અમદાવાદ
વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !

વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !
યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલ ગુજરાતમાં થયા સક્રીય
પટેલની હાજરીથી તેમના સમર્થકોમાં જોશ તો તેમના વિરોધીઓના ઉડ્યા હોશ
ઉત્તર પ્રદેશમાં ભાજપની ધમાકેદાર જીતથી ભાજપમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલની હાજરી ગુજરાતમાં આંખે ઉડીને
વળગે તેવી જોવા મળી રહી છે, ક્યારેક સુરત તો ક્યારેક અમદાવાદમાં તેમના માટે યોજાતા જાહેર કાર્યક્રમો હવે રાજકીય ચર્ચાનો વિષય
બન્યો છે,, ત્યારે સુત્રો કહે છેકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ વહેચણીમાં આનંદી બેન પટેલનો મોટો રોલ રહે તેવી સંભાવના છે
પરિણામે તેમના સમર્થકોમાં જોશ જોવા મળે છે,,
આનંદી બેન પટેલની મહિલા નેતા તરીકે ભાજપમાં વર્તાતી ખોટ
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં અનેક કાર્યક્રમોની વણઝાર જોવા મળી રહી છે,
અમદાવાદ અને સુરતમાં તેઓ જાહેર કાર્યક્રમોમાં સતત હાજરી આપી રહ્યા છે,,સુત્રોની માનીએ તો
આ કાર્યક્રમ ભલે બિન રાજકીય કે સરકારી હોય પણ ઉદ્દેશ્ય સંપુર્ણ રાજકીય હોવાનુ માનવામાં આવે છે
અમદાવાદમાં યોજાયેલા સ્માર્ટ સ્કુલના લોકાર્પણ કાર્યક્રમ તેમના વિશ્વાસુ મનાતા સ્કૂલ બોર્ડના ચેરમેન ડો સુજય મહેતાએ શિલજમાં ગોઠવ્યું હતું
8માર્ચે યોજાયેલા આતરરાષ્ટ્રિય મહિલા દિવસનુ કાર્યક્રમ ટાગોર હોલમાં કાર્યક્રમ પણ યોજાયુ હતું
એવી રીતે સુરતમાં પણ મેડિકલ કોલેજના કાર્યક્રમમાં તેમની હાજરી સુચક માનવામાં આવતી હતી
તે સિવાય પણ ભાજપ પાસે અત્યારે ગુજરાતમાં આનંદી બેન પટેલ જેવા પાટીદાર મહિલા નેતાની ખોટ સાલી રહી છે
તેની ભરપાઇ રાજકીય રીતે કરવી મુશ્કેલ છે, અને એટલે પણ તેમના કાર્યક્રમોના માધ્યમથી પક્ષ તેમની પ્રતિભાનો ઉપયોગ કરવા માંગે છે
કારણ કે આજે પણ ભાજપ પાસે ગુજરાતમાં એવી કોઇ મહિલા નેતા નથી,
આનંદી બેન પટેલની સક્રીયતા વધી
આમ તો ગુજરાત તેમનુ પોતાનુ ગૃહ રાજ્ય છે, તેમના માટે કાર્યક્રમો યોજાય તે સ્વાભાવિક છે,
પણ જ્યારથી તેઓ ગુજરાત છોડીને પહેલા મધ્ય પ્રદેશ અને પછી યુપી ગયા હતા, તેમના
સમર્થકોને લાગતુ હતુ કે ગુજરાતમાં તેમની સાથે રાજકીય અન્યાય થઇ રહયા હોવાનો અહેસાસ થતો હતો
મહત્વની વાત એ છે કે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના વિશ્વાસુ ગણાતા વિજય રુપાણીની મુખ્ય પ્રધાન પદેથી
વિદાય બાદ ગુજરાતમાં પુર્વ મુખ્ય પ્રધાન યુપીના રાજ્યપાલ એવા આનંદી બેન પટેલના અંગત વિશ્વાસુ સાથી એવા ભુપેન્દ્ર પટેલની
ગુજરાતની ગાદી પર તાજપોશી બાદ તેમની ગુજરાતમાં સક્રીયતા વધી છે
તેમાય હવે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ટીકીટોની વહેચણીમાં તેમના
સમર્થકોને અન્યાય ન થાય તેને લઇને તેમના ટેકેદારોએ ગુજરાતમાં કાર્યક્રમો આયોજન શરુ કરી દીધો છે
સરકારી અને બિન રાજકીય કાર્યક્રમોના નામે આનંદી બેન પટેલને મહત્તમ કાર્યક્રમોમાં બોલાવવામાં
આવી રહ્યા છે,જેથી તેનો લાભ રાજકીય રીતે તેમના સમર્થકોને મળી શકે,,
અમદાવાદ નગર પ્રાથમિક સમિતિના ચેરમેન ડો સુજય મહેતા યુપીના રાજ્યપાલ આનંદી બેન પટેલની દિકરી
અનાર પટેલના અંગત વિશ્વાસુ માનવામાં આવે છે, તેઓને ચેરમેન બનાવવામાં પણ આનંદી બેન પટેલની મહત્વની
ભુમિકા રહી હોવાનુ માનવામાં આવે છે, કારણ કે અમદાવાદ મહાનગર પાલિકાના પ્રભારી ધર્મેન્દ્ર શાહ
તેમના અંગત વિશ્વાસુ વિપુલ સેવકને ચેરમેન બનાવવા માંગતા હતા, જો કે તેમનુ ચાલ્યુ ન હતુ, અને અંતે આનંદી બેન પટેલનુ ધાર્યુ
થયુ હતું, હવે ડો. સુજય મહેતાનુ મિશન એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ગાંધીનગર પહોચવાનું છે
આચાર્ય સંઘના જય પ્રકાશ પટેલ સામે માધ્યમિક શિક્ષક સંઘે બાંયો ચઢાવી !
એેએમસીના સ્ટેન્ડિંગ કમિટીના પુર્વ ચેરમેન પ્રવિણ પટેલ પણ આનંદી બેન પટેલ વિશ્વાસુ સાથી ગણાય છે
તેઓ પણ દરિયાપુર શાહપુર વિધાનસભા બેઠક માટે મજબુત દાવેદાર માનવામાં આવે છે,,
ભુતકાળમાં તેમને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન બનાવવામાં તેમનો મહત્વનો રોલ રહ્યો હતો,
અમદાવાદ શહેરના પુર્વ મેયર મિનાક્ષી બેન પટેલ પણ આનંદી બેન પટેલના રાઇટ હેન્ડ માનવામાં આવે છે
તેઓ પણ વેજલપુર વિધાનસભા બેઠક માટે એડિ ચોટીનું જોર લગાવી રહ્યા છે,,મહત્વની વાત એ છે કે
તત્કાલિન સમયે પાલડી વોર્ડના કોર્પોરેટર બિજલ પટેલ મેયર પદ માટે સિનિયર હોવા ઉપરાંત સુરેન્દ્ર કાકાની નજીક હોવા છતાં
મેયરની સીટથી વંચિત રહ્યા હતા, અને પ્રથમ વખત ચૂંટાયેલા એવા મિનાક્ષી બેન પટેલને આનંદી બેન પટેલના આશિર્વાદ સાંપડતા
મેયરના પદ સુધી પહોચ્યા હતા
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
શ્રમયોગી કલ્યાણ બોર્ડના પુર્વ ચેરમેન ડો અનિલ પટેલ પણ આનંદી બેન પટેલના ગુડ બુકમાં માનવામાં આવે છે,,
તેઓ નારાણપુરા, એલિસબ્રિજ,ધાટલોડિયા અને દરિયાપુર,શાહપુર જેવી વિધાનસભા બેઠકથી નસીબ આજમાવવા તૈયાર હોવાનુ
સુત્રો કહે છે, આનંદી બેન પટેલ જ્યાંથી પણ ટિકીટ અપાવશે ત્યાંથી તેઓ ઇલેક્શન લડી લેશે,
એએમસીના સ્ટેન્ડિગ કમિટીના પુર્વ ચેરમેન મધુબેન પટેલ પણ આનંદી બેન પટેલની કિચન કેબીનેટના માનવામાં આવે છે,,
તેઓ પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ પણ રહી ચુક્યા છે,,તેઓ નિકોલ વિધાનસભા બેઠક પરથી પોતાનુ નસીબ અજમાવવા
માટે આતુર હોવાનુ સુત્રો કહી રહ્યા છે જો કે અત્યારે આ બેઠક પર અમિત શાહના વિશ્વાસુ મનાતા ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ
ધારાસભ્ય છે,
પ્રદેશ ભાજપના પુર્વ મહામંત્રી અને એસટી વિભાગના પુર્વ ડીરેક્ટર કે સી પટેલ પણ આનંદી બેન પટેલના કોર ગ્રુપના માનવામાં આવે છે
ત્યારે તેઓ પણ પાટણ વિધાનસભા બેઠક પરથી ગાંધીનગર પહોચવા માંગે છે, મહત્વની વાત તો એ છે કે આનંદી બેન પટેલ
અમદાવાદ જિલ્લાની માંડલ વિધાનસભા બેઠક છોડીને પાટણ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા ગયા ત્યારે
કાંતિ ભાઇ પટેલ તેમની ચૂટણીનું મેનજમેન્ટ કરતા હતા,
મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ પણ આનંદી બેન પટેલના વિશ્વાસુ મનાય છે,,ત્યારે તેમને મણિનગર થી નરેન્દ્રમોદીના
અનુગામી બનાવવામાં પણ આનંદી બેન પટેલની ભુમિકા મહત્વની રહી હતી,,ત્યારે તેઓ પણ મણિનગરથી ફરી વખત ટીકીટ મળે
તેવા પ્રયત્નો કરી રહ્યા છે,
પુર્વ શિક્ષણ પ્રધાન વસુબેન ત્રિવેદી પણ જામનગરથી ટીકીટવાચ્છુઓની લાઇનમાં છે,ત્યારે તેઓ પણ આનંદી બેન પટેલના
નજીક માનવામાં આવે છે
ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
ચાણસ્મા વિધાનસભા બેઠક માટે નંદા જી ઠાકોર પણ મહેનત કરી રહ્યાછે, તેઓ પણ આનંદી બેન પટેલની નજીક માનવામાં આવે છે,
સુરતના મેયર હેમાલી બોધાવાલા પણ આનંદી બેન પટેલના ખાસ ગણાય છે,,ત્યારે તેઓ પણ સુરતથી પોતાનું નસીબ આજમાવી ગાંધીનગર
આવવા માંગે છે,
પણ આ તમામ વચ્ચે મહત્વની વાત એ છે કે આનંદી બેન પટેલની સામે કેન્દ્રિય પ્રધાન અમિત શાહની સક્રીયતા પણ વધી છે,,
તેમના સરકારી અને રાજકીય કાર્યક્રમો સતત ગોઠવાઇ રહ્યા છે, જેથી લાગે છે કે આગામી દિવસોમાં ટિકીટોની વહેચણીને લઇને
બન્નેના સમર્થકો વચ્ચે ભારે ખેચતાણ થઇ શકે છે,,જો કે આખરી નિર્ણય વડા પ્રધાન નરેન્દ્રમોદીને લેવાનો છે,
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ