Connect with us

amc

ભાજપની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનર શિપ નીતિ સામે વિપક્ષ ના નેતા શહેઝાદખાન પઠાણે સાધ્યું નિશાન

Published

on

સત્તાધારી ભાજપ માટે પીપીપી એટલે પબ્લીક – પ્રાઇવેટ પાર્ટનરશીપ નહી પણ પબ્લીક ફોર પર્સનલ પર્સન ની નીતી ?

અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સોમવારે મળનાર રીક્રીએશનલ એન્ડ કલ્ચરલ કમિટીના એજન્ડામાં
જોધપુર રીક્રીએશનલ સેન્ટર દસ વર્ષ માટે પીપીપી ધોરણે શ્રી મેન્ટોપુલ્સ નામની સંસ્થાને આપવા માટેનું કામ લાવવામાં આવ્યું છે.જેની સામે તેઓએ વિરોધ કર્યો છે.

તેઓએ વિરોધ કરતા કહ્યું છે કે રીક્રીએશનલ સેન્ટર બનાવવા તથા તેના સાધનો તથા અન્ય સુવિધાઓ માટે ખર્ચ અમદાવાદ મહાનગર પાલિકા કરે અને પીપીપી ધોરણે મળતીયા કંપનીને ચલાવવા માટે આપવું એટલે પબ્લીક – પ્રાઇવેટ પાર્ટનરશીપ નહી પણ પબ્લીક ફોર પર્સનલ પર્સન ની નીતી ? આ કેટલું યોગ્ય છે તેવા સવાલો બીજેપીની પીપીપી મોડલ નીતિ સામે ઉઠાવ્યા છે.

ભૂતકાળમાં સત્તાધારી ભાજપે વસ્ત્રાલમાં ૫૯ કરોડના ખર્ચે, ગોતામાં સોલા ર્વોટસ કોમ્પલેક્ષ ૫૯ કરોડના ખર્ચે, શાહપુર અને પાલડીમાં ૨૦ કરોડના ખર્ચે બનેલ ર્હોટસ કોમ્પલેક્ષ તથા વાડજ અને ઘોડાસરમાં સ્કેટીગં રીંક અને ટેનીસ કોર્ટ બનાવેલ છે. પરંતુ નવાઇની બાબત એ છે કે કરોડોનો ખર્ચ કર્યા બાદ પીપીપી મોડલના નામે મળતિયાઓના ના હવાલે કરી દેવાય છે જેમના દ્વારા પ્રજા પાસેથી ઊંચી ફી તથા ટીકીટના દર લઇ લુંટવાનું કામ કરે છે પ્ર

Advertisement

સત્તાધારી ભાજપ દ્વારા ખેલ મહાકુંભ, રમશે ગુજરાત, ના નારા હેઠળ કરોડો રૂા.નો ખર્ચ કરી પોતાના મળતીયા કોન્ટ્રાકટરને પીપીપી ધોરણના રૂપાળું નામ આપી પધરાવી દેવાની સાજીસ પ્રજાને ખેલાડી તથા યુવાઓ પ્રત્યે કેવી માનસિકતા ધરાવે છે તેનું પ્રર્દશન ભાજપ કરે છેજોકે વાસ્તવિકતા અલગ છે અને ભ્રામક પ્રચાર કરી પ્રજા સાથે દ્રોહ કરે છે આ ઉપરાંત પણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર થઇ ગયેલ છે પરંતુ તેનું ઉદ્ધાટન/લોકાર્પણ ભાજપના સત્તાધીશો કરી શક્યાં નથી જેથી ખાસ કરીને ખેલાડી તથા યુવાઓને તેનો પુરતો લાભ મળી શકેલ નથી
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી ભાજપના ઈશારે એ એમ સી દ્વારા ૬૨ જેટલા જીમ્નેશીયમો પોતાના મળતીયાઓની ખાનગી સંસ્થાને પધારવી દેવાની પેરવી ચાલુ છે આ પહેલાં પણ ગોતા અને થલતેજમાં બનાવેલ રીક્રીએશન સેન્ટર પીપીપી ધોરણે આપી દેવામાં આવેલ છે રીક્રીએશન સેન્ટરમાં સ્નાનગાર, જીમ્નેશીયમ, ચેઇન્જ રૂમ, સાવર રૂમ,અને વોશરૂમ વિગેરેની સુવિધા હોય છે કરોડોની જગ્યા અને તેને બનાવવા પાછળ થતો કરોડોનો ખર્ચ મ્યુ.કોર્પો કરે અને તેનું સંચાલન કરવાનું કામ પોતાના મળતીયાઓની ખાનગી પાર્ટીને આપવાનું ! આ નીતી ખેલાડી તથા યુવાઓ માટે નુકશાનારક બની રહેશે ત્યારે કોંગ્રેસની રજુઆત છે કે અમદાવાદ મહાનગર પાલિકા ખાનગી હાથોમાં જિમ્નેશિયમ આપવાને બદલે ખુદ ચલાવે જેનાથી પ્રજાનું હીટ જળવાશે.

amc

૨૬ થી ૩૦/ડિસેમ્બર સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે

Published

on

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નદીના પશ્ચિમ કિનારે ઇવેન્ટ સેન્ટર અને એલિસબ્રિજ વચ્ચે ફ્લાવર પાર્કનું નિ ર્માણ કરવામાં આવેલ છે. સ દર ફ્લાવર પાર્ક ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા:- ૩૧/૧૨/ ૨૦૨૨ થી ફ્લાવર શો ૨૦૨૩ નું આયોજન કરવામાં આવેલ છે. સદર ફ્લાવર પાર્કમાં ફ્લાવર શો પૂર્વેની કામગીરી ચાલુ હોવાથી ફ્લાવર પાર્ક તા:- ૨૬/૧૨/૨૦૨૨ થી તા:- ૩૦/૧૨/૨૦૨૨ સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે તેમજ તા:- ૩૧/૧૨/૨૦૨૨ થી મુલાકાતીઓને રાબેતા મુજબ ફ્લાવર શો માટે પ્રવેશ આપવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

 

Continue Reading

amc

G-20 ની વિવિધ બેઠકો અન્વયે અમદાવાદ મહાનગર અર્બન-20ની છઠ્ઠી સાયકલનું યજમાન બનશે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

Published

on

અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ

વસુધૈવ કુટુંબકમ – વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર’ની થિમ સાથે G-20 નું યજમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં ભારત બન્યુ છે

G-20 ની વિવિધ બેઠકો અન્વયે અમદાવાદ મહાનગર અર્બન-20ની છઠ્ઠી સાયકલનું યજમાન બનશે
…….
અમદાવાદમાં આગામી તા. ૯-૧૦ ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

G-20 દેશોના શહેરો-મહાનગરોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ-કલાયમેટ ચેન્જ-એફોર્ડેબલ હાઉસીંગ સહિતના સર્વગ્રાહી શહેરી વિકાસના મહત્વપૂર્ણ મુદ્દાઓના વૈચારિક-આદાન પ્રદાન માટે અર્બન-20 U-20 ગ્લોબલ પ્લેટફોર્મ બનશે

Advertisement

વર્લ્ડ હેરિટેજ સિટીની પ્રતિષ્ઠા ધરાવતા અમદાવાદની પ્રાચીન-અર્વાચીન શહેરી વિકાસ ગાથા સાથે મોર્ડન અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમન્વય U-20માં ઊજાગર કરવાની નેમ -:

કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પૂરી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના શહેરોમાં પાણી-સેનિટેશન-આવાસ-જાહેર પરિવહન જેવી જનસુખાકારી યોજના અને સ્ર્માર્ટ સિટી મિશન સફળતાપૂર્વક અમલી બન્યા છે

શહેરો દુનિયાના ઇકોનોમિક ગ્રોથ માટે પાવર હાઉસ છે

વિશ્વની ગ્લોબલ જીડીપીમાં શહેરોનું પ્રદાન ૬૦ ટકા જેટલું છે

Advertisement

.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, G-20 દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજીક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાન-પ્રદાન માટે અર્બન-20 સાયકલ ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડશે
.
વિઝનરી ગ્લોબલ લીડર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતમાં યોજાનારી G-20 સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને આંગણે યોજાનારા અર્બન-20 સમિટના લોગો તથા વેબસાઇટ અને સોશિયલ મિડીયા હેન્ડલ્સ તથા વેલકમ સોંગ લોન્ચીંગ અવસરે મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પૂરીજીએ આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સથી સંદેશ પાઠવ્યો હતો
.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે G-20નું યજમાન પદ વડાપ્રધાનના પ્રયત્નોથી ભારતને મળ્યું છે તેનો હર્ષ વ્યકત કરતાં ઉમેર્યુ કે, G-20 સમિટની વિવિધ ૧પ જેટલી સમિટ ગુજરાતમાં પણ યોજાવાની છે

વસુધૈવ કુટુંબકમ-એક ધરતી, એક પરિવાર-એક ભવિષ્ય’ના વિષયવસ્તુ સાથેની આ G-20 સમિટથી વડાપ્રધાનશ્રીએ વિશ્વ સમુદાયને ભારતીય સંસ્કૃતિ અને સદાચારનો પરિચય કરાવ્યો છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું
.
તેમણે જણાવ્યું કે, શહેરી ક્ષેત્ર હોય કે ગ્રામીણ, આપણે એક પરિવાર ભાવથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને લઇને વિકાસ રાહે આગળ વધ્યા છીયે
. આ સંદર્ભમાં અમદાવાદમાં યોજાનારી U-20 સાયકલ વધુ પ્રસ્તુત બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આવનારા સમયમાં શહેરી જનસંખ્યા વધતી જશે અને શહેરીકરણ વ્યાપક ફલક પર વિકસશે તેને ધ્યાનમાં રાખીને શહેરી ભવિષ્ય તથા જનસુખાકારીને વધુ સુવિધાપૂર્ણ-બહેતર બનાવવા આવી અર્બન સમિટની ચર્ચાઓ, બેસ્ટ પ્રેક્ટીસના આપસી આદાન-પ્રદાન અને એક્સપીરીયન્સ શેરિંગ મહત્વપૂર્ણ બની રહેશે
.
વર્લ્ડ હેરિટેજ સિટીની પ્રતિષ્ઠા ધરાવતા અમદાવાદ શહેરમાં પ્રાચીન અને અર્વાચીન એમ બેય ક્ષેત્રે શહેરી વિકાસ અને મોર્ડન અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરનો સમન્વય છે તે આ સમિટમાં G-20 દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ઊજાગર કરવાની નેમ પણ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી
.
ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20 સાયકલનું આયોજન કરાશે. સી-૪૦ (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG), શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી હિમાયત જૂથો સાથે, અમદાવાદમાં ૯-૧૦ ફેબ્રુઆરી 20ર૩ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે
. જુલાઇ-૨૦ર૩માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે.
G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે
. ‘વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી અને આપણા સહિયારા ભવિષ્યને રેખાંકિત કરતા કાયમી હકારાત્મક વૈશ્વિક પરિણામો લાવી શકે છે તે બાબત પર કેન્દ્રીત હશે.
આ અર્બન-20 સાયકલ જટિલ શહેરી મુદ્દાઓના સમાધાન માટે યોગ્ય નીતિ નિર્ધારણની દિશામાં રોડમેપ તૈયાર કરશે તથા સમિટમાં સહભાગી શહેરોની આકાંક્ષા પ્રતિબિંબિત કરશે
આ સંદર્ભનો એક દસ્તાવેજ U-20 સમિટના યજમાન શહેર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાશે

આ પ્રસંગે ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી હરદીપસિંહ પુરીએ વિડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું કે, અમદાવાદ ભારતનું આધુનિક, પ્રગતિશીલ એવું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન શહેર છે
. અર્બન-૨૦ સમિટની છઠ્ઠી સાઈકલની ચેરની યજમાની અમદાવાદ કરી રહ્યું છે, ત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને સિદ્ધ કરવામાં શહેરોની ભૂમિકા વિશે આ બેઠકમાં આગવું વિચાર-મંથન થશે
.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી માટે દેશનો શહેરી વિકાસ એ પ્રાથમિકતા છે. પાછલાં વર્ષોમાં ભારત સરકારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શહેરોમાં પાણી, સેનિટેશન, આવાસ અને જાહેર પરિવહનને લગતી વિવિધ યોજનાઓ અને સ્માર્ટ સિટી મિશન સફળતાપૂર્વક અમલી બનાવ્યા છે
.
તેમણે વધુમાં કહ્યું કે, શહેરો દુનિયાના ઈકોનોમિક ગ્રોથ માટેના પાવર હાઉસ છે. વિશ્વની ગ્લોબલ જીડીપીમાં શહેરોનું પ્રદાન ૬૦ ટકા છે. શહેરો વૈશ્વિક વ્યાપાર અને મૂડીરોકાણને આકર્ષે છે. દુનિયાની ૫૦ ટકાથી વધુ વસ્તી શહેરોમાં વસે છે
. ભારતમાં પણ શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. આથી G-20 અંતર્ગત U-20નું આયોજન શહેરી વિકાસ ક્ષેત્રે નવું શિખવાનું અને ભારતની ઉપલબ્ધિઓને ઉજાગર કરવાનું માધ્યમ બની રહેશે
.
ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે ગુજરાતમાં અર્બન-20 બેઠકોના આયોજનની રૂપરેખા જણાવી હતી.
તેમણે કહ્યું કે, અર્બન-20 ચેરનું યજમાન બની અમદાવાદ હવે બ્યુનોસ આર્સ, રોમ, મિલાન, જકાર્તા, ટોક્યો, વેસ્ટ જાવા અને રિયાધ જેવા શહેરોની યાદીમાં સામેલ થઇ ચૂક્યું છે. ટાઇમ્સ મેગેઝિને અમદાવાદને ‘મક્કા ઓફ કલ્ચરલ ટુરિઝમ’ કહ્યું છે અને વિશ્વના ૫૦ એક્સ્ટ્રા ઓર્ડીનરી ડેસ્ટીનેશન્સની સુચીમાં સ્થાન આપ્યું છે.
આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમારે G-20ની અધ્યક્ષતા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. ઉપરાંત U-20ની અધ્યક્ષતા માટે અમદાવાદની પસંદગી કરવા માટે વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. U-20નાં આયોજનોના સફળ સંચાલન-અમલીકરણ માટે અમદાવાદને સૌનો સહયોગ મળશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીતાબહેન અને મ્યુનિસિપલ ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ ઉપરાંત મ્યુનિસિપલ ભાજપના દંડક અરૂણસિંહ રાજપૂત , મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન તેમજ રાજ્ય સરકારના અને AMC ના અધિકારીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Continue Reading

amc

પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પરિવાર પ્રત્યે માનવતા દાખવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું..

Published

on

પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પરિવાર પ્રત્યે માનવતા દાખવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું..

 

બહેરામપુરા વોર્ડના સ્વર્ગસ્થ કોર્પોરેટર યુસુફભાઈ અજમેરીના નિધન બાદ તેમના ધર્મ પત્ની હમીદાબેન યુસુફભાઈ અજમેરીની દયનિય સ્થિતિને લઇ અહેવાલ પ્રકાશિત થતા તેની પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે તેની ગંભીર નોંધ લઇ ને તેઓએ તાત્કાલિક તેની મદદ કરવા માટે બહેરામપુરા વોર્ડના ભાજપના કાર્યકરોને સૂચના આપી હતી ત્યારબાદ બહેરામપુરા વોર્ડના હોદેદારોએ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર યુશુફ અજ્મેરીના પત્નીને રૂબરૂ મળીને તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ અને રોકડ સહાય કરી હતી..મહત્વ પૂર્ણ બાબત તો એ છે કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર નો પરિવાર હોવા છતાં પ્રદેશ ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહે માનવતા દાખવીને એક ઉત્તમ ઉદાહરણ લોકો માટે પૂરું પાડ્યું છે..

પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવી

જૈનો દ્વારા 25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલીનું કરાયું આયોજન

Advertisement

ગુજરાતના મોટા  કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ !

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.