Connect with us

અમદાવાદ

ગુજરાતમાં ચૂંટણી આવે છે !

Published

on

ચૂંટણી આવે છે !

 

અમદાવાદ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચરમ સિમાં ઉપર છે,,ત્ચારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવાસા સ્થાને
રાત્રે 8 વાગ્યે ખાસ બેઠકનુ આયોજન કરાયો છે,જેમાં ઘારાસભ્યો,સાસંદો અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરાશે, જેમાં
તેમને ચૂંટણી લક્ષી કાર્યક્રમોની યાદી સોપી દેવાશે, જેમાં ભાજપના સ્થાપના દિવસને ફોક્સ કરાશે, સુત્રોની માનીએ તો આમ આદમી પાર્ટી
જેના પ્રચાર અભિયાનના ખાળવા માટે બીજેપી આક્રમક રીતે પ્રચાર અભિયાન 6 એપ્રિલથી શરુ કરશે,, જેની શરુઆત પીએમ નરેન્દ્રમોદી પોતાના ભાષણથી કરશે

Advertisement

 

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

ચંદ્રકાંત પાટીલની ખાસ મિટીંગ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાંજે દિલ્હીથી અમદાવાદ આવશે,, સુત્રોની માનીએ તો
ગાંધીનગર સીઆર પાટીલના નિવાસ સાથે ખાંડ મંડપ બંધાયું છે જેમાં 250થી 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે
અહી ખાસ બેઠક થશે, જેમાં ધાસાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે, આ બેઠકમાં
ગુજરાત વિધાનસભાની આવનારી ચૂટણીમાં પક્ષ તૈયારીની સમિક્ષા અને કાર્યક્રમોની અમલવારી ને તૈયારી સુચનાઓ અપાશે
ખાસ કરીને રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ,સરકારે કરેલા કામો મતદારો સુધી વધુ પહોચાડવા અગે રણનિતિ બનાવાશે

 

કયા નેતાને પત્ની પડી ભારે !

Advertisement

ખાસ યોજના બનાવતી બીજેપી
આ બેઠકમાં 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ છે, તે દિવસે પીએમ નરેન્દ્ર મોદી માર્ગ દર્શન આપશે, તે તમામ બુથોમાં
તે ભાષણ સાભળવાની વ્યવસ્થા કરવાની સુચના આપાશે,
તે સિવાય પેજ સમિતીઓનો કામોની પણ સમિક્ષા કરાશે, સુત્રોની માનીએ તો ઘડી જગ્યાએ 50 ટકા,તો કોઇ જગ્યાએ 80 ટકા
કામ થયુ,, જેનાથી પ્રદેશની નેતાગિરી સંતુષ્ઠ નથી, આ કામો 100 ટકા જલ્દી પુર્ણ કરાય તે માટે સંગઠન અને ધારાસભ્ય જલ્દી પુર્ણ
કરે તેવી ટકોર કરાશે,, સાથે કાર્યકર્તા સમ્મેલન,, ઉપરાંત બક્ષીપંચ સમ્મેલન, એસટી એસ સી મોર્ચા સમ્મેલન, વિવિધ પ્રકારના
બુધ્ધ જીવીયો,ડોક્ટર, વકીલ,સીએ સહિત વિવિધ ક્ષેત્રના સમ્મેલનો કરવાની સુચના આપી દેવાઇ છે,સાથે સમ્મેલન કર્યા બાદ તેના ફોટો મિડીયામાં
અવશ્ય મુકવા,,સમાજિક આગેવાનો, પ્રભાવશાળી વ્યક્તિઓ, પ્રભાવશાળી સાધુ સંતોનો પણ સંપર્ક કરીને તેમનો પણ ઉપયોગ કરવાની સુચના અપાઇ છે
વિપક્ષના મજબુત નેતાઓ કાર્યકર્તાઓ અને આગેવાનો સંપર્ક કરીને ભરતી અભિયાન તેજ કરવાની સુચના અપાશે,

કોંગ્રેસના દિગ્ગજ નેતાની રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ !

ગુજરાતની રાજનિતિમાં ટોપી યુધ્ધ
આમ તો ટોપી દેશની રાજનિતીમાં મહત્વપુર્ણ સ્થાન ધરાવે છે, પણ અન્નાના આદોલન પછી દેશની રાજનિતિમાં ટોપીનુ મહત્વ વધી ગયું
પણ આ ટોપીને કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કેપ્ચર કરી લીધી છે, અને દેશ ભરમાં તે દિશા સૂચક બની ગઇ,,
ત્યારે આ વખતે યુપી ઇલેક્શનમાં સમાજવાદી પાર્ટીની લાલ ટોપીની નોધ પીએમ નરેન્દ્રમોદીએ સ્વયમ લેવી પડી હતી
પરિણામે ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પણ ભાજપ માટે ખાસ ટોપી ડીઝાઇન કરાવડાવી હતી જેનાથી પીએમે પણ સંતોષ વ્યક્ત કર્યુ હતુ
અને ચંદ્રકાંત પાટીલના વખાણ કર્યા હતા, હવે આ ટોપી ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓને કાર્યક્રમ દરમિયાન ફરજિયાત પહેરવાનો આદેશ કરાયો છે

 

શુ છે ભાજપનું ઓપરેશન અરવલ્લી- સાબરકાંઠા !

Advertisement

આમ આદમી પાર્ટી દેખાડશે દમ
2 એપ્રિલે આમ આદમી પાર્ટીના નેતા અરંવિંદ કેજર વાલ દમ ખમ સાથે ગુજરાત આવી રહ્યા છે, પંજાબ કબ્જે કર્યા બાદ આપનો મોરલ હાઇ છે,ત્યારે તેઓ બે દિવસ ગુજરાતમાં રહેશે,
તેમની સાથે તેમના ચાણક્ય કહેવાતા નેતાઓ પણ તેમની સાથે હાજરી આપશે, અહી તેઓ સંગઠનની સ્થિતિ, બુથ સ્તરની તૈયારીઓ, કેન્ડિડેટની પંસદગી, કેટલી સીટો ઉપર
ઇલેક્શન લડી શકાય તેને લઇને ચર્ચા કરશે,, સાથે બીજા કયા સામાજીક આગેવાનો તેમની સાથે જોડાઇ શકે છે,, ખેડુત આગેવાનો, વિદ્યાર્થી આગેવાનો, ધાર્મિક આગેવાનો સાથે મુલાકાત
કરશે ,,તો પ્રેસ કોન્ફરંસ કરીને પોતાના કરેલા કામો અંગે પણ માહિતી આપશે,

 

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

ઓવૈસી પણ આવશે ગુજરાત

એઆઇએમઆઇએમના પ્રમુખ ઔવૈસી પણ 24 એપ્રિલ ગુજરાત આવશે,,તેઓ અહી પણ ગુજરાતમાં સંગઠનને લઇને સમિક્ષા કરશે, અને ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરશે,, બુથ સ્તરથી માંડી
વિધાનસભામાં ચૂંટણીની તૈયારીને લઇને ચર્ચા કરશે, ખાસ કરીને જીતી શકે તેવા ઉમેદવારોને લઇને ચર્ચા કરશે, સાથે કોગ્રેસ ભાજપમાં થી આદિવાસી,એસસી અને માઇનોરીટીના નેતાઓનો
સંપર્ક કરશે, એઆઇએમઆઇએમના સુત્રોની માનીએ તો ભાજપ અને કોગ્રેસના જે નેતાઓને ટિકીટ મળવાની સંભાવના ઓછી છે તેઓ હાલ સંપર્કમાં છે, સમય આવ્યે તે પાર્ટીમા જોડવામાં આવેશે

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.