By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ
અમદાવાદગુજરાત

અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ

Web Editor Panchat
Last updated: July 2, 2022 7:34 pm
Web Editor Panchat Published July 2, 2022
Share
SHARE

અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ

 

 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3-4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે.

અરવિંદ કેજરીવાલ જી 4 જુલાઈએ વીજળી મુદ્દે ટાઉન હોલ કાર્યક્રમમાં હાજરી આપશે: ઇસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલ જી દિલ્હી નું ફ્રી વીજળી મોડલ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરશે: ઇસુદાન ગઢવી

ગુજરાત સંગઠનના નવનિયુક્ત 7500 પદાધિકારીઓને અરવિંદ કેજરીવાલ શપથ લેવડાવશેઃ ઇસુદાન ગઢવી

ભાજપ મફત વીજળી નો વિરોધ કરે તો હું સી.આર. પાટીલ અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે સૌ પ્રથમ તેઓ પોતે મફત વીજળી લેવાનું બંધ કરેઃ ઇસુદાન ગઢવી

 

કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ

અમદાવાદ-ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ મહત્વના મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ જી ગુજરાત રાજ્યના બીજા સૌથી મોટા સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવવા માટે ગુજરાત આવી રહ્યા છે. જેમાં હાલમાં 6000 થી વધુ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ પહેલા 1500 લોકોનું સંગઠન જારી કરવામાં આવ્યું હતું.

આવતીકાલે બપોરે 2:00 કલાકે અરવિંદ કેજરીવાલ જી અમદાવાદ પહોંચશે. ત્યારબાદ નવનિયુક્ત પદાધિકારીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી તમામ હોદ્દેદારોને શપથ લેવડાવશે. આ કાર્યક્રમ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટમાં કરવામાં આવશે. ગુજરાતની જનતા ની સારી સેવા કરવી જોઈએ, આવનારી ચૂંટણીમાં પક્ષ ને મજબૂત સ્થિતિમાં મૂકવો જોઈએ અને પોતાના પદ ની તમામ જવાબદારીઓ નિભાવવી જોઈએ, આ તમામ બાબતો માટે શપથ લેવડાવવામાં આવશે.

 

કોંગ્રેસના કયા નેતાઓ ભાજપ સાથે મળીને સાધી રહ્યા છે વ્યકિતગત સ્વાર્થ- કોણે લગાવ્યા આરોપ

બધા જાણે છે કે, આમ આદમી પાર્ટીનું છેલ્લા મહિનાથી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતની જનતા રોજેરોજ સરકારના જુદા જુદા ટેક્સ અને મોંઘવારીના માર નો સામનો કરી રહી છે. ભ્રષ્ટ ભાજપ સરકાર અલગ-અલગ આવશ્યક ચીજવસ્તુઓ પર છૂપી રીતે ટેક્સ વધારી દે છે, જેના કારણે જનતા ભારે પરેશાન થઈ ગઈ છે. સખત મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળવી જોઈએ, તેના કારણે આમ આદમી પાર્ટી એ ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કર્યું છે.

જેમાં અમારો મુદ્દો છે કે જો દિલ્હી અને પંજાબની જનતાને મફત વીજળી મળી શકે છે તો ભ્રષ્ટ ભાજપ સરકાર ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી આપી રહી? આ આંદોલનમાં અમે લાખો ફોર્મ ભર્યા છે જેમાં મફત વીજળી અંગે જનતાના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે. જે ફોર્મ ભરાયા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતની જનતા પણ મફત વીજળીની માંગ કરી રહી છે.

 

કોંગ્રેસ પક્ષમાંથી મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહ આમ આદમી પાર્ટીમાં જોડાયાઃ ઇસુદાન ગઢવી

આ આંદોલનને આગળ લઈ જતા 4 જુલાઈના રોજ વીજળીના મુદ્દે ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર માં યોજાશે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોરે 11:00 થી 1:00 વાગ્યા સુધી હાજર રહેશે. આ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે.

આ સાથે ગુજરાતને લગતી જે પણ મહત્વની સમસ્યા છે, પછી તે આદિવાસી સમાજની સમસ્યા હોય, ગરીબ અને વંચિત લોકોની સમસ્યા હોય કે ખેડૂતોની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓ પર અરવિંદજી સાથે મહત્વપૂર્ણ વાતચીત થશે.

આમ આદમી પાર્ટી નો સવાલ છે કે જો દિલ્હીમાં અન્ય રાજ્યોમાંથી વીજળી ખરીદીને દિલ્હીની જનતા ને મફતમાં વીજળી આપી શકાતી હોય તો આટલી મોટી માત્રામાં વીજળી ઉત્પન્ન કરનાર ગુજરાતના લોકોને તેનો લાભ કેમ મળી શકતો નથી? ગુજરાતની જનતાને મફત વીજળી કેમ નથી મળતી? ભાજપના નેતાઓ એવી ભ્રામક વાતો ફેલાવે છે કે અમને મફત વીજળી નથી જોઈતી, પરંતુ જનતાને મફત વીજળી જોઈએ છે. જનતાને ચૂકવવામાં આવતા ટેક્સમાંથી જનતાને મફત વીજળી આપવામાં આવે છે.

ગુજરાતના કયા ગામડામાં મુસલમાન ફેરિયાથી વસ્તુ ન લેવાનો થયો ફરમાન !

જ્યારે ભાજપના નેતાઓ કહે છે કે લોકોને મફત વીજળીની જરૂર નથી, તો હું તેમને એટલું જ કહેવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલ જી એ દિલ્હીમાં આ વાત વ્યક્ત કરી છે કે જે લોકો મફત વીજળી લેવા માંગતા નથી, તેમણે સરકારને લેખિતમાં જણાવવું જોઈએ. અમને વીજળી જોઈતી નથી, તો હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે ભાજપના દરેક નેતાએ દિલ્હી અને પંજાબમાં મફત વીજળી નો લાભ ન ​​લેવો જોઈએ. જો ભાજપના લોકો આ મફત વીજળી નો લાભ નહીં લે તો ગરીબ અને મધ્યમ વર્ગને હજી વધારે મફત વીજળી નો લાભ આપી શકીશું. આમ આદમી પાર્ટી ગરીબ, મજૂર, કામદારો અને મધ્યમ વર્ગની પાર્ટી છે અને હંમેશા તેમની સુવિધા માટે તેમના સુખાકારી માટે કામ કરે છે.

હું સી.આર. પાટીલ જી ને પણ વિનંતી કરું છું કે સૌ પ્રથમ તેઓ પોતે મફત વીજળી લેવાનું બંધ કરે અને મુખ્યમંત્રીએ પણ મફત વીજળી લેવાનું બંધ કરવું જોઈએ. જો તમને મફત વીજળી થી એટલી જ તકલીફ હોય, તો તમેં પોતે વીજળી ખરીદો અને તેનો ઉપયોગ કરો. અને ગુજરાત ભાજપના તમામ નેતાઓ જે મફત વીજળીના વિરોધમાં છે તેઓ પણ મફત વીજળી લેવાનું બંધ કરે અને પોતાના ઘરની બહાર બોર્ડ લગાવે કે અમને મફત વીજળી જોઈતી નથી તો ગરીબોને વીજળી આપી શકાય.

જ્યાં સુધી મફત વીજળી નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન ચાલુ રહેશે. અત્યારે ભાજપની સરકાર છે, પરંતુ આવનારા સમયમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે પણ આપણા માટે સૌથી મહત્વનો મુદ્દો હશે કે લોકોને મફત વીજળી આપવી જોઈએ. અમે હંમેશા લોકોના મુદ્દા ઉઠાવીએ છીએ કારણ કે અમે લોકો નું દુઃખ જોઈને રાજકારણમાં આવ્યા છીએ.

You Might Also Like

મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર

‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ના અધ્યક્ષ તરીકે માત્ર આદિવાસીની જ નિમણૂક કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તા. ૪થી સપ્ટેમ્બર, રવિવારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ભવ્ય સમારોહમાં ૩૬ મી નેશનલ ગેઈમ્સનો મૅસ્કોટ અને ઍન્થમ લૉન્ચ કરશે

જે દિવસે મારે ત્યાં એકપણ નર્મદા પરિક્રમાવાસી ખિચડી ના ખાય તે દિવસે મને ખાવાનું ના ભાવે…

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

TAGGED:AAParvind kejriowalelection2022gujaratkejariwal
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?