By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અંગ્રેજી ભાષાની ઘેલછા એ ઇંગ્લેન્ડમાં જઇ ને આંબો વાવવા બરાબર છે ર્ડા. નિરંજન પટેલ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > Uncategorized > અંગ્રેજી ભાષાની ઘેલછા એ ઇંગ્લેન્ડમાં જઇ ને આંબો વાવવા બરાબર છે ર્ડા. નિરંજન પટેલ
Uncategorized

અંગ્રેજી ભાષાની ઘેલછા એ ઇંગ્લેન્ડમાં જઇ ને આંબો વાવવા બરાબર છે ર્ડા. નિરંજન પટેલ

Web Editor Panchat
Last updated: February 19, 2023 10:18 pm
Web Editor Panchat Published February 19, 2023
Share
SHARE

ગુજરાતને અમેરિકા બનાવવા સરકારનો નવો માસ્ટર પ્લાન !

 

વિશ્વની બઘી ભાષા આપણે વાંચીશું, સાંભળીશું પણ આપણું હદય તો માતૃભાષાથી જોડાશે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા યોજાયેલ ’અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમમાં તત્વચિંતક અને લેખક સુભાષ ભટ્ટે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા ’અમે ગુજરાતી’ અસ્મિતા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત જાણીતા તત્વચિંતક અને લેખક સુભાષ ભટ્ટે જણાવ્યું હતું કે, જેમ ચિકુ આંબો ન થાય, લીમડો કયારે આંબો ન થાય, પરંતુ માણસમાં જ આ પરિવર્તન જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, બુઘ્ઘિ અને હદય એક ચશ્મા છે, જો આપ બુઘ્ઘિના ચશ્મા પહેરશો તો અંગ્રેજીને પસંદ કરશો અને હદયના ચશ્મા પહેરશો તો આપ માતૃભાષા ગુજરાતીને પસંદ કરશો, આવું કેમ થાય તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. વિશ્વમાં એક અંદાજ પ્રમાણે ૭ હજાર જેટલી ભાષા છે, દરેક ભાષાનું આગવું મહત્વ છે, તે કોઇ ચોક્કસ સમુદાયની માતૃભાષા છે. જેથી આપણે માતૃભાષાનું સન્માન કરીએ છીએ, તેવી રીતે તમામ ભાષાનું સન્માન આપણે કરવું જોઇએ. એટલે જ ભગવત ગીતા ૫૯ ભાષામાં ભાષાંતર થઇ છે.
યુગ શાસકનો ન હોય, પણ યુગ સર્જકનો હોય તેવી દષ્ટાંતપૂર્વક વાત કરીને તેમણે ઉમેર્યું હતું કે, વ્યક્તિ પોતાનો સાચો ભાવ માતૃભાષામાં જ પ્રગટ કરી શકે છે. આપણે સૌએ હું ગુજરાતમાં છું ત્યાં સુઘી ગુજરાતી શાશ્વત છે, તેવો ભાવ પેદા થવો ખૂબ જરૂરી છે. તેમણે અહંકારથી માતૃભાષાને પ્રદૂષિત ન કરવાની વાત પર પણ ખાસ ભાર મુક્યો હતો.
માણસ જે ભાષામાં મન મૂકીને રૂદન કરી શકે છે, સારા સ્વપ્ન જોઇ શકે છે, પોતાની લાગણી- ઉત્સાહનો ભાવ સજ્જતાથી પ્રગટ કરી શકે છે, તે ભાષા તેની માતૃભાષા છે, તેવું કહી વલ્લભ વિઘાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ર્ડા. નિરંજન પટેલે ઉમેર્યું હતું કે, માતૃભાષાનું ગૌરવ નવો વિષય નથી. પરંતુ માતૃભાષાનું ગૌરવ થતું નથી, તે આપણા બજારામાં લેખલું લાઇવ ઢોકળા અને લગ્ન કે અન્ય આમંત્રણ પત્રિકામાં લખેલું ડીનર અને લન્ચ ટાઇમ પરથી જોઇ શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, પી.એચડી કરતાં વિઘાર્થીઓની ભાષાની જોડણી ખોટી હોય છે, તે વાત ખુબ આપણા સૌ માટે દુ:ખની છે. માતૃભાષાની સજ્જતા વઘારવાનું કામ સુચારું રીતે એક શિક્ષક અને માતા જ કરી શકે છે.

અંગ્રેજી ભાષાની ઘેલછા એ ઇંગ્લેન્ડમાં જઇ ને આંબો વાવવા બરાબર છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, જેવી ભાષા આપણે ભણીએ છીએ, તેવા વિચાર આપણને આવે છે. માતૃભાષા સાથે અન્ય ભાષાનું જ્ઞાન જરૂરી છે, પણ જેટલું મહત્વ ઘર્મનું છે, તેટલું મહત્વ માતૃભાષાનું હોવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, એક બોમ્બ ઝીંકયા વગર દેશનો વિનાશ કરવા ભાષા, સંસ્કૃતિ- ઘર્મથી અલગ તેના દેશવાસીઓને કરવા જોઇએ.
પ્રતિષ્ઢાનના અઘ્યક્ષ ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, માતૃભાષા પોતાના અસિતત્વની ત્વચા છે. ગુજરાતી ભાાષાનું વસિયત કરાવી પડે તેવી સ્થિતિ બાજુ જઇ રહી છે, તેને રોકવા શું કરવું જોઇએ તેની વિસ્તૃત વાત કરી હતી. એટલા જ માટે અસ્મિતા જેવા કાર્યક્રમોની જરૂર છે. હાલના સમયમાં આપણે સ્માર્ટ ફોન, સ્માર્ટ બોયમાં આપણને રસ છે, પણ સારા માણસ બનાવવામાં માટે માતૃભાષા જ જરૂરી છે.
આ પ્રસંગે પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદ શાહે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના વિવિઘ કાર્યક્રમોની રૂપરેખા અને આ ટ્રસ્ટના નિર્માણ પાછળના ઉમદા આશયથી વાત કરી હતી. ટ્રસ્ટી કિશોર જિકાદરાએ તમામ ટ્રસ્ટીઓની વિસ્તૃત પરિચય આપ્યો હતો. કાર્યક્રમના આરંભે પ્રતિષ્ઠાનના શ્રી નારાયણ મેઘાણીએ મહાનુભાવો સહિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ’ ભાષા મારી ગુજરાતી’ ત્રિમાસિક મુખપત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રતિષ્ઠાનના મંત્રી લાભશંકરભાઇ જોશી, સહમંત્રી ર્ડા. જય ઓઝા, સ્વાતિબા રાઓલ, ટ્રસ્ટ્રી પ્રવિણ વઘાસિયા, ર્ડા. પ્રવીણ વાટલિયા અને ર્ડા. દીપક પંડ્યા, ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ પુલક ત્રિવેદી, લેખક કેશુભાઇ દેસાઇ, પ્રકાશ લાલા, મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જસવંતભાઇ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બ્રહ્માકુમારી દ્વારા મહાશિવરાત્રી નિમિતે રેલીનું કરાયું આયોજન

You Might Also Like

યુવા શક્તિએ મેળવેલા જ્ઞાન અને કૌશલ્ય થી સજ્જ થઈ સપના સાકાર કરવાના છે :મુખ્યમંત્રી

વડોદરાના દસ હજાર બાળકો તંત્રના પાપે ભુખ્યા રહે છે- કોગ્રેસનો આરોપ

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !

જામનગર આમ આદમી પાર્ટી ના નવા સંગઠન માળખામાં શહેર અને જિલ્લા પ્રમુખ રીપીટ થતા કાર્યકરોમાં આનંદ

તક્ષશિલા અગ્નિકાંડના યોધ્ધાની છે કરુણ સ્થિતિ-પરિવારને ટેકો થાય તે માટે મદદની થઇ રહી છે અપીલ !

TAGGED:ગુજરાતીમાતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનર્ડા. નિરંજન પટેલ
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?