ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !
#Gujarat's veteran political leader and Kshatriya Rajput, #ShankersinhVaghela has demanded that Bhavnagar's erstwhile ruler Krushna Kumarsinhji Gohil should be bestowed with Bharat Ratna award.
Photo: @ShankersinhBapu (File) pic.twitter.com/A2FbBp430b
— IANS (@ians_india) June 15, 2022
પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- તમે પણ જાણવા થઇ જશો ઉત્સુક
ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાએ ભાવનગરના મહારાજા સ્વર્ગિય કૃષ્ણકુમાર સિહ ગોહિલ માટે ભારત રત્નની માંગ કરી છે, કારણ કે જ્યારે દેશને અખંડ બનાવવાનો અભિયાન શરુ થયો ત્યારે મહારાજ કૃષ્ણકુમારજીએ સૌથી પહેલા પોતાનુ રાજ્ય ભાવનગરને વિલય કર્યો હતો
આમ તો દેશને એક કરનારાઓ 562 રાજાઓ માટે તેમના ત્યાંગ બલિદાન અને સૌર્યની ગાથાને દેશવાસીઓ હમેશા યાદ રાખે તેના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તમામ રાજાઓની યાદમાં ખાસ સંગ્રાહલય પણ બની રહ્યુ છે,
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
કોણ હતા મહારાજા કૃષ્ણકુમાર સિહ ગોહીલજી
મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ 19મે 1892ના રોજ થયો હતો. મહારાણી સાહેબા નંદકુંવરબાના કુખે જન્મેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને રાજ્યની પ્રજાના સુખાકારી માટેના કાર્યો કરવાનો વારસો પેઢી દર પેઢીથી મળ્યો હતો. ગોહિલવંશની રાજધાની સિહોરથી સ્થળાંતર કરી વર્ષ ૧૭૨૩માં અખાત્રીજના દિવસે ભાવસિંહજી (પહેલા)એ ભાવનગરની સ્થાપના કરી હતી. પરંતુ ગોહિલકુળનું શાસન તે પહેલાના પાંચસો વર્ષથી ચાલ્યું આવતું હતું. ૧૨૫૦થી માંડી આજદિન સુધી ગોહિલકુળના કુલ ૨૮ મહારાજા થયા છે (હાલના છેલ્લા મહારાજા વિજયરાજસિંહજી ગોહિલ છે). તે પૈકીના ૨૬ મહારાજાએ ઉમરાળા, પીરમબેટ, ઘોઘા, સિહોર અને ભાવનગરમાં ગાદી સંભાળી હતી. તેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર રાજ્યના ૯મા મહારાજા હતા.
રાજકોટની રાજકુમાર કોલેજ અને ઈંગ્લેન્ડની પબ્લીક સ્કૂલમાં અભ્યાસ કર્યો બાદ ૧૯૩૧માં રાજ્યનું શાસન સંભાળ્યાના તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ગોંડલ સ્ટેટના મહારાજા ભોજિરાજસિંહજીના પુત્રી રાજકુમારી વિજ્યાકુંવરબા સાથે લગ્ન કર્યો હતો. ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે’મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યો હતો.
ગતિમય શાસનના કારણે તેમને ૧૯૩૮માં કે.સી.એસ.આઈ.ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. માત્ર ૧૨-૧૩ વર્ષની ઉંમરના હતા ત્યારે ગાંધીજી સાથે તેમની ભાવનગરમાં મુલાકાત પણ થઈ હતી. અખંડ ભારતના નિર્માણ માટે દેશી રાજ્યોના વિલિનીકરણના મહાયજ્ઞામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પુનિત આહૂતિ આપીતા.૧૫-૧-૧૯૪૮માં રાષ્ટ્રના ચરણોમાં પોતાનું રજવાડું અર્પણ કરી દીધું હતું. રજવાડું રાષ્ટ્રને અર્પણ કર્યો બાદ તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ પ્રાંત (તામિલનાડુ)ના પ્રથમ ગર્વનર (રાજ્યપાલ) બન્યા હતા. માસિક માત્ર ૧ રૃપિયાનું પ્રતિક માનદ્ વેતન સ્વીકારી તેઓએ ઈ.સ.૧૯૫૨ સુધી ગર્વનર તરીકે સેવા આપી હતી.
જીવનપર્યાત ‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્રને વળગી રહેલા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તા.૨-૪-૧૯૬૫ના રોજ હૃદયરોગના હુમલાથી દેહવિલય થયો હતો. જો કે, તેમણે કરેલા પ્રજાકલ્યાણના કાર્યો અવિસ્મરણીય અને આદરણીય છે. જેના પર ગોહિલવાડવાસીઓ આજે પણ ગર્વ અનુભવે છે.
નામકરણ માટે મહારાજાના ટયૂટરને સુરતથી તેડાવ્યા
વર્ષ ૧૯૧૨ના ૧૯મી મેને રવિવારના રોજ મહારાણી નંદકુંવરબાએ પુત્રરત્નનો જન્મ આપતા રાજપરિવારમાં આનંદ છવાયો હતો. ભાવનગર રાજ્યના યુવરાજ અને વારસદારના નામ કરણ માટે મહારાજા ભાવસિંહજી (બીજા)એ તેમના ટયૂટર ગણપતરામ અનુપરામ ત્રવાડી (૧૮૪૮-૧૯૧૯)ને સુરત તેમના વતનથી ખાસ નિમંત્રણ આપી ભાવનગર બોલાવ્યા હતા અને તેમણે જ ભાવનગર સ્ટેટના યુવરાજની જન્મપત્રિકા જોઈ કૃષ્ણકુમારસિંહજી નામ સૂચવ્યું હતું. તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સંસ્મરણો વાગોળતા ડો.ગંભીરસિંહ ગોહિલે જણાવ્યું હતું.
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
મહારાજાને મળ્યા હતા અનેક સન્માન-ખિતાબ
પ્રાંત સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અનેક સન્માન-ખિતાબ મળ્યા હતા. જેમાં કીંગ જ્યોર્જ ચાર રજત જયંતી ચંદ્રક, કીંગ જ્યોર્જ પાંચ કોરોનેશન ચંદ્રક, કે.સી.એસ.આઈ. (ક્નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા), યુધ્ધ, રક્ષણ માટેનો ચંદ્રક, ભારતની આઝાદી માટેનો ચંદ્રકથી સન્માન કરાયું હતું. આ ઉપરાંત મહારાજા કુમાર સાહેબ, હીઝ હાઈનેસ મહારાજા રાઓલ, લેફ્ટનંટ હીઝ હાઈનેસ, કેપ્ટન હીઝ હાઈનેસ, લેફ્ટનંટ કર્નલ હીઝ હાઈનેસ, કર્નલ હીઝ હાઈનેસ, કમાન્ડર હીઝ હાઈનેસ સહિતના ખિતારથી પ્રાંત સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવાજવામાં આવ્યા હતા.
પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- આ રહ્યા કારણો !
રાજપરિવારમાં પુત્ર સંતાન પ્રાપ્તી માટે પ્રભાશંકર પટ્ટણીએ બાધા રાખી’તી
મહારાજા ભાવસિંહજી (બીજા) (૧૮૭૫-૧૯૧૯)ને લગ્નજીવનના બે દાયકા સુધી પુત્રનું સંતાનસુખ મળ્યું ન હતું. તેમના પહેલા લગ્ન દેવગઢ બારીયાના રાજકુમારી દેવકુંવરબા સાથે ૧૮૯૩માં થયેલું અને તેમને સંતાનમાં એકમાત્ર રાજકુમારી મનહરકુંવરબા હતા. તેમનું અવસાન ૧૯૦૩માં થતા મહારાજા ભાવસિંહજી (બીજા)એ ઘણા આગ્રહ બાદ આખરે ૧૯૦૫માં ખીરસરાના રાજકુમારી નંદકુંવરબા સાથે લગ્ન કર્યો હતા. જો કે, લગ્નના ઘણાં વર્ષો સુધી રાજગાદીને સંભાળનાર પુત્ર સંતાન નહીં થતાં દિવાનસાહેબ પ્રભાશંકર પટ્ટણીએ દાઢી વધારવા વગેરેની બાધા રાખી હતી.