Connect with us

અમદાવાદ

ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !

Published

on

ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો થઇ શકે છે ચકનાચૂર !

રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ

ગુજરાત સરકારના ચૂંટણી પંચે એક એવો નિર્યણ કર્યો છે જેના કારણે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના સ્વપ્ના તુટી શકે છે, એટલે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150 કરતા વધુ સીટો જીતવાનો તેમની રણનીતિને સ્વયમ ભુુપેન્દ્ર પટેલની સરકાર નિષ્ફળ કરવામાં લાગી હોય તેમ લાગી રહ્યુ છે કારણ કે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે ઓબીસી બેઠકો નાબુદ કરી છે તેના કારણે આમ આદમી પાર્ટી અને કોગ્રેસે તો વાંધો લીધો જ છે સાથે સરકાર અને સંગઠનના ઓબીસી નેતાઓ પણ માને છે કે આનાથી ગુજરાત વિધાનસભામાં ઓબીસી વોટ બેંક તેમનાથી નારાજ થશે દુર થશે પરિણામે વિધાનસભા ચૂંટણી જીતવી મુશ્કેલ બની શકે છે,

રાજ્યમાં 3252 ગ્રામ પંચાયત ચૂંટણી થવાની છે ત્યારે આ ચૂંટણીમા ઓબીસી સમાજને અનામતનો લાભ મળશે નહી,,સુપ્રિમ કોર્ટે તમામ રાજ્યોને ઓબીસી કમિશન રચીને  વસતીના આધારે  છ મહિનામાં માપદંડ નક્કી કરવા માટે તાકીદ કરી હતી, ગુજરાત સરકારે આવી કોઇ કાર્યવાહી કરી નથી જ્યારે મધ્ય સરકારે આવી કામગીરી પુર્ણ કરી લીધી,,આમ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ઓબીસી બેઠકો અનામત નહી હોય તેના બદલે બધી સમાન્ય બેઠકોની જેમ જ ચૂંટણી થશે,

કલોલમા એવુ તો શુ બન્યુ કે ધારાસભ્ય બળદેવજી ઠાકોરને સીએમ ને નહી પણ પીએમને પત્ર લખવાની પડી જરુર 

Advertisement

મહત્વપુર્ણ બાબત એ છે કે આમ આદમી પાર્ટીએ પણ આ અંગે વિરોધ નોધાવ્યો છે,,ઇશુદાન ગઢવી અને સાગર રબારીએ કહ્યુ હતું કે સરકાર એસસી એસટી ઓબીસી અને મહિલા વિરોધી છે, જેથી તેઓએ ઓબીસી કમિશનની રચના કરી નહી,, જેથી હવે ચૂટણીમાં આ બેઠકોમા અનામતનો લાભ ઓબીસી સમાજને નહી મળે,,

જ્યારે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે માંગ કરી છે કે સરકારની નિષ્ક્રિયતાના કારણે આવી પરિસ્થિતિ ઉભી થઇ છે, હવે ઓબીસી અનામત નક્કી ન થાય ત્યા સુધી3252 ગ્રામ પંચાયતનો ચૂંટણી મોકુફ રાખવુ જોઇએ

સૌથી વધુ ઘમાસાણ તો ભારતિય જનતા પાર્ટીની અંદર થયુ છે, પાર્ટીના ઠાકોર નેતાઓ  હોય કે અન્ય કોઇ ઓબીસી નેતા તમામ સરકારના આ નિર્યણથી નારાજ હોવાનુ જાણવા મળ્યુ છે, તે સિવાય ભારતિય જનતા પાર્ટીના અનેક ઓબીસી નેતાઓ પણ સરકારની નિષ્ક્રિયતા સામે ભાજપ હાઇ કમાન્ડ સુધી પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે, સુત્રોની માનીએતો ભારતિય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ આ અગે સરકારનુ ધ્યાન દોરી ચુક્યા છે, અને જે રીતે વિવાદ

વધ્યો છે તેના કારણે ભારતિય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં તો નુકશાન થશે સાથે ભાજપ ઓબીસી વિરોધી છે તેવી છાપ પણ ઉભી થશે પરિણામે તેની આડ અસર વિધાનસભા ચૂટણીમાં પણ જોવા મળી શકે છે,

મહત્વપુર્ણ બાબતે એ છે કે આ અંગે કેન્દ્રિય ભાજપ પણ સરકારના આ નિર્યણથી નારાજ હોવાનુ જાણવા મળ્યુ છે,ત્યારે હવે સરકાર ઉપર દબાણ વધી રહ્યો છે કે કોઇ પણ રીતે આ વિવાદનો સમાધાન લાવે નહી તો વિધાનસભા

Advertisement

ચૂંટણીમાં  જે પણ પરિણામ આવશે તેના માટે સંગઠન નહી પણ સરકારની જવાબદારી રહેશે,આમ ગુજરાતની ભારતિય જનતા પાર્ટીની સરકાર હવે વિરોધ પક્ષથી તો ઘેરાઇ છે સાથે પોતાના સંગઠનની નારાજગી પણ ભોગવવી પડી રહી છે,

નિષ્ણાંતો માને છે રાજયમાં ઓબીસીમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે જેમાં કોળી અને ઠાકોર 20થી 22 ટકાની આસપાર છે, જ્યારે તે સિવાયની જ્ઞાતિઓની ટકાવારી 22થી 24 ટકાની છે એટલે કે 45થી 48 ટકા મતદારો ઓબીસી છે, અને જો આ વર્ગ ભાજપથી દુર થશે તો તેને મોટા પાયે નુકશાન થશે, મહત્વની વાત એ છે કે હાલમાં જ ઓબીસી મતદારો ભાજપ સાથે જોડાવા લાગ્યા હતા, તેવાં સરકારનો આ નિર્યણ ભાજપ માટે ઘાત સાબિત થઇ શકે છે, કેટલાક નિષ્ણાંતો માને છે કે વટાણા હવે વેરાઇ ગયા છે કારણ   કે સરકાર પાસે હવે ઓબીસી કમિશન રચવાનો સમય નથી, કારણ કે ઓબીસી કમિશન રચીને સર્વે કરવાનુ કામ હવે ન થઇ શકે ,,કારણ કે વિધાનસભા ચુટણી માટે હવે પાચ મહિનાનો સમય બાકી રહ્યો છે, તેવા સમયમાં ઓબીસી કમિશન રચવુ અને  સર્વે કરાવવુ અને તે  પછી 3252 ગ્રામ પંચાયચોની ચૂટણી કરવાવી તે અઘરો ટાસ્ક છે, છતાં હવે વચગાળાનો સમાધાન શુ હોઇ શકે છે તેને લઇને જરુરથી ચર્ચા વિચારણા હાલ સરકારમાં શરુ છે, જોવાનુએ છે  કે સરકાર હવે શુ સમાધાન લાવે છે,,

Advertisement

યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર એ રાજનેતા કોણ- ઓડિયો વાયરલ

યુવરાજ સિહ જાડેજાએ હવે કેમ કર્યો સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીનો  સમર્થન

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.