Connect with us

અમદાવાદ

આટલું કરશો તો ભાજપમાં તમારી ટીકીટ થઇ જશે પાકી !

Published

on

આટલું કરશો તો ભાજપમાં તમારી ટીકીટ થઇ જશે પાકી

કોઇ પણ રાજકીય પક્ષનું ટીકીટ મેળવવા અને જીતવા માટે કહેવાય છે કે ચર્ચા, ખર્ચા અને પર્ચાની જરુર છે,,
ત્યારે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં ચૂંટણીને લઇને અનેક તર્ક વિતર્ક ચાલી રહી છે,,મોટા ભાગે ગુજરાતમાં
ભાજપ જીતશે તેવી ભાજપી કાર્યકર્તાઓની અપેક્ષા છે,તો ઉમેદવારોની સંખ્યા પણ બહોળી છે, તો
ઉમેદવારોને ટીકીટ કેવી રીતે મળી શકે તેના માટે શામ દામ દંડ ભેદની નિતીઓ અપનાવતા હોય છે,
ત્યારે જોઇએ કાર્યકર્તાઓ શુ કરે કે તેમને સ્યોર ટીકીટ મળે,,

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

ટિકીટ મેળવવાનો પ્રથમ પગથિયું એટલે સારો બાયોડેટા

Advertisement

ટિકીટ મેળવવા માટે સૌથી પહેલા બાયોડેટા તૈયાર કરવાનો હોય છે,
બાયોડેટામાં પાર્ટી ક્યારે જોઇન કરી
અભ્યાસ કેટલુ છે,
પાર્ટી વિવિધ જવાબદારીઓ
પરિવારમાં કોઇ વ્યક્તિ રાજકીય ગતિવિધીઓ સાથે જોડાયેલા હોય તો તેનો ઉલ્લેખ
સંઘ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા હોય તો તેની વિગતો
સંઘ શિક્ષાવર્ગ કર્યુ હોય તો તેની માહિતી
સમાજિક અને ધાર્મિક સંગઠન સાથે જોડાયેલા હોય તો તેની વિગતો
સરકાર તરફથી કોઇ જવાબદારી મળી હોય, જેમ કે બોર્ડ નિગમ વિગેરે
સોશિયલ મિડીયામાં કેવી એક્ટીવીટી રહી છે,
એનજીઓ ચલાવતા હોય, સહકારી મંડળી ચલાવતા હોય તેની વિગતો આપવાની રહેશે,

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

ટિકીટ આપવા માટે ભાજપની વ્યવસ્થા

પ્રદેશ ભાજપ દ્વારા પહેલા નિરીક્ષકો નિમણુક કરાય છે,
આ નિરક્ષકો પાસે જઇને બાયોડેટા જમા કરાવવાનુ હોય છે, અપેક્ષિત કાર્યકર્તાઓ તેમનો મત મહત્વનુ હોય છે
ત્યારે તેવા કાર્યકર્તાઓ તમારા ફેવર કરતા હોવા જોઇએ

પ્રદેશના નિરીક્ષકો શહેર- જિલ્લાના સંકલન સમિતી સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ
સમક્ષ પોતોનો અહેવાલ વિધાનસભા બેઠક પ્રમાણે રિપોર્ટ મુકતા હોય છે,

Advertisement

જેના આધારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નામોની પેનલ તૈયાર કરીને કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી દે છે,,

સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ ફાઇનલ નામો ઉપર મોહર મારતો હોય છે,

પાલનપુરમાં ભાજપના જુનાજોગીઓ અને નવા કાર્યકર્તાઓ વચ્ચે જામશે જંગ !

પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ છે નામો

બીજેપી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની વાત કરીએ તો તેમાં
ચંદ્રકાંત પાટીલ, ભુપેન્દ્ર પટેલ, પરસોત્તમ રુપાલા, વિજય રુપાણી, નિતિન પટેલ, આર સી ફળદુ,સુરેન્દ્ર પટેલ, ભુપેન્દ્ર સિહ ચુડાસ્મા
રત્નાકર, જસવંત ભાભોર, રાજેશ ચુડાસ્મા, કાનાજી ઠાકોર, કિરીટ સોલંકી, અને દિપીકા બેન સરડવા સભ્ય છે,,

Advertisement

કલોલમાં કયા બળીયાને મેદાનમાં ઉતારશે ભાજપ !

બીજેપીની સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં આ છે નામો

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

Advertisement

કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી

કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિહ

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિહ ચૌહાણ

ભાજપના રાષ્ટ્રિય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ

આ લોકો જ કોને ટીકીટ આપવી તે અંગે આખરી નિર્ણય કરતા હોય છે,

Advertisement

આમ આ ભાજપની આદર્શ સ્થિતિ છે,

પિંક બીકીનીમાં આલીયાનો હોટ અંદાજ


આદર્શ સ્થિતિ સિવાય વ્યક્તિગંત સંબધો તમને આપવશે ટિકીટ

આમ તો ભાજપમાં ટિકીટ માટે બુથ લેવલથી લઇને કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ સુધી વ્યવસ્થા છે, પણ ઘણી વખત સ્કાય લેબ ઉમેદવારોને પણ ટિકીટ મળતી હોય છે
એટલે કે બિગ બોસના સિરિયલની જેમ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થતી હોય છે..ત્યારે ઘણાને થાય છે કે આ કેવી રીતે શક્ય બન્યુ,, તો આવી કન્ડીશનમાં
ઉમેદવારનુ વ્યક્તિ સંબધ,પ્રતિભા,આર્થિક તાકાત, સંતો અને ઉદ્યોગપતિઓ સાથેના સબંધો કામ કરી જતા હોય છે,

ફિલ્મી એક્ટ્રેશ ફ્લોરાનો બિન્દાસ્ત અંદાજ

ગુજરાતીમાં એક કહેવત છે કે ઓળખાણ એ સૌથી મોટી ખાણ છે, ગમે તેવુ અઘરુ કામ પણ ઓળખાણના માધ્યમથી થઇ શકે છે, પણ રાજનિતીમાં ઓળખાણ તો જોઇએ
સાથે લક્ષ્મીનારાણય દેવની કૃપા અનિવાર્ય છે, જેથી ટિકીટવાંચ્છુઓએ એ વાત યાદ રાખવાની છે કે સ્થાનિક કાર્યકર્તાઓથી લઇને કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ
સુધીના નેતાઓની શુભેચ્છા જરુરી છે, એ શુભેચ્છા તમે કઇ રીતે હાંસલ કરવા માટે તેમના મિત્રો, સગા સંબધીઓને ખુશ રાખવા માટે શામ અને દામ અજમાવવાની જરુર પડશે
જેના માટે તમારે તૈયારી રાખવી પડશે,

Advertisement

સારા અલી ખાનનો શાનદાર અંદાજ

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.