ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં બીજેપી 27 વર્ષથી પોતાનો ગઢ જાળવી રાખવા માટે ગુજરાત ગૌરવ યાત્રા ના નામે જનતાનો વ્યાપક સમ્પર્ક મુખ્યપ્રધાન થી લઇ રાજય સરકારના પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો ગામે ગામ જઈ ને સરકારની યોજનાઓ ને લઇ કરેલ કામગીરી ને જાણકારી આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે મહુવા ખાતે કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સહ આ યાત્રામાં સહભાગી બની, ભાજપ સરકારની અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો, જનકલ્યાણકારી નીતિઓ અને પ્રજાલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત વિશાળ જનમેદનીને અવગત કર્યા.
આ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી , અમરેલી લોકસભાના સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, અમરેલી ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા તેમજ સ્થાનિક ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કર્મશીલ કાર્યકર્તાઓ અને વિકાસપ્રેમી મહુવાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત ગૌરવ યાત્રા અમરેલીમાં
