kheda
કપડવંજમાં ભાજપ કોના પર કરશે વિશ્વાસ- પરિવારવાદ જાતિવાદ કે પછી કાર્યકર્તા પર !

કપડવંજમાં ભાજપ કોને આપશે તક !
આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ
ગુજરાતમાં ચૂંટણીને લઇને રાજકીય કાર્યક્રમો શરુ થઇ ગયા છે, ત્યારે અન્ય પક્ષોની જેમ ભાજપ એવા તમામ સીટો ઉપર
મંથન કરી રહી છે, જે જીતવામાં તેને મુશ્કેલી પડી રહી છે,, ત્યારે કંપડવંજ એક એવી જ સીટ છે,,જેના ઉપર ભાજપનુ
પ્રભુત્વ જોવા મળતું નથી,ત્યારે કપડવંજની વાત કરીએ તો 1962થી લઇને 2017 સુધી અહી કોગ્રેસનો વધુ દબદબો જોવા મળે છે,
આ સીટ ઉપર રાજ્યના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલા પણ ઇલેક્શન લડીને જીતી ચુક્યા છે, અને વિરોધ પક્ષના નેતા પણ
બની ચુક્યા છે
ત્યારે કપડવંજ વિધાનસભા સીટનો ઇતિહાસ જોઇએ તો
વર્ષ 1962માં કોગ્રેસના ઉત્સવ પરીખે સ્વતંત્ર પક્ષના ધનવંત લાલ શ્રોફને હરાવ્યા હતા,
1967માં સ્વતંત્ર પક્ષના કે એન દોશીએ કોગ્રેસના ઉત્સવ પરિખને હરાવ્યા હતા
વર્ષ 1972માં નેશનલ કોંગ્રેસ ઓર્ગેનાઇનેશનના બુધાજી ચૌહાણે કોગ્રેસના પુનમ ચંદ પટેલને હરાવ્યા હતા
વર્ષ 1975માં કોગ્રેસના બુધાજી ચૌહાણે ભારતિય જનસંધના વિનોદ ચંદ્ર શાહને હરાવ્યા
વર્ષ 1980માં ઇન્દિરા કોગ્રેસના બુધાજી ચૌહાણે જેએનપી(જેપી) પુનમચંદ્ર પટેલને હરાવ્યા હતા
વર્ષ 1985માં કોગ્રેસના બુધાજી ચૌહાણે જેએનપીના ઝાલા રાયસિહજીને હરાવ્યા
વર્ષ 1990માં કોગ્રેસના રતનસિહ રાઠોડે ભાજપના મણીલાલ પટેલને હરાવ્યા
વર્ષ 1995માં ભાજપના મણીલાલ પટેલે કોગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના બિમલ શાહે કોગ્રેસના બુધાજી ચૌહાણને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના બિમલ શાહે કોગ્રેસના કિશોર સિહ સોલંકીને હરાવ્યા
વર્ષ 2007માં કોગ્રેસના મણીલાલ પટેલે ભાજપના બિમલ શાહને હરાવ્યા
વર્ષ 2012માં કોગ્રેસના શંકર સિહ વાધેલાએ ભાજપના કનુભાઇ ડાભીને હરાવ્યા
વર્ષ 2017માં કોગ્રેસના કાળા ભાઇ ડાભીએ ભાજપને કનુભાઇ ડાભીને હરાવ્યા
કપડવંજના ઐતિહાસિક તથ્યો
ઇતિહાસના આકડા બતાવે છે કે કોંગ્રેસના બુધાજી ચૌહાણે વર્ષ 1972,1975, 1980,1985માં સતત ચાર વખત
વિધાનસભા ચૂટણી જીત મેળવી છે, જે રેકોર્ડ આજ દિન સુધી કોઇ તોડી શક્યુ નથી
વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બની સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો પવન ફુંકાતા
મધ્ય ગુજરાતમાં કપડવંજ બેઠક પરથી ભાજપના મણીલાલ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા
પણ 1998માં ભાજપે ટિકીટના આપતા તેઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો અને 2007માં તેઓ કોંગ્રેસમાંથી
ચૂંટણી લડ્યા અને ભાજપના બિમલ શાહને હરાવ્યા
જ્યારે બિમલ શાહ ભાજપમાં 1998 અને 2002માં જીત્યા કેશુભાઇ પટેલની સરકારમાં વાહન વ્યવહાર
પ્રધાન રહી ચૂક્યા છે તેમણે પણ તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદી કાર્યપધ્ધતિનો વિરોધ કરીને
ભાજપ છોડ્યુ અને કોંગ્રેસમાં જોડાયા હતા, પણ કોંગ્રેસે તેમને ટિકીટ માટે ઠેંગો બતાવ્યો,,તો તેઓએ 2017માં
અપક્ષમાં ચૂંટણી લડ્યા તેમને 46928 મતો મળ્યા,, અને તેઓ ત્રિજા સ્થાને રહ્યા ,,એટલે કે ન તો તેઓ જીત્યા,, ન તો ભાજપને જીતવા દીધુ
હવે કપડવંજમાં ભાજપના દાવેદારોની વાત કરીએ તો
વર્ષ 2012 અને 2017માં કપડવંજ બેઠક પરથી હારી ચૂકેલા કઠલાલના પુર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી પ્રબળ દાવેદાર છે
ખેડા જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ, બંશી લાલ પ્રજાપતિ(પુર્વ કોર્પોરેટર વસ્ત્રાલ)
કપડવંજ તાલુકા ભાજપના પ્રમુખ કિરણ સિહ ડાભી
કંપડવંજ તાલુકા ભાજપના મહામંત્રી અલ્પેશ ઝાલા
કઠલાલ એપીએમસીના ચેરમેન હસમુખ પરમાર
કપંડવંજ એપીએમસીના ચેરમેન નિલેશ પટેલ- પુર્વ ધારાસભ્ય મણિલાલ પટેલના પુત્ર,
ખેડા જીલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેન જીતેન્દ્ર સિહ ચૌહાણ
કાણીયલ ગામના સરપંચ ચિમન લાલ સોઢા
મુડેલ ગામના સરપંચ દિપક ડાભી
ભાટેરા ગામના સરપંચ રાજુ ભાઇ પટેલ
વિશ્વ હિન્દુ પરિષદના નેતા સ્નેહલ સિહ સોલંકી
કપડવંજ વિધાનસભા બેઠક માટે બે વખત જીતી ચુકેલા પુર્વ ધારાસભ્ય મણિલાલ પટેલના પુત્ર નિલેશ પટેલ પણ આ બેઠક માટે દાવેદાર છે, તેઓ હાલ કપડવંજ એપીએમસીના ચેરમેન છે, પણ તમને જણાવી દઇએ કે મણિલાલ પટેલને
કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોમાંથી ચૂંટણી લડવાનો અનુભવ છે, જ્યારે પુર્વ ધારાસભ્ય કનુભાઇ ડાભી કઠલાલ વિધાનસભાની પેટા ચૂટણીમાં જીત્યા હતા, 2017માં કનુભાઇ ચૂટણી હારી ગયા હતા, તેઓ પણ આ બેઠક માટે દાવેદાર છે, નવા સિમાંકન બાદ આ બેઠક2012થી ભાજપ જીતી શક્યુ નથી, ત્યારે આ વખતે કપડવંજમાં કોંગ્રેસ પાસે રહેલ બેઠકને આંચકી લેવા માટે કોણ કેટલો મજબુત છે એ ચકાસીને જ ભાજપ ઉમેદવારોની પસંદગી કરશે, ત્યારે જોવાનુ એ છેકે
ભાજપ પુર્વ ધારાસભ્ય મણિલાલ પટેલના વારસદાર પર ભરોસો કરશે કે કાર્યકર્તા પણ ભરોસો કરશે,
આમ તો કપડવંજ વિધાનસભા સીટ એ કોગ્રેસની સીટ માનવામાં આવે છે, છતાં જે રીતે ત્રણ વખત અહી ભાજપ કબ્જો જમાવી ચુકી છે,
તે સિવાય આ વખતે ભાજપ તરફી માહોલ બની રહ્યુ છે,પરિણામે સંખ્યા દાવેદારો આતંરિક તૈયારી કરી રહ્યા છે, અને ટિકિટ માટે
યોગ્ય ગોડ ફાઘરની શોધ કરી રહ્યા છે,, છતાં અંતે ફેસલો તો વડા પ્રધાન નરેદ્રમોદી અને અમિત શાહ કરશે,
ગુજરાત હાઇકોર્ટ નું કોણ બન્યું આસામ હાઇકોર્ટ માં મુખ્ય ન્યાયાધીશ
kheda
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દરિદ્ર નારાયણોને ધાબળાનું કરાયું વિતરણ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકતી ઠંડીમાં ફૂટપાથ પર રાતવાસો કરતાં દરિદ્ર નારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ, વિદ્યાનગર, બાકરોલ, પેટલાદના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ તથા જાહેર રોડ પર સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહનો સંદેશ આપ્યો છે. વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન, તેમજ જરૂરિયાતની વસ્તુઓની વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિ:શુલ્ક હોસ્પિટલ કે જેમાં કેશ કાઉન્ટર જ નથી. અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા અપાય છે. વડતાલ પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદમહારાજના આશીર્વાદ સાથે તથા વડતાલ સંસ્થાના ચેરમેન પૂજ્ય દેવ પ્રકાશ સ્વામીની પ્રેરણાથી ચાલુ વર્ષ હાલતમાં કડકડતી ઠંડીમાં મકાન વિહોણા દરિદ્ર નારાયણો જે રેલવે કે બસ સ્ટેન્ડના પર રાતવાસો ગુજારે છે. તેવા લોકો માટે આણંદના અને હાલ યુએસએ રહેતા વિઠ્ઠલભાઈ શીવાભાઈ પટેલ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૧૦ મીની રાત્રિના વડતાલ મંદિરના સંતો તથા કાર્યકરો દ્વારા આણંદ બાકરોલ વિદ્યાનગર તથા પેટલાદ અને ચરોતરના અન્ય ગામડાઓમાં ૨૦૦૦ થી વધુ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. ફૂટપાથ પર રાતવાસો ગુજારતા દરિદ્ર નારાયણોને સંતો દ્વારા ધાબળા ઓઢાડવામાં આવતા તેઓ આનંદની લાગણી સાથે ભાવવિભોર થઈ ગયા હતા.આ સંપૂર્ણ સેવા વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી .
kheda
બી એસ એફ નો જવાન શહીદ

બી એસ એફ માં ફરજ બજાવતા મેલાજી વાઘેલા ફરજ દરમ્યાન શહીદ થઇ ગયા છે તેઓ મૂળ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા ના ચકલાસી ગામના હતા,તેઓની અંતિમ યાત્રા 25 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે નીકળનાર છે.
જેને લઇ નિવૃત પેરા મિલેટ્રી ફોર્સના ગુજરાતના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું કે મેલાજી વાઘેલાના જવાથી તેમના પરિવારને બહુ મોટી ખોટ પડી છે.જે ક્યારેય ભરી નહીં શકાય .પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
kheda
વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા , આચાર્ય મહારાજ અને વડિલ સંતોના હસ્તે પ્રસ્થાપિત કરાઈ

વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા , આચાર્ય મહારાજ અને વડિલ સંતોના હસ્તે પ્રસ્થાપિત કરાઈ
આપણા જીવનકાળમાં આ કાર્ય થઈ રહ્યું છે તે આપણુ સૌભાગ્ય છે અવુ કહીને દાતાઓ અને કાર્યકર્તાઓને બિરદાવીને આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે શિલાપૂજન કર્યુ . આજરોજ રૂપિયા બસો કરોડના ખર્ચ નિર્માણ થનાર અલૌકીક અક્ષરભુવનના પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી. ચુનો રેતી કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ સાથે પાયામાં ત્રણ ફુટનું એક મજબૂત લેયર તૈયાર કરવામાં આવ્યું છે , ત્યારબાદ કાર્તકી સમૈયાની સમાપ્તિ અને ચંદ્ર ગ્રહણની પૂર્ણાહુતિ પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી અને તા ૯-૧૧-૨૨ના રોજ પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી . આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ , જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી , મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , નૌતમ સ્વામી – બાપુ સ્વામી , ગોવિંદ સ્વામી – મેતપુરવાળા, બાલમુકુંદ સ્વામી – સરધાર વગેરે સંતો , મહેન્દ્રભાઈ વગેરે ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે શિલાપૂજન કરવામાં આવેલું . મંદિરના પુરોહિત ધીરેન મહારાજે પૂજાવિધિ કરાવી .શ્યામ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા કરી હતી અને આર્કીટેક ચિરાગ , પ્રોજેકટ ઈનેચાર્જ ચિંતન પટેલ , સ્ટ્રક્ચર ડીજાઈનર સ્નેહલ પટેલ કેનેડા વગેરે ટીમના સભ્યોએ પણ સારો સહયોગ આપ્યો હતો. પૂજન પૂર્વે જ્ઞાનજીવન સ્વામીએ આ મ્યુજીયમના માધ્યમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન અને સંદેશ વિશ્વ વ્યાપી બને , એવી ભાવના વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ કાર્ય કોણ કરી રહ્યું છે તેના કરતા કેવુ સારૂ થઈ રહ્યું છે , આ ભાવના અતિશય મહત્વની છે. અંતમાં આચાર્ય મહારાજે આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે, આપણા સમયમાં આ કાર્ય થઈ રહ્યું છે , તે આપણું સૌભાગ્ય છે. આપણે તમ મન ધનથી યથાશક્તિ સહયોગ કરીશું . આ પ્રસંગે ભાર્ગવ રાવ પૂર્વ ટ્રસ્ટી , ભાવેશ પટેલ ન્યુયોર્ક , યોગેશ પટેલ શીકાગો , ભુપેન્દ્ર પટેલ ભરૂચ વગેરે અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ