અમદાવાદ
જીતુ ભાઇ વાધાણી બન્યા રણછોડ !

અગ્રેજોને દેશમાં થી ઉખાડીને ફેકનારા એવા ગાંધી અને સરદારના ગુજરાતને દિલ્હીએ મોટો પકડકાર ફેક્યો છે, તમને બતાવી દઇએ કે આ પડકાર દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ
ગુજરાતના શિક્ષણપ્રધાન જીતુ વાધાણીને આપ્યો છે, તેઓએ કહ્યુ છે કે શિક્ષણને લઇને જો જાહેરમાં ચર્ચા કરવી હોય તો આવી જાવ મૈદાનમાં,,સમય અને સ્થળ તમારો રહેશે,,ત્યારે જીતુ ભાઇ વાધાણીએ પોતાના અંદાજમાં ગોળ ગોળ જવાબ આપ્યા, અને સિસોદીયાના મૈદાનમાં આવવાના પડકારને ટાળ્યુ હતું,, અને જનતા જવાબ આપશે તેવી વાત કરી હતી
file photo
બીજેપીના ટ્ટીટ સામે સિસોદિયાનો વળતો પ્રહાર
ગુજરાતમાં જેમ જેમ આમ આદમી પાર્ટી એક્ટીવ થઇ રહી છે,,તેમ તેમ તે ગુજરાતમાં ભાજપના નિશાના ઉપર આવી ગઇ છે, બુધવારે સાંજે ગુજરાત ભાજપે પાચથી વધુ ટ્રીટ કર્યા, જેમાં દિલ્હીના
શિક્ષણ મોડલ કઇ રીતે ફેલ છે, તેને લઇને સવાલો પુછ્યા,, જેમાં શિક્ષકોના ધરણા, ગેસ્ટ ટીચરને લઇને સવાલો ઉભા કર્યા હતા, પરિણામે મનિષ સિસોદીયાએ વળતો પ્રહાર કર્યો હતો
જેમાં તેઓએ ગુજરાતના શિક્ષણ પ્રધાનને ઓપન ચેલન્જ આપીને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેક્યો હતો, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ
પણ ગુજરાતના શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીને ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ કરી છે. મનિષ સિસોદિયાએ ગુજરાતની સરકારી શાળામાં 28,212 શિક્ષકો અને આચાર્યોની
ઘટ, કૉલેજમાં 6903 પ્રોફેસર્સની ઘટ, 18,000 કલાસરૂમની ઘટ તેમજ 6000 સરકારી શાળાઓ બંધ થઈ ચૂક્યા અંગેની ટ્વીટ કર્યું હતું.
👎 કેજરીવાલજીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ!
👉 જાણો પડદા પાછળનું સત્ય… pic.twitter.com/Gj2Ju3V0Ms
— BJP Gujarat (@BJP4Gujarat) March 23, 2022
કેજરીવાલજીના નેતૃત્વમાં શિક્ષકો બેઠાં ધરણા પર…! pic.twitter.com/GtwbVF3oYk
— BJP Gujarat (@BJP4Gujarat) March 23, 2022
સિસોદિયાના પડકારનો જીતુ ભાઇનો જવાબ
રાજ્યની ભારતિય જનતા પાર્ટીની સરકાર સતત શાષનમાં છે, અને ગુજરાતમાં તમામ લોકસભાની સીટો ભાજપની જીતી છે,,સત્તાના મદમાં જેલોકો આવ્યા છે, અમે જનતાની જવાબદારી સ્વિકારીએ છીએ
ઝુઠ બોલીને કોઇ એક વાર કે બે વાર ચૂટણી જીતી શકે પણ અમે છ છ વાર ચુટણી જીત્યા છે,
રાજ્યની સરકાર 33 હજાર સ્કૂુલો ધરાવે છે,, 1054 સ્કૂલો તેમની પાસે છે તે પૈકી 54 સ્કુલો સ્માર્ટ છે,
આવનારા દિવસોમાં 40 હજારમાંથી હાઇસ્કુલ સાથે છથી આઠ વરસમાં 20 હજાર સ્કુલો સ્માર્ટ સ્કુલ બનાવીશ, 70 લાખ વિદ્યાર્થીઓ છે, કેટલાક રાજ્યો પાસે 15 લાખ વિદ્યાર્થી છે, સરખામણી કરતા જનતા જનાર્નદની સેવા કરવી જોઇએ
મૈદાનની આવવાની તમામને છુટ,, જનતા જનાર્દન જેને સ્વીકારે, અમને વિશ્વાસ છે કે જનતા જનાર્દન અમને ચૂટશે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બ્યુંગલ વાગી ચુક્યુ છે,, વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાતના ગઢને તોડવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રીય થઇ છે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય કન્વિનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન 2 એપ્રિલે અમદાવાદના પુર્વ વિસ્તારમાં રોડશો યોજી ભાજપની વોટ બેંકમાં ફાચર મારશે,
આદમી પાર્ટીનુ લક્ષ્ય દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત છે, એ માટે તેઓએ જાહેરમાં હોર્ડિંગ્સ, બેનર્સ લગાવી દીધા છે, જેમાં દિલ્હી અને પંજાબ પછી ગુજરાત પણ પરિવર્તન માંગે છે જેવા સુત્રો લખી દેવાયા છે
જેનાથી ડરીને ભાજપે દિલ્હીના શિક્ષણ મોડેલ ઉપર સવાલો ઉભા કરીને ટ્ટીટ કર્યા હતા પણ મનિષ સિસોદીયા આક્રમક તેવર બાદ બીજેપીના શિક્ષણ પ્રધાન જીતુ વાધણી હજુ સુધી મનિષ સિસોદિયાની ચેલેન્જ
સ્વીકારવાની વાત તો દુર રહી જવાબ આપવાથી ભાગી રહ્યા છે
હિંમત હોય તો #JituBhaiDebateKaro.! pic.twitter.com/md1FEsNtlt
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) March 24, 2022
ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ???? 😂😂😂😂 pic.twitter.com/fM8wjbJblD
— AAP Rajkot (@AAP4Rajkot) March 23, 2022
कल से @BJP4Gujarat दिल्ली स्कूलों के ख़िलाफ़ ट्वीट कर रही है। गुजरात में “आप” के बढ़ते प्रभाव और पंजाब चुनाव नतीजों से आपको बौखलाहट हो रही है
भाजपा शिक्षा की बात ना ही करे तो अच्छा है। मैं गुजरात के शिक्षामंत्री @jitu_vaghani जी को डिबेट के लिए चैलेंज करता हूँ। स्थान व समय आपका https://t.co/wTmInNInjP
— Manish Sisodia (@msisodia) March 24, 2022
गुजरात में 700 विद्यालय एक शिक्षक के भरोसे चल रहे है, 6k स्कूलों को मर्जर के नाम पर बंद कर दिया गया है।और @BJP4Gujarat दिल्ली की शिक्षा पर सवाल कर रही है । @jitu_vaghani हिम्मत है तो @msisodia जी के डिबेट का चैलेंज स्वीकार करे । https://t.co/wIuM3gNYPN
— Rajesh Sharma ।ৰাজেশ শৰ্মা ।રાજેશ શર્મા 🇮🇳 (@beingAAPian) March 24, 2022
કોના ઇશારે શિક્ષણમંત્રીને ગુજરાત ભાજપે ફસાવ્યા !
સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીનુ શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્ર અન્ય રાજ્યો કરતા સારો દેખાવ છે,ત્યારે ગુજરાત વિધાનસભામાં શિક્ષણ અને આરોગ્ય વિભાગે જે આકડાઓ આપ્યા છે, જે ખુબ નિરાશા જનક છે
આરોગ્યની વાત કરીએ તો જિલ્લાની હોસ્પિટલ એમઆરઆઇ મશીન સીટી સ્કેન મશીન જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, તબિબો નથી, પેરામેડિકલ સ્ટાફ સહિતની જગ્યાઓ મોટા ખાલી છે, તેવી જ રીતે
શિક્ષણ ક્ષેત્રે તો હાલ એના કરતા પણ ખરાબ છે, જેમાં ઓરડાઓની અછતાં, પ્રાથમિકથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પુરતી જગ્યાઓ ભરાયેલી નથી, ઓરડાઓ નથી, કલાસમાં વિજળી જેવી
સુવિધાઓ આપવામાં સરકાર નિષ્ફળ નિવડી છે,,ત્યારે હવે બીજેપીમાં આતરિક ચર્ચા થઇ રહી છે કે કોના કહેવાથી આ ટ્ટીટ કરાયો હતો,
સુત્રોની માનીએ તો જીતુ વાધાણીને અમિત શાહના કોટામાંથી ભુપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણ પ્રધાન બનાવાયા છે, ત્યારે પક્ષના જ એક જુથને આ ગમ્યુ નહતુ,,, ત્યારથી જ જીતુ વાધાણી કેવી રીતે ડેમેજ કરી શકાય તેવી
રણનિતિના ભાગ રુપે આયોજન કરાયુ છે કારણ કે જીતુ વાધાણી પણ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે તે સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા છે,, તેઓ પણ મુખ્ય મંત્રી પદના મજબુત દાવેદાર માનવામાં આવે છે
તેવામાં વર્ષ 2022મા યોજાનાર ચૂટણીમાં મુખ્ય મંત્રી બનવા માંગતા ચંદ્રકાંતરપાટીલમાં સ્વપ્નમાં રોડુ બનવાની શક્યતા છે, ત્યારે ગુજરાતની શિક્ષણની સ્થિતિ વિશે ગુજરાત ભાજપ જાણતું હોવા છતાં
શિક્ષણ પ્રધાનને ડેમેજ કરવાના હેતુ થી આમ આદમી પાર્ટીના શિક્ષણ મોડેલ સામે સવાલો કરીને જીતુ વાધાણીને ફિક્મમાં મુકી દેતા તેમની સ્થિતિ સાંપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઇ ગઇ હતી, આપે જ્યારે સો, મિડીયાામં દબાણ કર્યુ તો મોડે મોડ
જીતુ ભાઇ વાધાણી જવાબ આપવા આવ્યા, પણ તેઓએ સિસોદીયાના પડકારને માત્ર અભિમાન ગણાવ્યા,,અને ગુજરાત સાથે દિલ્હીની સરખામણી ન કરાય,, જનતા તેમને ગુજરાતમાં જવાબ આપશે તેવુ નિવેદન પણ કર્યું,
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
Pingback: દિનેશ શર્મા ક્યાંના-ન ઘરના ન ઘાટના ! – Panchat TV