શું તમે જાણો છો કે કેટલાક ફળો અને શાકભાજીના બીજ પણ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. જો કે, ઘણા લોકો આ બીજ ફેંકી દે છે, પરંતુ હવે કોઈપણ શાકભાજીના બીજ ફેંકતા પહેલા તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તે જાણી લો. આ બીજને ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર, ફેટ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જેના કારણે તેને કોઈપણ ડિશમાં સામેલ કરી શકાય છે. તો ચાલો જાણીએ એવા કયા બીજ છે, જેને તમારે કચરાપેટીમાં ફેંકવાને બદલે તેનો ઉપયોગ કરવો જોઈએ.
કોળાના બીજથી રોગપ્રતિકારક શક્તિ થશે મજબૂત
મોટાભાગના લોકો કોળાના બીજ ફેંકી દેતા હશે, પરંતુ તમને જણાવી દઈએ કે આ બીજ ખૂબ જ ઉપયોગી છે. એવું માનવામાં આવે છે કે તેમાં ચરબી અને વિટામિન્સ ખૂબ સારી માત્રામાં હોય છે. તેથી તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. કોળાના બીજ કાચા ખાઈ શકાય છે, પરંતુ શેકેલા બીજ વધુ સ્વાદિષ્ટ લાગે છે.
પપૈયાના બીજ પણ છે ખૂબ ઉપયોગી
આ સિવાય પપૈયાના બીજ પણ ખૂબ કામના છે. પપૈયાના બીજને ઘણા રોગો માટે શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. આ બીજમાં ઘણા રોગો અને ઓક્સિડેટીવ સ્ટ્રેસના જોખમને રોકવાની ક્ષમતા છે. પપૈયાના બીજમાં ભરપૂર માત્રામાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફીનોલ્સ હોય છે. તમે પપૈયાના બીજને કાચા ખાઈ શકો છો.
આમલીના બીજથી હાર્ટ રહેશે ફિટ
આ સિવાય બહુ ઓછા લોકો જાણતા હશે કે આમલીના બીજ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ બીજ ફક્ત તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ તમારા દાંત માટે પણ ફાયદાકારક છે. આટલું જ નહીં તેને ખાવાથી ઈન્ફેક્શન થવાની શક્યતાઓ પણ ઓછી રહે છે.
નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.