Connect with us

અમદાવાદ

કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર લાગેલા બળાત્કારના આરોપો મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરુ-પીએમઓએ લીધી નોધ

Published

on

કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર લાગેલા બળાત્કારના આરોપો મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરુ-પીએમઓએ લીધી નોધ

રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે તેમના જ સાથી કાર્યકર્તા અને તાલુકા પંચાયતના પુર્વ સભ્ય સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યા છે, ત્યારે આરોપોમાં  તથ્ય છે કે તેમના રાજકીય વિરોધીઓએ સોપારી ફોડી છે,,અને જેથી તેમને રાજકીય રીતે મહત્તમ નુકશાન થાય,,સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે  અર્જુન સિહ અને મહિલા સભ્ય સાથેના અંગત સબંધોને લઇને જીણવટ ભરી તપાસ કરવા માટે સુચના અપાઇ છે, અને જો સમગ્ર ઘટનામાં સત્ય જણાશે તો અર્જુન સિહ ચૌહાણની ખુર્સી પણ જઇ શકે છે,, પણ સુત્રો કહે છે કે જેવી રીતે ગજેન્દ્ર સિહને સાચવી  લેવાયા છે એવી રીતે અર્જુન સિહને પણ બચાવી લેવાશે, જો અર્જુન સિહ જેવા ઠાકોર નેતા સામે પગલા લેવાય તો ભાજપને મધ્ય ગુજરાતમાં નુકશાન થઇ શકે છે,

રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે ખેડા જિલ્લાના હળદરવાસના પુર્વ સરપંચ હિતેષ પટેલે ગંભીર આરોપ લગાવીને પાચ પાનાનો પત્ર પીએમથી માંડી મોહન ભાગવત સુધી મોકલી દીધો છે,, હિતેષ પટેલના પત્ર મુજબ તેમની અર્ધાગ્નિ ઉપર છેલ્લા પાચ વરસથી અર્જુન સિહ શારીરિક શોષણ કરતા અને સાથે સાથે ટોચના નેતાઓને સહવાસ માટે મોકલતા અને શારીરિક શોષણ કરાવતા હતા, જેની ફરિયાદ ખેડા જિલ્લા એસપીને કરાઇ છે,જેમાં કલમ 376 એટલે કે બળાત્કારની ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવા માટે અરજી કરી છે,જેની સાથે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી જવા પામ્યો છે,જેની ગંભીર નોધ પીએમઓએ પણ લીધી છે,, આ બબાતે રાજ્ય સરકારે તપાસ શરુ કરી દીધી છે, પોલીસના સુત્રો જણાવ્યા મુજબ અર્જુન સિહ સામે લાગેલા આરોપો બાબતે કેટલુ તથ્ય છે, તેની સઘન તપાસ કરવાની સૂચના અપાઇ છે, અર્જુન સિહ અને પુર્વ સરંપચની પત્ની વચ્ચેની ટેલિફોનિક વાત ચિત, ઓડિયો ક્લીપ અને વિડીયો ક્લીપની તથ્યતા બબાતે તપાસ શરુ થઇ છે,  સાથે સાથે મધ્ય ગુજરાતમાં આર એસ એસના ચુસ્ત સ્વયમ સેવક અને પ્રખર હિન્દુત્વ વાદીની છાપ ધરાવતા અર્જુન સિહ ચૌહાણને તેમના રાજકીય વિરોધીઓએ બદનામ કરવાના ઇરાદાથી  કોઇ મોટુ ષડયંત્ર રચ્યુ છે કે કેમ તેને લઇને પણ તપાસ તેજ કરી દેવાઇ છે,  કારણ કે અર્જુન સિહ ચૌહાણ પ્રથમ વખત વર્ષ 2017માં મહેમદાવાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની તેમને જવાબદારી સોપાઇ હતી, એ દરમિયાન જ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થતા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં  કેબીનેટ પ્રધાન તરીકે સ્થાન પામ્યા જેની સાથે જ મધ્ય ગુજરાતની રાજનીતિમાં અર્જુન સિહ ડંકો વાગવા લગ્યો,તેઓ પોતાના વિસ્તારમાં પ્રભાવ પાથરવાની શરુઆત કરી,, અને પોતાનો જુથ મજબુત કરવાનો પ્રયાસ કર્યો, પુર્વ સરંપચની પત્નીને મોટા રાજનેતા બનાવવાનો સ્વપ્ન બતાવ્યું અને તેમને વર્ષ 2016માં તાલુકા પંચાયતની સીટ પણ આપી, 2021 સુધી તેઓ સભ્ય રહ્યા એ દરમિયાન અલગ અલગ બેઠકોના નામે તેમની સાથે દુષ્કર્મ કર્યો હોવાના આરોપો હિતેષ પટેલે લગાવ્યા છે, આ તમામ આરોપોને તથ્યતા તપાસવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને ખાસ સુચના અપાઇ છે,

Advertisement

ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે હિમ્મત નગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ની ગેર હાજરી આખે ઉડીને વળગે તેવી હતી, સમગ્ર કાર્યક્રમમાં રાજકીય નેતાઓથી લઇને કાર્યકર્તાઓમાં ચર્ચા હતી કે અર્જુન સિહ ગાયબ કેમ છે, સાથે સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધારાસભ્ય અને રાજ્ય સરકારના  દલિત યુવતી ઉપર બળાત્કારના આરોપોનો સામનો કરનાર ગજેન્દ્ર સિહ ને પણ વડા પ્રધાનના કાર્યક્રમથી દુર રખાયા હતા, જેની ચર્ચા પણ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ચર્ચા થઇ રહી  છે, વડા પ્રધાનના કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સહકાર પ્રધાન જગદીશ પંચાલ , પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉપરાંત સ્થાનિક ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ ચાવડા  ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા સાંસદ દિપ સિહ રાઠોડ ઉપરાંત શંકર ચૌધરી જેવા આગેવાનોને પણ સ્ટેજ ઉપર સ્થાન અપાયુ હતું,

ત્યારે હવે ભાજપમાં ચર્ચા શરુ થઇ ગઇ છે કે અર્જુન સિહ અને ગજેન્દ્ર સિહ  જેવા દિગ્ગજ યુવા ઠાકોર નેતાઓને ટિકીટ મળશે કે કેમ તેને લઇને આશંકા વ્યક્ત થઇ રહી છે બન્ને પ્રથમ ધારાસભ્ય બન્યા,, પ્રધાન બન્યા, સાથે બન્ને ઠાકોર નેતાઓ છે,, મહત્વની વાત એ છે કે બન્ને ઉપર આરોપો પણ સમાન છે, ત્યારે રસપ્રદ વાત એ છે કે ગજેન્દ્ર સિહ સામે દલિત મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો તો અર્જુન સિહ  સામે પાટીદાર મહિલાના પતિએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે,,ત્યારે સરકારે એક તરફ ગજેન્દ્ર સિહને બચાવી લેવાની ચર્ચા છે,, ત્યારે અર્જુન સિહને બચાવાશે કે પછી તેમનો ભોગ લેવાશે તે એક ચર્ચાનો વિષય છે, આ તમામ ધટના ક્રમમાં અર્જુન સિહ કોઇ ખુલાસો કે પ્રતિક્રીયા આપવાથી દુર રહ્યા છે,

કાઉન્સિલર હોવ કે કેબિનેટ પ્રધાન સંગઠન માટે કામ કરો નહી તો ઘરે બેસો-ભાજપે કેમ આપ્યા આવા સંકેતો

Advertisement

ગુજરાત સરકારના કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ ઉપર કોણે લગાવ્યો બળાત્કારનો આરોપ

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.