અમદાવાદ
ગુજરાતને અમેરિકા બનાવવા સરકારનો નવો માસ્ટર પ્લાન !

ગુજરાતને અમેરિકા બનાવવા સરકારનો નવો માસ્ટર પ્લાન !
ગુજરાતમાં છેલ્લા 27 વરસથી ભારતિય જનતા પાર્ટી સત્તા સ્થાને છે, વર્ષ 1995માં ગુજરાતમાં પ્રથમ વખત ભાજપાની પુર્ણ બહુમતની સરકાર આવી હતી, ત્યારથી લઇને અત્યાર સુધી ગુજરાતમાં ભાજપે પાછુ વળી ને જોયુ નથી, એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં વર્ષ 2001માં નરેન્દ્રમોદીએ સત્તાના સુત્રો સંભાળ્યા બાદ ગુજરાતના વિકાસને એક નવી જ ઉચાઇએ પહોચાડ્યો છે, ત્યારે બાદ તેમના અનુગામીઓ જેમ કે આનંદી બેન પટેલ, વિજય રુપાણી અને હવે ભુપેન્દ્ર પટેલ ગુજરાતને વર્લ્ડનુ નંબર વન સ્ટેટ બનાવવા દિવસ રાત એક કરી રહ્યા છે, ગુજરાતની પ્રજાની શહેરથી લઇને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિશ્વકક્ષાની સુવિધાઓનો લાભ ઘર આંગણે મળે તે માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે, સ્વાભાવિક છે કે વિશ્વસ્તરની સુવિધાઓ જોઇતી હોય તો સરકારે પોતાના આવકના સ્ત્રોત પણ વધારવા પડે,સુત્રોની વાત સાચી માનીએ તો જે પ્રકારે રાજ્યમાં જંત્રીના દરો 15 એપ્રિલથી અમલ થવાના છે જેના કારણે રાજ્ય સરકારની આવકમાં વધારો નોધાશે, શહેરી વિસ્તારનો વિકાસતો આંખે ઉડીને વળગે તેવો છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો શહેરો તરફ આગળ વધે છે,અને ગામડાઓ તુટી રહ્યાછે, ત્યારે આવી સ્થિતિમાં ગુજરાતના ગમડાઓને બચાવવા માટે શહેરી વિસ્તાર જેવી જ અધ્યતન સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર ટુંક સમયમાં માસ્ટર પ્લાન લઇને આવી રહી છે જેમા પ્રજોનો સાથ અને ગુજરાતનો વિકાસ નારો અપાશે, એટલે પ્રજાના સહયોગથી હવે ગામડાઓ સમૃધ્ધ અને આત્મ નિર્ભર બનશે
ગામડાઓને કઇ રીત બનાવાશે આત્મ નિર્ભર-આ છે પ્લાન
આગામી સમયમાં રાજય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વેરો ,કોમર્શિયલ ટેક્ષ સહિતની નીતિમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહી હોવાનું સૂત્રો કહી રહ્યા છે..જે પ્રકારે શહેરી વિસ્તારોમાં નગર પાલિકાઓ ,મહાનગર પાલિકાઓમાં ક્ષેત્રફળ અને જંત્રી આધારિત ટેક્ષની ફોર્મ્યુલા જોવા મળી રહી છે એજ પ્રકારે રાજયના 18હજાર થી વધુ ગામડાઓમાં ટેક્ષની ફોર્મ્યુલા લાગુ પાડવામાં આવી શકે છે .એ માટે સચિવ કક્ષાએ અભ્યાસ કરી ને ગ્રામ્ય વિસ્તાર માં ક્યારથી લાગુ પાડવી અને કેવી પ્રકારની ટેક્ષ ફોર્મ્યુલા તૈયાર કરવા માટે સૂચના આપી છે..ત્યારે આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરીજનોની જેમ ટેક્ષ ભરવા માટે તૈયાર રહેવું પડશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે રાજ્યની જિલ્લા પંચાયતના પ્રમુખપદાધિકારીઓ સાથે પરિસંવાદ યોજાયો હતો એ દરમ્યાન જિલ્લા પંચાયત ના હોદેદારો દ્વારા ગ્રામ પંચાયતની આવક વધારવા શહેરી વિસ્તારની જેમ ટેક્ષ ફોર્મ્યુલા લાગુ કરવાની રજુઆત મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર સહિત 10થી વધુ જિલ્લાના હોદ્દેદારોએ કરી હતી.સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ને મળતા માનદ ભથ્થામાં વધારો કરવો અને તેમને મળતા વાર્ષિક પેટ્રોલ ડીઝલ ખર્ચમાં વધારો કરવામાં આવે આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ રજુઆત એ હતી કે રાજય સરકાર દ્વારા તમામ જિલ્લા પંચાયતોને એન એ ના અધિકાર પરત આપવામાં આવે
બિન ખેતી માટે પંચાયતના ચુટાયેલી પાંખને નહી અપાય અધિકાર- ભુપેન્દ્ર પટેલ
સૂત્રોની વાત માનીએ તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જિલ્લા પંચાયતોના હોદેદારોને કહી દીધું હોવાનું કહેવાય છે કે N A(બિન ખેતી) ના નિર્ણયમાં સરકારે કરેલા નિર્ણયમાં કોઈ ફેરબદલ નહીં થાય .ત્યારે નોંધનીય છે કે વર્ષ 2015માં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ગ્રામ્ય લેવલે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા ગુમાવી હતી અને કોંગ્રેસને 31 માંથી 28 જિલ્લા પંચાયતો માં સત્તા મળી હતી ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજયની જિલ્લા પંચાયતો પાસેથી જમીન એન કરવા અધિકાર લઇ ને કલેકટર હસ્તક કરી દીધા હતા ત્યારે હવે સમગ્ર ગુજરાત માં જિલ્લા પંચાયતો ભાજપ સત્તા સ્થાને છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં અમલી કર માળખામાં ફેરફાર કરવા માટે તેમણે તૈયારી બતાવી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોના સૂચનને અમલી બનશે તો ગ્રામ્ય વિસ્તારના લોકોએ શહેરી વિસ્તારના નાગરિકોની જેમ ઊંચા કરવેરા ભરવાની તૈયારી રાખવી પડશે જયારે રાજય સરકાર દ્વારા પંચાયતી સંસ્થાઓના સુદ્ઢ વહીવટ માટે પંચાયતી રાજ ઇન્ફરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ-PARINAM પોર્ટલનું મુખ્યમંત્રીએ કર્યુ લોન્ચીંગ કર્યું હતું. આ પ્રસંગે પંચાયત રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે કહ્યુ હતું કે પંચાયત વિભાગની યોજનાઓ સહિત વિવિધ કામગીરીના અમલીકરણનું રિયલ ટાઇમ મોનિટરીંગ અને મેનેજમેન્ટ માટે-પેપર લેસ વર્ક કલ્ચર માટે PARINAM ઉપયોગી થશે
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ