Connect with us

અમદાવાદ

હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે 

Published

on

હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે !

 

ઇડરના ધારાસભ્ય હુતુ કનોડિયા અસારવા વિધાનસભા મત વિસ્તારમાં પેજ સમિતીના પ્રમુખ બન્યા છે, જેને લઇને અસારવા વિધાનસભા મત વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે,

શુ હિતુ કનોડિયા આ વખતે ઇડરના બદલે અસારવા મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે, અસારવા વિધાનસભામાંથી  પેજ સમિતીના પ્રમુખ બનાવાનું  કારણ શુ છે, હાલ તેઓ ઇડરના ભાજપના ધારાસભ્ય તરીકે

સેવાઓ આપી રહ્યા છે, ત્યારે તેઓ ઇડરમાં પેજ સમિતના પ્રમુખ બનાવાના બદલે અસારવા કેમ પસંદ કર્યું તે એક ચર્ચાનો વિષય બન્યો છે, શુ અસારવા ભાજપનો ગઢ હોવાથી તેઓ અસારવાથી ચૂંટણી લડવા માંગે છે

Advertisement

શુ તેમને ઇડરની જનતા પર ભરોસો નથી, શુ તેઓ ઇડરમાં ચૂંટણી જીતી શકે એમ નથી,  શુ તેઓ તેઓનુ મત વિસ્તાર બદલવા માંગે છે,

 

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

અસારવા વિધાનસભા સીટ વર્ષ 1990થી ભાજપનો ગઢ બન્યો છે, એટલે કે 32 વરસથી ભાજપે આ બેઠક જાળવી રાખી છે, અત્યારે રાજ્ય સરકારના સામાજીક અને ન્યાય બાબતોના પ્રધાન પ્રદીપ પરમાર આ બેઠકનું પ્રતિનિધીત્વ કરી રહ્યા છે, તેઓ પ્રથમ વખત વર્ષ 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રદીપ પરમારની ટિકીટ ફાઇનલ માનવામાં આવે છે, તેઓએ અસારવા વિધાનસભામાં કરેલા વિકાસના કામો

Advertisement

અને પ્રધાન બન્યા પછી પણ લોકો સાથે તેને અસરકારક જનસપંર્ક રહ્યો છે, તેઓ 24 કલાક 108ની જેમ જનતાના કાર્યો માટે તત્પર રહે છે, તેઓ કેબીનેટ પ્રધાન હોવા છતાં સામાન્ય લોકોના સતત ફોન ઉઠાવતા હોય છે, અને તેમના પ્રશ્નોને શાંતિથી સાંભળે છે,, એટલુ જ નહી તેમના પ્રશ્નોનો ત્વરીત જવાબદાર અધિકારીઓને સૂચના આપી નિકાલ લાવે છે,,સિવિલ હોસ્પિટલ તેમના મત વિસ્તારમા હોવાથી આખા રાજ્યમાંથી દર્દીઓ આવતા હોય છે,  તેમની ટીમ ખડે પગે સેવામાં લીન હોય છે, પ્રદીપ પરમાર સિવિલ હોસ્પિટલ માટે સંકટ મોચક તરીકે કાર્યકર્તામાં ઓળખાય છે,

 

અસારવામાં કોની કેક કપાશે !

આમ તો તેઓ અસારવામાં ફાઇનલ માનવામા આવે છે, જો કે પ્રજામાં સંકટ મોચક તરીકે ઓળખાતા પ્રદીપ પરમાર માટે હિતુ કનોડિયા પેજ પ્રમુખ બનતા નવુ સકંટ ઉભુ કર્યુ છે, જો કે પ્રદીપ પરમાર આવા સંકટો કોઇ નવી વાત નથી,, વર્ષ 2008માં અમદાવાદમાં સિવિલ બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હમેશા લોકોની સેવા માટે ખડે પગે રહેતા પ્રદીપ પરમાર પણ ટ્રોમાં સેન્ટર પહોચ્યા હતા, એ દરમિયાન જ ત્યાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જો કે ઇશ્વરની કૃપાથી સેવાને વરેલા પ્રદીપ પરમારનો આબાદ બચાવ થયો હતો,  વર્ષ 2015માં અમદાવાદ મહાનગર પાલિકાની યોજાયેલ ચૂંટણી દરમિયાન તેઓ અસારવા વોર્ડમાં કાઉન્સિલરની ચૂંટણી લડવા માટે ઉત્સુક હતા, જો કે તેમના રાજકીય વિરોધીઓએ  તેમને  ટિકીટ આપવા દીધી ન હતી, માતાજીના પરમ ભક્ત પ્રદીપ પરમારના જીવનમાં કઇક જુદુ લખ્યુ હતું તેઓને વર્ષ 2017માં અસારવા વિધાનસભાની ટીકિટ પણ મળી,અને તેઓ કેબીનેટ પ્રધાન પણ બન્યા,  જેની સાથે તેમના રાજકીય વિરોધીઓની બોલતી બંધ થઇ ગઇ છે,

અસારવાના મતદારોને કેક ભાવશે કે દાળ શાક પુરી !

Advertisement

ત્યારે હિતુ કનોડીયા ગુજરાતી ફિલ્મ જગત સુપર સ્ટાર માનવામાં આવે છે, તેઓ સમગ્ર ગુજરાતમાં જન જનમાં લોક પ્રિય છે, તેઓ વર્ષ 2012માં કડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જો કે તેમને  કોંગ્રેસના રમેશ ચાવડાએ હરાવતા તેઓનું વિધાનસભા પહોચવાનુ સ્વપ્ન પુર્ણ થયુ ન હતું,  વર્ષ 2017માં ભાજપે  વર્ષ 1995થી ભાજપનો ગઢ બનેલ ઇડર બેઠક પરથી તેમને મૈદાને ઉતાર્યા હતા જ્યાં તેઓ સફળ થયા, ત્યારે હવે  તેમની નજરઅસારવા બેઠક પર હોવાનુ કાર્યકર્તાઓમાં ચર્ચા છે,  શુ ભાજપ તેમને કડી ઇડર બાદ અસારવામાં ટીકિટ આપશે તે એક મોટો સવાલ છે ,,

 

ગુજકોમાસોલના બિન હરિફ ચૂટણીમાં કોને થયો ફાયદો

Advertisement

 

ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી !

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.