Connect with us

Uncategorized

શુ નિતિન પટેલથી ભાજપ દુરી બનાવી રહ્યુ છે !

Published

on

શુ નિતિન પટેલથી ભાજપ દુરી બનાવી રહ્યુ છે !

type=”rectangular” ids=”4280,4278,4279,4277″]

સુરતમાં ચંદ્રકાંત પાટીલના શક્તિ પ્રદર્શનથી લોકો રહ્યા દુર- વિડીયો થયો વાયરલ

મહેસાણામાં આર જે ઇન્ટરનેશનલ સ્કૂલનુ ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના હસ્તે કરાયું,આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજની ભાઇ પટેલ, મહેસાણાંના સાસંદ શારદા બેન પટેલ
ગુજરાત ભાજપના સહ પ્રવક્તા ડો રુત્વિજ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ સહિત સિનિયર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા,,
મહત્વપુર્ણ વાત એ છે કે મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાતના પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ હાજર હોવા છતાં તેમની ગેર હાજરી વર્તાઇ,,

ઉલ્લેખનિય છે કે કાર્યક્રમ માટે જે પણ હોર્ડીંગ્સ બોર્ડ અને પોસ્ટર લગાવાયા હતા તેમાં સત્તાવાર રીતે નિતીન પટેલ, ચંદ્રકાંત પાટીલ, રજની ભાઇ પટેલ, શારદાબેન પટેલ, જુગલજી ઠાકોર,અને રુત્વીજ પટેલનો
સત્તાવાર ફોટો પણ મુકવામાં આવ્યો હતો, સત્તાવાર કાર્યક્રમ સવારે 9થી 12 વાગ્યાનો હતો, જેમાં નિતીન પટેલે સવારે ઉપસ્થિત રહ્યા હતા,, , જેથી તેઓ હાજરી આપીને આયોજકોને
શુભેચ્છા પાઠવીને નિકળી ગયા હતા, જ્યારે પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ પાછળથી પહોચ્યા હતા, અને સ્કૂલનુ ઉદ્ઘાટન કર્યુ હતું,

Advertisement

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !

કહાની માં ટ્વીસ્ટ ત્યારે શરુ થયો જ્યારે પ્રદેશ ભાજપ તરફથી સત્તાવાર પ્રેસનોટ આપવામાં આવી,,
,તેમાં બાકીના નેતાઓની હાજરીનો ઉલ્લેખ તો કરાયો છે, પણ નિતીન પટેલના નામનો ઉલ્લેખ કરાયો નથી, ત્યારે
નિતીન પટેલના સમર્થકોમાં હવે ગણ ગણાટ શરુ થયો છે,, 2022ના વિધાનસભા ચૂટણીમાં ભાજપ તેમને ટિકીટ આપશે કે નહી તે તો પછીની વાત છે,,પણ અત્યારથી જ જાહેર કાર્યક્રમોમાં તેમની હાજરીનો ઉલ્લેખ ટાળવામાં આવી રહ્યો છે
તે ખુબજ સુચક છે, સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શુ આ પ્રેસનોટમાં નિતિન પટેલનો ઉલ્લેખ જાણી જોઇને ટાળવામાં આવ્યો છે કે શરતચૂક છે,

રાજ્યમા મોટા ભાગે જજોની કરાઇ બદલી-કયા જજ ક્યાં મુકાયા આ રહ્યુ લિસ્ટ

Continue Reading
Advertisement
1 Comment

1 Comment

  1. રાકેશ પંજાબી

    May 8, 2022 at 8:26 pm

    નીતિનભાઈ પટેલ જલ્દી થી રાજકારણ માં થીં સ્વેચ્છાએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સમાજ સેવા આપવા ની જરૂર છે બાકી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કોઈ પણ પાટીદાર નેતા છે એટલે ટીકીટ કોઇ ને પણ નહીં આપે સ્થિતિ સંજોગોમાં રાજકારણ માં આવેલ કોઇ પણ સમાજ નાં ખભે પગ મૂકીને રાજકારણ માં પોતાનું સ્થાન બનાવવા વાળાં નેં જરૂર થી દુર રાખશે ચુંટણી ઓ પહેલાં ચોમેરથી જનતા તરફથી સહયોગ મલે એવાં કામ કાજ કરેલા હોય તેની વાત કરી નેં નવાં ઉમેદવારો મેદાનમાં ઉતારશે કેમ કે હાલમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પરીવાર વાદ નાં દુષણને દુર કરવાનો દેશમાં પ્રયાસો કરી રહ્યા છે અને એનાં માટે ગુજરાત રાજ્ય થી ઉત્તમ કોઈ પ્રયોગશાળા છે જ નહીં હવે જનતા પણ સમજદાર છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ પોતાની પસંદગી પ્રમાણે કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારે શું કર્યું ?

Published

on

સરકારી અનાજની ચોરી કે ગેરરીતી અટકાવવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સ્તરની ખાસ તપાસ દળ (S.I.T) ની રચના કરાઈ

રાજ્યના પુરવઠા વિભાગ હેઠળના ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટના બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ સીટની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.

સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ S.I.T માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ

SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)માં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અધ્યક્ષ તરીકે સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષકશ્રી હશે. તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધીક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડાયરેકટરશ્રી હશે. ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધીક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે બનાવેલી SIT (સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે. તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ થઇ ગયેલી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે સંબંધિત પોલીસ અધીક્ષકને જરૂરી સૂચનો કરશે. આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે.

Advertisement
Continue Reading

Uncategorized

કિસાનો માટે કલ્યાણકારી અને લાંબા ગાળાના લાભો આપનારું બજેટ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Published

on

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત સરકારના વર્ષ 2023-24 ના અંદાજપત્રને ખેડૂતો માટે કલ્યાણકારી અને લાંબાગાળાના લાભો આપનારું અંદાજપત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ માટે કિસાનો પ્રેરિત થાય એવા પ્રયત્નો કરીને, ખેડૂતોની આવક બમણી કરવા સરકારે વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેવાની પ્રતિબદ્ધતા આ અંદાજપત્રમાં વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતા અંદાજપત્ર માટે અભિનંદન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી સંલગ્ન પ્રશિક્ષણ અને કૃષિ, મત્સ્યોદ્યોગના વિસ્તરણ-સંશોધન માટે કાર્યરત ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધન અને માળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 1,153 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે, જે આવકાર્ય છે. આ જોગવાઈથી ખેડૂતોની આવતીકાલ વધુ ઉજ્જવળ બનશે.

ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટીગ્રેશન મિશન- TALIM યોજના પણ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની ફાળવણી કરાઈ છે, જેનાથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા અને દેશી ગાયોની જાળવણી કરવા પ્રોત્સાહિત થશે.

Continue Reading

Uncategorized

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

Published

on

ગુજરાતના પોલીસ સ્ટેશનો બનશે આત્મનિર્ભર !

ગુજરાત સરકારનું ગૃહ વિભાગ હવે વડા પ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારતના સ્વપ્ન ને સાકાર કરવા તરફ વધી રહી છે,, સુત્રોની માનીએ તો ગૃહ વિભાગ ખાસ પ્લાન તૈયાર કરાયો છે, જેની બજેટ સત્રમાં જાહેરાત થઇ શકે છે,

 

ગૃહ વિભાગે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ આગામી સમયમાં રાજ્યના 100થી વધુ નવા પોલીસ સ્ટેશનો બનશે, તે આત્મ નિર્ભર બનશે, જેના માટે ખાસ તૈયારી ગૃહ વિભાગે કરી છે,આ પ્લાનિંગમાં પોલીસ વિભાગ સાથે જન ભાગીદારીથી પોલીસ સ્ટેશનોનું નિર્માણ થશે, એટલુ જ નહી પોલીસ સ્ટેશનના ખર્ચમાં ઘટાડો થાયતે માટે સો થી વધુ પોલીસ સ્ટેશનમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના કારણે વિજ ખર્ચમાં ઘટાડો થશે, આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં મેન્ટનંસનો ખર્ચો ઉઠાવવો ન પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં એટીએમ,બેંક,જેવી જાહેર સુવિધઓ ઉભી કરાશે, જે ગુજરાત સરકારનો પ્રથમ પ્રયોગ હશે, જેનાથી સરકારની તિજોરી ઉપર ભારણ ઘટશે,

 

Advertisement

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.