ્માર્ટ સીટી કહેવાય. ધંધા, રોજગાર, વેપાર કે દુકાન બધું ય દિવસ-રાત ચાલું હોય. દુનિયાનાં તમામ સ્માર્ટ સીટીમાં બધુંય 24 કલાક ચાલું હોય છે. બસ પણ 24 કલાક આવે, રીક્ષા 24 કલાક આવે અને નાસ્તાની દુકાનો પણ 24 કલાક ચાલું હોય. ભાજપનું સ્માર્ટ સીટી એવું છે કે, રાત્રે 8 વાગે પોલીસની ગાડી આવે અને સાયરન વગાડે તો દુકાનની લાઇટો બંધ કરવી પડે છે. આપણે તો દારુ નથી વેચતા, આપણે ડ્રગ્સ નથી વેચતા, આપણે ખરાબ કામ નથી કરતા તો પણ લાઇટો બંધ કરી દેવી પડે છે.

સ્માર્ટ સીટી બનાવવા હોય તો એવું કહેવું જોઇએ કે જેટલા વેપારીને પોસાતું હોય એ બધા આખી રાત દુકાન ખુલ્લી રાખો, કોઇ તમને હેરાન કરતું હોય તો અમારી પોલીસ બેઠી છે રાત્રે ત્રણ વાગે આવીને પણ ત્યાં ઉભા રહેશું. તો સ્માર્ટ સીટી બને. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી આ રેડ રાજ અને હપ્તા રાજ બંધ કરવામાં આવશે. એક વ્યક્તિ જ્યારે નાની દુકાન ખોલે અને પોતાનો નાનો ધંધો ખોલીને બીજાને પણ રોજગારી આપતો હોય તેની પાસે જુદા જુદા લાયસન્સ માંગે ત્યારે થાય કે ધંધો જ નથી કરવો. આ ગુજરાતમાં મજાની વાત એ છે કે દારુનો ધંધો કરવો હોય તો કોઇ લાયસન્સની જરુર નથી પડતી. કોઇ લાયસન્સ માંગતુ પણ નથી, વેચાય એટલો બિન્દાસ વેચો. ધંધો કરવો હોય તો લાયસન્સ જોઇશે, બે નંબરનાં ધંધા કરવા હોય તો વગર લાયસન્સે ચાલશે. આ પરિસ્થિતીની અંદર ગુજરાતને બદલવા આમ આદમી પાર્ટી આવી છે.

અરવિંદ કેજરીવાલે સંકલ્પ કર્યો છે કે ગુજરાતમાંથી અને આખા દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવો છે. ભ્રષ્ટાચાર નાબૂદ થશે તો ભારત વૈશ્વિક લેવલે આગળ વધશે. ભ્રષ્ટાચાર નાબૂદ થાય એનું યોગ્ય ઉદાહરણ અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં આપ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કુલો બનાવી. આ સ્કુલોમાં ગરીબથી ગરીબ અને અમીરથી અમીર માતાપિતાનાં સંતાનો મફતમાં સારું શિક્ષણ મેળવી રહ્યા છે. આપણે ત્યાં છોકરો સારું શિક્ષણ મેળવીને નોકરી ન માંગે એટલા માટે શાળાઓ બંધ કરવા લાગ્યા છે. એક ઇમાનદાર સારા શિક્ષણ વિશે વિચારે, શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા દિલ્લીમાં મફત મળે છે એ સારું કહેવાય કે ખરાબ? ગુજરાતમાં પણ આ શિક્ષણ અને આરોગ્ય મફત મળવું જોઇએ કે નહીં. ભાજપવાળા એવું કહે છે કે આ મફતની રેવડી આપે છે. મફતનું આપશું તો આદત પડી જાશે. મોટા મફતીયા એ છે. ગાંધીનગરમાં રહેવાનું સરકારી ગ્રાંટ ખાઇ જવાની, રોડ ખાઇ જવાના, ટેન્ડરો ખાઇ જવાના. એટલા માટે અરવિંદ કેજરીવાલજીએ નક્કી કર્યું છે કે જનતાનાં ટેક્સનાં પૈસમાંથી જનતા માટે સારી સ્કુલ, સારી હોસ્પિટલો, મફત વીજળી આપીશ, ભાજપને જે કરવું હોય એ કરે.

Advertisement

દિલ્હીમાં સરકારે એક યોજના અમલમાં મૂકી છે, જેમાં જો કોઈ વ્યક્તિનું રસ્તા પર એકસીડન્ટ થઈ જાય છે, તો દિલ્હી સરકાર એ વ્યક્તિના ઈલાજનો પૂરો ખર્ચો ઉઠાવે છે. જ્યારે ગુજરાતમાં અકસ્માત પામેલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો પહેલા ટેબલ પર બે લાખ મુકવાનું કહેવામાં આવે છે અને ગરીબ માણસ જેની પાસે આ પૈસા નથી હોતા તે વ્યાજવા પૈસા લઈને આવે છે અથવા તો જમીન-મકાનને પણ ઘણી વખત ગીરવે મૂકી દેતા હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે પૈસા ન હોવાના કારણે એ દર્દીના શરીરમાં આજીવન કોઈ ખોડખાંપણ પણ રહી જાય છે અથવા તો ઘણી વખત કોઈ દર્દીએ જીવ પણ ગુમાવવો પડે છે. પણ આવું ના થાય એના માટે દિલ્હીમાં નક્કી કર્યું કે દિલ્લીના લોકોના દરેક પ્રકારના ઈલાજનો ખર્ચો દિલ્હી સરકાર ઉઠાવશે, પછી ખર્ચો લાખનો હોય કે કરોડનો. દિલ્હી સરકાર માને છે કે નાગરિકોના ઈલાજના ખર્ચા ઉઠાવવાની જવાબદારી દિલ્હી સરકારની છે. જે ગુજરાત માટે આવી યોજના અમલમાં મુકવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, ગુજરાતના દરેક યુવાનને રોજગારી આપવામાં આવશે અને જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી તે બેરોજગારને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે, દરેક મહિલાને દર મહિને ₹1,000ની સન્માન રાશિ આપવામાં આવશે, ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આવશે, આવી ઘણી ગેરંટીઓની ઘોષણા થયા બાદ ભાજપના લોકો પૂછે છે કે આ બધી વસ્તુ માટે પૈસા ક્યાંથી આવશે? તો હું એ લોકોને એટલો જ જવાબ આપવા માંગીશ કે છેલ્લા 27 વર્ષથી તમે લોકોએ જે પ્રજાના રૂપિયા ખાઈ ગયા છો, એ બધા રૂપિયા તેમની અંદરથી બહાર નીકાળવામાં આવશે અને એ પૈસા આ બધી સુવિધા પાછળ ખર્ચવામાં આવશે.

આજે દેશમાં બધું મોંઘું થઈ ગયું છે પણ આ મોંઘવારી પાછળનું કારણ શું છે? આ મોંઘવારી પાછળનું કારણ છે કે ભાજપના મળતીયાઓ અને એમના મિત્ર ઉદ્યોગપતિઓની દસ લાખ કરોડની લોન કેન્દ્ર સરકારે માફ કરી છે અને એટલા માટે એ પૈસા વસૂલ કરવા માટે કેન્દ્ર સરકારે આજે દૂધ, છાશ, દહીં જેવી વસ્તુઓ પર ટેક્સ નાખી દીધો છે. તો આ કારણોસર મોંઘવારી વધી રહી છે. જો આ દસ લાખ કરોડ રૂપિયાની લોન માફ ના થઈ હોત તો આજે દૂધ, છાશ પર ટેક્સ ના લગાવો પડયો હોત.

જો આપણે ગુજરાતમાં પરિવર્તન લાવવું હશે તો એક સાથે મળીને ગુજરાતના એક એક ઘરમાં આમ આદમી પાર્ટીના વિચારો પહોંચાડવા પડશે. આજે કેજરીવાલ દેશ માટે એક ઉમ્મીદ બન્યા છે, તો આપણે પણ તેમના સૈનિકો બનીને દિવસ રાત કામ કરવાનું છે. આજે આખા ગુજરાતમાં બદલાવની શરૂઆત થઈ ગઈ છે અને ગામડે ગામડેથી લોકો એક સૂરમાં કહી રહ્યા છે કે આ વખતે ઝાડુંને વોટ આપવો છે અને અરવિંદ કેજરીવાલને એક મોકો આપવો છે. હું આશા રાખું છું કે આપણે બધા લોકો ગુજરાતમાં જે બદલાવ આવી રહ્યો છે તે બદલાવમાં એક નિમિત્ત બનીએ.

ગુજરાત

50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું

Published

on

નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની… નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી… હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ… અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં NDRFની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.

ભરૂચના શહેરી વિસ્તારોમાં નર્મદાના પૂરના પાણી ભરાયા છે. ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. વર્ષ 1970 બાદ ફરી એકવાર નર્મદાએ ઐતિહાસિક સપાટી વટાવી છે. આ કારણે અંકલેશ્વર, હાંસોટ રોડ અને દીવા રોડની સોસાયટીઓમાં અનેક મકાનોમાં પ્રથમ માળ સુધી પાણી ભરાયાં છે. હજારો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત મૂકાયું છે. અંકલેશ્વરના રામકુંડ રોડ ઉપર આવેલ રોહિતવાસમાં પૂરના પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો અંકલેશ્વર, ઝઘડિયા , ભરૂચ અને વાગરાનાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.

ભરૂચની અનેક સોસાયટીઓમાં પહેવા માળ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે. અંકલેશ્વર, હાસોટ રોડ, દીવા રોડની અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. અંકલેશ્વરના રામકુંડ રોડ પર રોહિતવાસમાં નર્મદાના પાણી ફરી વળતા વિકટ સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા ફુરજા બંદર, ચાર રસ્તા, દાંડિયા બજાર, વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો છે.

રેવામાં રેલની 136 વર્ષની તવારીખ : સદીઓમાં પેહલી વખત ઐતિહાસિક 18 લાખના ઘોડાપુરની ભરૂચમાં સુનામી

– 1970 ની મહારેલ : ભરૂચમાં 41.50 ફૂટની સપાટી, 256 ગામના 2.15 લાખ લોકો પ્રભાવિત
– એ ઐતિહાસિક નર્મદા નદીની રેલમાં 355 માનવી અને 1972 પશુઓના થયા હતા મોત
– જુના ભરૂચના કતોપોર બજારમાં 15 ફૂટ જેટલી ઊંચાઈ એ વહ્યાં હતા પુરના પાણી
– ત્રણ દિવસ રહેલા વિનાશક પુરમાં બે દિવસમાં વાવાઝોડા સાથે 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો
– સાલ 1887 થી 1936 સુધી 50 વર્ષમાં નર્મદા નદીમાં 15 લાખ ક્યુસેકના પુર આવ્યા
– 1937 થી 67 સુધીના 30 વર્ષમાં 15 લાખ ક્યુસેક કરતા વધુના ઘોડાપુર ભરૂચમાં નોંધાયા
– 121.92 મીટરની નર્મદા નદીની સપાટી સુધી 12 લાખ ક્યુસેકના પુરનો ભૃગુણગરીએ કર્યો સામનો
– નર્મદા ડેમની સપાટી 138.68 મીટર થતા 8 લાખ ક્યુસેકમાં જ 6 વર્ષથી પુર સીમિત થયા
– ડેમ પર દરવાજા બાદ સદીમાં પેહલી વખત 18 લાખ ક્યુસેકથી ભરૂચ ભયંકર પુરનું સાક્ષી બનવા ભણી

ભરૂચ એકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. જેથી ભરૂચ અંકલેશ્વર વાહનવ્યહાર બંધ કરાયો છે. હાઇટેન્શન વાયર સુધી પૂરના પાણી ભરાયા છે. અંકલેશ્વરમા એનડીઆરએફએ 16 લોકોનુ રેસ્કયુ કરાયું છે. જલારામ સોસાયટીમાથી લોકોને રેસ્કયુ કરવામા આવ્યું.

Advertisement
Continue Reading

ગાંધીનગર

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

Published

on

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.

Continue Reading

agriculture

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા

Published

on

ઉત્તર ગુજરાતમાં રૂ.૬૫૦ કરોડના ખર્ચે શરૂ થનાર કસરા થી દાંતીવાડા પાઈપલાઈન કામગીરી થકી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે
એક સમયે પશુપાલકોએ હિજરત કરવી પડતી હતી, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો : કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના કામો માટે અંદાજિત રૂ.૪૩૬૯ કરોડની વહીવટી મંજુરી અપાઇ
સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ : ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન
રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં તળાવો ઉંડા કરવા તથા નવા તળાવો સહિતના ૭૪,૫૦૯ કામો હાથ ધરાયા : ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા

સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસૂલી ખર્ચ રૂ.૨૫૪૪.૦૨ કરોડ અને મૂડી ખર્ચ માટે રૂ.૮૫૨૬.૯ કરોડની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ કે, જળસંપત્તિ વિભાગ દ્વારા સિંચાઈ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, નવી માળખાકીય સુવિધા ઉભી કરવી, નવી સિંચાઈ યોજનાઓ / જળસંગ્રહ માટેના સ્ટ્રક્ચરો બનાવી સિંચાઈથી વંચિત વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી, ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા જેવા બહુહેતુક કાર્યો હાથ ધરવામાં આવે છે.

તેઓએ ઉત્તર ગુજરાત વિસ્તારની પરિસ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે, આ કાયમી જળ સમસ્યાવાળા વિસ્તારમાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોને પુરક સિંચાઈનો લાભ થશે. તે ઉપરાંત ખોરસમ–માતપુર–ડીંડરોલ પાઈપલાઈનને લંબાવી મુકતેશ્વર જળાશયમાં નર્મદાના પુરના વધારાના પાણી પહોંચાડવાની કામગીરી માટે રૂ.૧૦૯ કરોડની જોગવાઈ, કસરા થી દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ મળશે. તેવી જ રીતે ધરોઈ ડેમથી સંત સરોવર બેરેજ સુધીમાં સંબંધીત વિવિધ ગામો પાસે પાંચ બેરેજ/વિયર બનાવવાની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમની કામગીરી માટે રૂ.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેનાથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને લાભ મળશે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલા ગીફટ સીટી નજીક સાબરમતી નદીના કાંઠાના પ્રોટેકશનની કામગીરી માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઈ તેમજ ખારીકટ કેનાલને અંડર ગ્રાઉન્ડ કરવા માટેની કામગીરી માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેઓએ કચ્છ વિસ્તારની માહિતી આપતા ઉમેર્યું કે, એક સમય એવો હતો કે પશુપાલકો હિજરત કરી જતા, આજે તે કચ્છડો બારે માસ હરિયાળો પ્રદેશ બન્યો છે. કચ્છ વિસ્તારમાં નર્મદાના વધારાના પાણી વિતરણ માટે ઉદ્દવહન પાઇપલાઇનોના તબક્કા-૧ અને તબક્કા-૨ અન્વયેના કામો માટે રૂ.૪૩૬૯ કરોડની અંદાજિત રકમની વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રથમ તબક્કા હેઠળ કચ્છ જિલ્લાના ૬ તાલુકાને સિંચાઇનો લાભ મળશે. પ્રથમ તબક્કાના ત્રણ લીંકોના કામો પૈકી નોર્ધન લીક, સધર્ન લીંક અને હાઇ કન્ટુર સ્ટોરેજ લીંકના કામો શરુ થયા છે જ્યારે સારણ લીંકની કામગીરીનું ટે‍ન્ડર મંજુર કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય તબક્કાના કામો માટે બજેટમાં રૂ.૧૯૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, એક જમાનામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુકાભઠ વિસ્તારો હતા કે જ્યાં પીવાના પાણી માટે પણ લોકો વલખા મારતા હતા. સૌરાષ્ટ્રના વિસ્તારો માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે. જે આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. સૌની યોજનાની કુલ ૧૩૭૧ કિ.મી લંબાઈ પૈકી આશરે ૧૨૯૮ કિ.મી પાઇપલાઇનના કામો પૂર્ણ થઈ ગયા છે. પૂર્ણ થયેલ કામગીરીથી ૮૫ જળાશયો, ૧૬૫ કરતાં વધુ તળાવો અને ૯૬૩ કરતાં વધુ ચેકડેમોમાં આશરે ૫૮,૦૦૦ મિલિયન ઘનફૂટ નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાના પાણીનો ફાયદો થયો છે અને આશરે પાંચ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્દઢ થઇ છે.

Advertisement

તેઓએ વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભરતી નિયંત્રક, બંધારા, રીચાર્જ રીઝર્વોયર, રીચાર્જ ટેન્ક, રીચાર્જ વેલ, વનીકરણ, નાલા પ્લગ, વિસ્તરણ નહેરો, રેડીયલ કેનાલો અને ચેકડેમો ક્ષાર નિવારણ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના થકી સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં ૪૩૯ લાખ ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થતાં જમીનને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો મળ્યો છે. આ કામો થકી ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો તથા ભૂગર્ભ જળની સપાટીમાં વધારો નોંધાયો છે.

રાજ્ય સરકાર દ્વારા આયોજન હેઠળના કામોની વિગતો આપતા જણાવ્યું કે, ભાવનગર જીલ્લાના તળાજા તાલુકામાં મેથળા બંધારાનું, સરતાનપર બંધારાનું કામ, ગીર સોમનાથ જીલ્લાના આવેલ હયાત આદ્રી બંધારાથી મુળ દ્વારકા ટાઇડલ રેગ્યુલેટરને જોડતી વિસ્તરણ નહેરનું કામને અંદાજીત રૂા.૧૦૧.૯૯ કરોડની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તે ઉપરાંત ધેડ વિકાસ યોજના – ક્ષાર અંકુશ યોજનાના કામો માટે અંદાજિત કિંમત રૂ. ૩૭ કરોડનું આયોજન છે. માલણ બંધારા તથા સમઢીયાળા બંધારાને જોડતી વિસ્તરણ નહેર માટે અંદાજે રૂ.૩૯.૧૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળી છે. ઉપરાંત નાની સિંચાઇ યોજનાઓ / જુના સ્ટ્રક્ચર / અનુશ્રવણ તળાવો/ ચેકડેમો જે રીપેર થઇ શકે તેવા કામોને સેઇફ સ્ટેજે લઇ જવા, ડીપનીંગ થઇ શકે તેવા ચેકડેમો જે તે યોજનાઓમાં થયા હોય પરંતુ રીપેર થઇ શકે તેવા હોય, તેવા તમામ કામોને સલામત સ્થિતિએ લઇ જવાના કામોને ચાલુ વર્ષે અગ્રતા આપવામાં આવશે.

તેઓએ આદિવાસી વિસ્તાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિંચાઇ સુવિધા અંગે જણાવ્યું કે, રાજ્યમાં ઉમરગામ થી અંબાજી સુધીના પુર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાને સિંચાઇની સવલતો પુરી પાડવા માટે નવા ચેકડેમો બાંધવા, તળાવો ઉંડા કરવા, ઉદવહન સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત રૂ.૫૯૦૩ કરોડના ખર્ચે ૧૫,૭૯૮ના વિવિધ કામો થકી ૫,૫૫,૮૦૫ એકર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે.

તેઓએ ઉદ્‌વહન પાઇપલાઇન સિંચાઇ યોજનાઓ અંગે કહ્યું કે, આદિવાસી વિસ્તાર જયાં અંતરિયાળ/પર્વતીય વિસ્તારોમાં પાણી પહોંચાડવુ મુશ્કેલ હતુ ત્યાં કડાણા જળાશય, કરજણ જળાશય, કાંકરાપાર જળાશય અને ઉકાઇ જળાશય આધારીત ૧૩ મોટી ઉદ્‌વહન યોજનાઓ સિંચાઇ સુવિધા આપવા માટે રૂ.૫૦૪૨ કરોડના ખર્ચે હાથ ધરાઇ છે. આ પૈકી ૭ યોજનાઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ૬ યોજનાઓના કામો પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની રૂ.૧૦૨૦ કરોડના ખર્ચે ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નીઝર ઉદ્‌વહન પાઇપલાઇન માટે રૂ.૧૭૫ કરોડની જોગવાઇ કરી છે. સુરત જીલ્લામાં રૂ.૫૯૦ કરોડના ખર્ચે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્‌વહન પાઇપલાઇન યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની નર્મદા જીલ્લાના કરજણ જળાશય આધારીત રૂ.૪૧૮ કરોડ કિંમતની ઉદ્‌વહન પાઇપલાઇન યોજના માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ, જેનાથી નર્મદા જિલ્લાના, સુરત જિલ્લાના અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત પ્રગતિ હેઠળની રૂ.૭૧૧ કરોડની અંદાજિત રકમની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે રૂ.૧૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રગતિ હેઠળની અંદાજીત રકમ રૂ.૨૨૬.૩૪ કરોડની કડાણા જળાશય આધારીત કડાણા-દાહોદ પાઇપલાઇનનું વિસ્તૃતિકરણના કામોથી સિંચાઇથી વંચિત રહેતા આદિવાસી વિસ્તારને લાભ થશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના તેમજ મહિસાગર જિલ્લાના વિસ્તારો માટે પાનમ ઉચ્ચસ્તરીય કેનાલ આધારિત યોજના માટે તથા પંચમહાલ જિલ્લાના વિસ્તારો માટે પાનમ જળાશય આધારીત પંચમહાલ જીલ્લાના પુર્વપટ્ટી વિસ્તાર માટેની યોજનાઓ માટે જોગવાઇ કરવામાં આવી છે. કડાણા ડાબા કાંઠા ઉચ્ચસ્તરીય નહેર આધારિત યોજના માટે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં વિવિધ તળાવો ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે તથા સંતરામપુર તાલુકાનાં ગ્રામ્ય તળાવો તથા મોરલનાકા અને બાબરી નાની સિંચાઇ યોજનાને પાઇપલાઇન દ્વારા લીંક કરી પાણી ભરવાની યોજનાથી વિવિધ વિસ્તારને લાભ થશે. આ બન્ને કામો પુર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વાત્રક નદીના બંને કાંઠા પાસે વેલ પોઇન્ટ બનાવી અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારના તળાવો ભરવાની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના વિવિધ તળાવો ભરવા માટે યોજનાનો સમાવેશ થાય છે.

Advertisement

મંત્રીએ કહ્યું કે, કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગે એલ.આઈ સ્કીમ તથા કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇન દ્વારા લીન્ક કરી પાણી ભરવાની યોજના બનાવી સિંચાઇ સુવિધા આપવા માટે જોગવાઇ કરવામાં આવી છે. પાનમ જળાશય આધારીત (વાંકડી ગામ પાસેથી) સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે અંદાજિત રૂ.૧૩૨.૭૨ કરોડની ઉદ્‌વહન સિંચાઇ યોજનાનું આયોજન કરેલ છે. જેનાથી ૨૩ ગામો લાભિત થશે.

મંત્રીએ વિયર, રીચાર્જ યોજનાઓ તથા અન્ય કામો અંગે ઉમેર્યું કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ, નવસારી જીલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોને સિંચાઇ સુવિધા આપવા માટે પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જળસંચયની કામગીરી અંગે મંત્રીએ કહ્યું કે, જળસંચયની કામગીરી માટે રૂ.૨૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ૫ વર્ષમાં ૭૪૫૦૯ કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી મુખ્યત્વે તળાવો ઉંડા કરવાના/ નવા તળાવોના ૨૭૭૯૯ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૧૬૨૯૧ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૪૫૦૮ કામો કરવામાં આવ્યા છે. કુલ ૫૬૭૭૮ કિ.મી. લંબાઇમાં નહેરોની તથા કાંસની સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે. અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામોથી જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે તથા ૧૭૮ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થયેલ છે. રાજ્યમાં ૧,૮૬,૦૦૦ થી વધારે ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ ચેકડેમો પૈકી અમુક ચેકડેમોને મરામત/સુદ્રઢીકરણની જરૂરીયાત હોવાથી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેર કરેલ વિવિધ બિનસરકારી સંગઠનો માટે જનભાગીદારીથી ૮૦:૨૦ ની ફોર્મ્યુલા અંતર્ગત એક નવતર પહેલ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ વધારે ને વધારે લોકભાગીદારી થાય, લોકો જોડાય જેથી જળસંચય અભિયાન થકી જળ સંગ્રહમાં વધારો થાય તે અમારી સરકારનો શુભ આશય છે.

જુના કામો/હયાત બાંધકામ/ચેકડેમ/નહેરોની સુધારણા અને સહભાગી સિંચાઇ વ્યવસ્થાપન અંગે મંત્રીશ્રીએ કુંવરજીભાઇ બાવળીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૫ વર્ષ કે તેથી જુના સ્ટ્રક્ચર હયાત હોય અને તેની સુધારણા કોઈ પણ સ્કીમ હેઠળ અગાઉ ન થયેલી હોય, તેવા સ્ટ્રક્ચરનું નવીનીકરણ ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષોથી જુના સ્ટ્રક્ચરો છે, તે તમામનું તબક્કાવાર ઓછા ખર્ચે નવીનીકરણ થશે. આ ઝુંબેશથી સ્વાભાવિકપણે સિંચાઈ વિસ્તાર વધશે, પાણીની સંગ્રહ શક્તિ વધશે, પાણીનો દુર્વ્યય થતો અટકશે તેમજ ખેડૂતોને સમયસર, પ્રમાણસર અને પુરતું પાણી પિયત માટે મળી રહેશે.

અટલ ભુજલ યોજના અંગે મંત્રીએ કહ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલબિહારી વાજપઈજીનાં જન્મજ્યંતિ પર ૨૫મી ડિસેમ્બર-૨૦૧૯ થી અટલ ભૂજલ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો છે. આ યોજના ભૂગર્ભજળને લગતી છે અને તેનું લક્ષ્ય દેશનાં જે ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઘણું નીચે ઉતરી ગયું છે, તેવા ભાગોમાં ભૂગર્ભજળનું સ્તર ઉપર લાવવાનું છે. ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ-૬ જિલ્લાઓમાં આ યોજના હેઠળ આવરી લેવાયા છે.

Advertisement

મંત્રીએ અન્ય અગત્યની યોજનાઓ અંગે ઉમેર્યું કે, સૂક્ષ્મ સિંચાઇથી “પર ડ્રોપ, મોર ક્રોપ” ની વિભાવના સાર્થક થશે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓમાં પાઇપલાઇન દ્વારા અપાતા પાણીમાં સુક્ષ્મ સિંચાઇના ઉપયોગથી વોટરયુઝ એફીસીયન્સીોમાં વધારો કરી પાણી અને વીજળીની બચત અને ખેત ઉત્પાદન વધારી શકાય છે. ઉદ્‌વહન સિંચાઇ યોજનાઓને સુક્ષ્મ સિંચાઇથી જોડવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૪૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

 

 

 

 

Advertisement

 

 

 

 

 

Advertisement

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.