ધ કપિલ શર્મા શોને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ધ કપિલ શર્મા શો ટૂંક સમયમાં બંધ થવાનો છે. આવી સ્થિતિમાં એવું કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે તેના કારણે હવે દર્શકોને દર અઠવાડિયે હાસ્યનો ડોઝ નહીં મળે.
ટીવી પર સૌથી વધુ પસંદ કરવામાં આવતા શોમાંથી એક કપિલ શર્મા છે. આ શોમાં દર અઠવાડિયે જાણીતા સ્ટાર્સ મહેમાન તરીકે આવે છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરવામાં આવી છે. જોકે કપિલ શર્માની એક પોસ્ટે શો બંધ થવાની ચર્ચાઓ ચાલી રહી છે.
હકિકતમાં, સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરીને કપિલ શર્માએ યુએસ-કેનેડા ટૂર વિશે જણાવ્યું છે. કપિલ શર્માએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે વર્ષ 2022માં યુએસ-કેનેડા ટૂર વિશે જાહેરાત કરતા મને ખૂબ જ આનંદ થાય છે. જલ્દી મળીશું મિત્રો.
આ પ્રવાસ 11 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. કપિલ શર્માની આ પોસ્ટ સામે આવતા જ લોકો અનુમાન લગાવવા લાગ્યા કે હવે શો થોડા સમય માટે બંધ થઈ જશે. જોકે ફરીથી નવી સિઝન સાથે શો પાછો ફરશે. કપિલ ઉપરાંત કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને અર્ચના પુરણ સિંહ ધ કપિલ શર્મા શોમાં લોકોનું મનોરંજન કરતા જોવા મળે છે.