Connect with us

crime

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !

Published

on

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા

મણિનગર તોડકાંડમાં આખરે તોડકરનારા બે પોલીસ કોન્સટેબલો વિરુધ્ધ પહેલા સસ્પેન્શન અને પછી હવે ગુનો નોધાયો છે, તેમની ગમે ત્યારે ધરપકડ કરી લેવાશે
ત્યારે સવાલ એ ઉઠે છે કે પોલીસ વિભાગ નાના કોન્સ્ટેબલ એવા નાની માછલીઓ વિરુધ્ધ તો પગલા લઇ લીધા,, પણ આ કેસમાં મગરમચ્છ સામે ક્યારે પગલા લેવાશે
કારણ કે આ બે નાના કર્મચારીઓ પોલીસ સ્ટેશનના વહીવટદાર તરીકેનુ વધારાની વ્યવસ્થા પણ સંભાળતા હતા, ત્યારે કોના ઇશારે તેઓએ આ કૃત્ય કર્યુ છે તેને લઇને
અત્યાર સુધી કોઇ ખુલાસો કરાયો નથી

હાર્દીક પટેલના કમલમ પ્રવેશ પર કોણે લગાવી બ્રેક !

ઉલ્લેખનિય છે કે 2 તારીખે મણિનગર વિસ્તારમાં રહેતા શ્રીજી મધના માલિક હિમાંશુ પટેલના ઘરે જઇને ડી સ્ટાફના બે કોન્સ્ટોબલો અભદ્ર વ્યહાર કર્યો હતો, અને
ઘરમા ધુસીને મહિલાઓથી લઇને પરિવારના સભ્યો સાથે અસભ્ય વર્તન કર્યો હતો, તે સિવાય પૈસા ન આપો તો દારુના ખોટા કેસમાં ફસાવી દેવાની ઘમકી આપી હતી
સાથે સાઢા ચાર લાખનો તોડ પણ કર્યો હતો, ત્યારે આ પરિવારે પોલીસ કર્મચારીઓના આવા કૃત્ય સામે વશ થવાના બદલે ન્યાય માટે લડત આપવાનો નિર્યણ કર્યો
અને ગૃહ વિભાગમાં ફરિયાદ કરી, જ્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી અને ડીજીપી આશિષ ભાટીયાએ તપાસના આદેશો કર્યા,, તપાસમાં પીડીત પરિવારની
વાતમાં તથ્ય મળી આવ્યો અને આખરે કોન્સ્ટેબલ પિયુષ પરમાર અને કુલદીપ ઝાલાને પહેલા સસ્પેન્ડ કરાયા અને પછી તેમની વિરુધ્ધ 448.465,201,384,323,294b,506(1)
મુજબ એફઆઇર દાખલ કરાયો છે

તોડ કાંડ બાદ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કેમ ઉતર્યા રજા ઉપર

Advertisement

આ કોન્સ્ટબલોને મહત્તમ સાત વરસની થઇ શકે છે સજા

આઇપીસીની કલમ 448 મુજબ -કોઇના ઘરમાં પરવાનગી વગર ઘુસીને અત્યાચાર કરવો,,આમાં એક વરસની જેલની સજા અને 1000 રુપિયા સુધીનો દંડ

465 વાત કરીએ તો બનાવટી કહાની કે ખાટુ બોલીને લોકોને હેરાન કરવા,, આમાં બે વરસની સજાની જોગવાઇ છે,

201ની વાત કરીએ તો ખોટી માહિતી આપી અથવા ખોટા આરોપો લગાવીને કોઇને કાયદાકીય રીતે હેરાન કરવાનો પ્રયત્ન,,આમાં મહત્તમ સાત વર્ષની સજા થઇ શકે

384ની વાત કરીએ તો બળજબરીથી વસુલી કરવી જેમં 3 વરસની સજાની જોગવાઇ છે

Advertisement

323ની વાત કરીએ કોઇને કોઇને ફસાવવા માટે જાતે ઇજા કરવી,, જેમાં એક વરસની સજાની જોગવાઇ છે,

294બીમાં ગાળા ગાળી કરીને હેરાન કરવા માટે ત્રણ મહિનાની સજાની જોગવાઇ છે,

605 (1)માં ધમકાવવા માટેની છે..જેમાં બે વરસની સજાની જોગવાઇ છે,,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

મહત્વની વાત એ છે હાલ તો ગૃહ વિભાગના આદેશ મુજબ મોડે મોડે પણ પોલીસે ડી સ્ટાફના 2 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરીને તેમની વિરુધ્ધ એફઆઇઆર કરી દીધી છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે મોટા માથાઓ વિરુધ્ધ ક્યારે પગલા લેવાશે
સુત્રોની માનીએ તો પીઆઇ ડી બી ગોહિલ હાલ રજા ઉપર ઉતરી ગયા છે, સવાલ એ ઉઠે છે કે 10 લાખ જેવી માતબર રકમ માંગવાની હિમ્મત કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીમાં કેવી રીતે આવી,, કોના આદેશથી બન્ને કોન્સ્ટેબલો શ્રીજી
મધના માલિકના ઘરે તોડ કરવા પહોચ્યા હતા,એની તપાસ થવી જોઇએ સાથે આ પરિવારે જે રીતે માંગ કરી છે કે બન્ને કોન્સ્ટેબલોના કોલ ડેટાની તપાસ થવી જોઇએ તેઓ કોના સંપર્કમાં હતા, શુ પીઆઇની જાણમાં હતી તમામ ઘટનાઓ,
સુત્રો તો ત્યાં સુધી કહે છે કે આ બન્ને કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનનના ઉચ્ચ અધિકારીની સરકારી ફરજ ઉપરાંત આર્થિક વ્યવસ્થાઓની ચિન્તા કરતા હતા, આર્થિક વ્યવસ્થાઓ જોતા હતા, શુ આર્થિક વ્યવસ્થાના ભાગ રુપે તેઓ શ્રીજી મધના
માલિકના ઘરે ગયા હતા, ગુજરાતના પ્રતિષ્ઠિત પરિવારને બદનામ કરવામાં કોઇ હરીફ પાસેથી સોપારી લઇને આ કામ કાજ હાથ ધરાયુ હતું આ તમામ બાબતોની તપાસ થાય તો મણિનગર પોલીસ સામે લાગેલા આક્ષેપોમાં દુધનુ દુધ અને પાણીનુ
પાણી થઇ જાય, અને સાચા આરોપી સામે આવી શકે, આ બે કોન્સ્ટેબલો તો માત્ર મણિનગર પોલીસનુ મહોરુ છે,,ત્યારે આની પાછળ બેકસીટ ડ્રાઇવિંગ કોણ કરતુ હંતુ તેની સામે પણ એફઆઇઆર થવી જોઇએ.

Advertisement

અજય તોમરની પોલીસને લપડાક મારતી સ્ટેટ મોનિટરિંગ સેલ !!

અભિનેત્રી અન્વેશી જૈનની આવી હોટ ફોટો ઇન્ટરનેટ ઉપર માચાવી રહી છે ધમાલ

Advertisement

crime

પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ

Published

on

પોલીસ ઇન્સ્પેકટર ની કરાઈ બદલીઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ ની બદલીઓ નો દોર શરૂ કર્યો છે..ગૃહ વિભાગ દ્વારા 113 પોલીસ ઇન્સ્પેકટર ની બદલીઓ કરી દેવામાં આવી છે જેને લઇ ને કેટલીક જગ્યાએ પોલીસ અધિકારીઓ માં ગમગીની જોવા મળી રહી છે

 

 

Continue Reading

crime

આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી ? મૃતક ની ચેટ વાયરલ થઇ ?

Published

on

આઈ પી એસ પૈસા બહુ ખાય છે એજ પગાર વધારવા દેતા નથી મૃતક ની ચેટ વાયરલ થઇ ?

 

મુખ્યપ્રધાન ના મત વિસ્તાર માં રહેતા પોલીસ કોન્સ્ટેબલે કેમ પરિવાર સાથે આત્મહત્યા કરી ?

અમદાવાદ શહેરમાં આપઘાતના કેસોમાં થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ માં ગોતામાં રહેતા એક પોલીસ કોન્સ્ટેબલે તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કરી ને જીવન ટૂંકાવી દીધું છે.ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.

જોકે પોલીસ કોન્સ્ટેબલ ના આપઘાત કરવા પાછળ કોઈ કારણ છે હાલમાં જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યારે તો આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે..

Advertisement

 

 

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાની આ ઘટના એ સમગ્ર બેડા ને હચમચાવી દીધો છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે.
કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે મૃતક કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે એક તપાસ નો વિષય છે. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જોકે તેમના ભાઈ સહીત પરિવારે કેમ આત્મહત્યા કરી કેમ તે અંગે તેમને અંદાજ પણ ન હતો.

Continue Reading

crime

ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી

Published

on

ક્યાં કારણોસર 116 પી એસ આઈ ની કરાઈ બદલી

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022 માં યોજાનાર ચૂંટણી ને ધ્યાને રાખી ને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 116 પી એસ આઈ ની બદલી કરી દીધી છે આ તમામ પી એસ આઈ ની આંતરિક બદલી વહીવટી કારણોસર કરાઈ છે.જોકે કેટલાક પી એસ આઈ પોતાના મનગમતા પોસ્ટિંગ ને લઇ ગોડ ફાધર ને શરણે પહોંચ્યા છે જોકે તેમનું ચાલશે કે કેમ તે સમય બતાવશે.

 

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.