Connect with us

અમદાવાદ

ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતીમાં ક્યાં સામે આવી જુથ બંધી !

Published

on

ચંદ્રકાંત પાટીલની હાજરીમાં અમદાવાદમાં સામે આવી જુથ બંધી

ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ 182 બેઠકો જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે,ત્યારે તેમની મહેનત ઉપર તેમના સ્થાનિક નેતાઓ પાણી ફેરવવા મથામણ કરી રહ્યા છે તેવી ચર્ચાઓ ગુજરાતની રાજનીતિ શરુ થઇ ગઇ છે, સુત્રો કહી રહ્યા છે ટિકિટની લ્હાયમાં સ્થાનિક નેતાઓ એક બીજાના કાર્યક્રમો નિષ્ફળ કેવી રીતે જાય તેવા પ્રયત્નો પર્દાની પાછળ રહીને કરતા જોવા મળી રહ્યા છે, આવી જ એક ઘટના અમદાવાદમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જોવા મળી, જ્યાં ખુદ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત હાજર હોવા છતાં કેટલાક સ્થાનિક કાઉન્સિલર અને હોદ્દેદારોએ આભળ છેટ જેવો વ્યવહાર કર્યો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે,

વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !

અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસના નેતા દિનેશ શર્મા ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડી ભાજપના રંગે રંગાઇ ગયા, આમ તો દિનેશ શર્મા પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન એનએસયુઆઇમાં જોડાઇ, પછી તેઓ યુવા કોગ્રેસ અને કોગ્રેસમાં સક્રીય ભુમિકા ભજવી,પ્રજા માટે તેઓ સતત આદોલનો કરતા રહ્યા,, તેઓ કુબેર નગર ઇન્ડિચાકોલોની અને નરોડા રોડ વોર્ડનો કોર્પોરેટર પણ રહી ચુક્યા છે, તેઓને કોગ્રેસ પક્ષે 2015માં અમદાવાદ મહાનગર પાલિકામાં વિપક્ષના નેતા પણ બનાવ્યા હતા,વર્ષ 2021માં યોજાયેલ મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન તેઓ સરસપુર રખિયાલથી મહાનગર પાલિકાની ચૂંટણી પણ લડવા માંગતા હતા, જો કે બાપુનગરના ધારાસભ્ય હિમ્મત સિહ પટેલે તેમનો વિરોધ કર્યો હોવાનુ સુત્રો કહે છે, જેના પરિણામે તેમને ચાંદખેડા જવુ પડ્યું અને તેમનો પરાજય થયો,  તેઓ વર્ષ 2017માં બાપુનગર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી મજબુત દાવેદાર હતા, જો કે કોંગ્રેસે તેમને ટિકીટ આપી ન હતી, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે શશિકાંત પટેલે રાજીનામું આપ્યા બાદ તેમના અનુગામી તરીકે દિનેશ શર્માનુ નામ ફાઇનલ માનવામાં આવે છે, જો કે તેમના વિરોધી ટોળકીએ  તેમને પ્રમુખ તરીકે બેસવા ના દિધા, જેને પરિણામે આખરે તેઓએ કોંગ્રેસને અલવિદા ફેબ્રુઆરી 2022માં કરી દીધી,,

ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ

Advertisement

તેઓએ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઇ ગયા, અને નિસ્વાર્થ ભાવે તેઓ ભારતિય જનતા પાર્ટીના સંગઠનને મજબુત કરવામાં લાગી ગયા , ભાજપે તેમની કામની કદર કરીને તેમને ખાસ પ્રદેશ કારોબારીમાં સ્થાન આપ્યું.મહત્વની વાત એ છે કે બાપુનગર વિધાનસભા બેઠક 2017માં ભાજપના ઉમેદવાર જગરુપ સિહ રાજપુત કોંગ્રેસના હિમ્મત સિહ પટેલ સામે 3067 મતે હારી ગયા હતા,  ત્યારે આ વખતે ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંતપાટીલ રાજ્યની તમામ બેઠકોનો રાજ્યની તમામ બેઠકો પર કમળ ખિલવવાનો સંકલ્પ છે, જેના ભાગ રુપે તેઓ અનેક કોંગ્રેસી , આપ, એનસીપી સહિત તમામ નેતાઓ જોડીને પક્ષને મજબુત કરી રહ્યા છે,

દાણીલિમડા બેઠક જીતવા ચંદ્રકાંત પાટીલને કોણે આપી સલાહ-પત્ર થયુ વાયરલ

કહેવત છે કે લોઢુ લોઢાને કાપે, એ પધ્ધતિથી ભાજપના નેતાઓ પણ કોંગ્રેસની સામે મુળ કોંગ્રેસી નેતાઓનો ઉપયોગ કરીને કોગ્રેસી વોટ બેંકને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બાપુનગર વિધાનસભા બેઠક માટે જીતવાની નેમ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતિમાં પુર્વ મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા અને હાલ ભાજપના નેતા દિનેશ શર્માએ સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યના બાપુનગરના ઇન્દુલાલ યાજ્ઞિક હોલ પાસે રક્તદાન કેમ્પ અને તિરંગા વિતરણ અને સાડી વિતરણ કાર્યક્રમનુ આયોજન કર્ય હતું, જેમાં તેઓએ બાપુનગર વિધાનસભા તમામ કાઉન્સિલરો અને હોદ્દેદારોને આમંત્રણ આપ્યુ હતું, જેમાં પુર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, પુર્વ ધારાસભ્ય જગરુપ સિહ રાજપુત ગઢડા મંદિરના ઘનશ્યામ દાસ, પુર્વ ડીવાયએસપી તરુણ ભાઇ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,

ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

હવે અસ્સલ કહાની અહીથી શરુ થાય છે, કારણ કે જે લોકોને દિનેશશર્માએ આમંત્રણ આપ્યુ હતુ,સરસપુર વોર્ડમાંથી મહિલા કાઉન્સિલર ભારતી બેન વાણીયા, મજુલાબેન ઠાકોર, બાપુનગર વોર્ડના કાઉન્સિલર સરોજ બેન સોલંકી, જયશ્રી દાસરી પણ ઉપસ્થિત રહ્યા જ્યારે પુરુષ કાઉન્સિલરની વાત કરીએ દિનેશ ભાઇ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મ્યુનિસપલ ભાજપના નેતા ભાસ્કર ભાઇ ભટ્ટની તબીયત સારી ન હોવાથી તેઓ ગેરહાજર રહ્યા,, જ્યારે અન્ય બે કાઉન્સિલર અશ્નિન પેથાણી અને પ્રકાશ ગુર્જર રાધા રમણની ચાલીમાં ધ્વજ વંદનના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી પહોચી શક્યા ન હતા .

Advertisement

સુત્રોની વાત સાચી વાત માનીએ તો બાપુનગર વિધાનસભા બેઠક માટે પ્રકાશ ગુર્જરનુ નામ ફાઇનલ માનવામા આવે છે, જેમાં સૌથી  મોટી આડખીલી બની શકે તો તે દિનેશશર્મા છે, બન્નેનું ગોત્ર કોંગ્રેસી છે, બન્ને પરપ્રાન્તિય છે, પર પ્રાન્તિયોમાં તેમની પકડ છે,  બાપુનગર વિધાનસભા બેઠક માટે બન્ને મજબુત દાવેદારો છે,  બાપુનગર વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં ભાજપે જગરુપ સિહ રાજપુતને ટિકીટ આપી અને જીત્યા,, જો કે 2017માં તેઓ આતંરિક ભાજપમાં દાવાનળના કારણે હાર્યા,ત્યારે ભાજપ આ વખતે આ બેઠક જીતવા માટે તમામ પ્રકારની રણનીતિ અપનાવી રહી છે,   તેવી ચર્ચાઓ અમદાવાદમાં થઇ રહી છે,

આમ જે રીતે આ બન્ને નેતાઓ કાર્યક્રમથી અળગા રહ્યા તે પાર્ટી માટે ચિન્તાનો વિષય છે કારણ  ભુતકાળમાં જે રીતે જગરુપ સિહ રાજપુત સાથે થયુ તેમ ભાજપના અહીના સ્થાનિક ઉમેદવાર સાથે પણ થઇ શકે છે, જેની ચર્ચા સ્થાનિક કાર્યકર્તાઓમાં થઇ  રહી છે,

 

Advertisement

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.