Connect with us

અમદાવાદ

અમદાવાદમાં ડોક્ટર્સ કરશે ધરણા- આ તારીખે કરશે ધરણા- આ રહ્યા કારણો

Published

on

સી’ ફોર્મ રીન્યુઅલઃ 14-15 મેના રોજ રિવરફ્રન્ટ ખાતે ડોક્ટર્સના ધરણાં યોજાશે

અમદાવાદમાં ડોક્ટર્સ કરશે ધરણા- આ તારીખે કરશે ધરણા- આ રહ્યા કારણો

– 2021ના ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ

અમદાવાદના ડોક્ટર્સે ‘સી’ ફોર્મ રીન્યુઅલ મામલે સરકાર સામે બાંયો ચઢાવી છે. આગામી તા. 14 અને 15 મેના રોજ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન (AHNA) દ્વારા 2 દિવસીય હડતાળ અંતર્ગત હોસ્પિટલ્સ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ કારણે હજારો દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે જે માટે અગાઉથી જ માફી માગવામાં આવી છે.

હડતાળ દરમિયાન ડોક્ટર્સ મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે એકત્રિત થઈને ધારણા પ્રદર્શન કરશે અને ‘ફૂથપાથ ઓપીડી’ જેવા કાર્યક્રમો કરશે.

Advertisement

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન (AHNA) દ્વારા ફોર્મ ‘સી’ રીન્યુ કરવામાં પડી રહેલી મુશ્કેલીના પગલે હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. એકસાથે શહેરની આશરે 400થી 450 હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન (ફોર્મ ‘સી’) ન થયા હોવાથી તેને તાળા મારવાની નોબત આવી છે.

આહનાના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું કે, સન 1949થી છેક 2021 સુધી આમાની હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સે રજિસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપેલા છે અને તેમનું ‘સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવેલું છે. ત્યાર બાદ 2021ના ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

બીયુનો કાયદો ખૂબ જ ગૂંચવણભરેલો અને અટપટો છે તથા તેમાં નાની હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સ માટે કોઈ જુદા ધારાધોરણો નથી નક્કી કરવામાં આવેલા.

બિલ્ડીંગ યુઝ પરમિશનના કારણે અમદાવાદ શહેરમાં આવેલી 450થી વધુ નર્સિંગ હોમ અને હોસ્પિટલના રજિસ્ટ્રેશન અટકયાં છે. બિલ્ડિંગ યુઝ પરમીશન વગર અન્ય શરતોના પાલન સાથે સી-ફોર્મ રજિસ્ટ્રેશન કરી આપવા આહના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને અપીલ કરાઈ છે. નિયમને તંત્ર વળગી રહેશે તો નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલને તાળાં મારવા પડે એવી સ્થિતિ સર્જાશે. જો આમ છતાં કોઈ ચોકકસ નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મેડીકલ સેવા બંધ, રેલી તથા ધરણાં ઉપરાંત ફૂટપાથ ઉપર ઓ.પી.ડી.જેવા કાર્યક્રમ આપી વિરોધ દર્શાવવામાં આવશે.

ઓકટોબર-2021થી સી-ફોર્મ માટે બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત કરી દેવામાં આવતા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 450થી વધુ નર્સિંગ હોમ અને હોસ્પિટલને તાળાં મારવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આહનાના પ્રેસિડેન્ટ ડોકટર ભરત ગઢવીએ કહ્યું, 1949થી 2021 સુધી રજિસ્ટ્રેશન માટે જરૂરી તમામ દસ્તાવેજો જમા કરાવતા આવ્યા છીએ પરંતુ આ વખતે બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત કરાતા મુશ્કેલી થઈ છે. નર્સિંગ હોમ્સને રજિસ્ટ્રેશન તેના સ્ટાફની લાયકાત તથા ડોકટરના કવોલીફિકેશનની ચકાસણી બાદ આપવામાં આવતુ હોય છે. જે માટે ક્યારેય બિલ્ડિંગ યુઝ પરમિશનની જરૂર ઉભી કરવામાં આવી નહોતી.

Advertisement

શહેરમાં 80 આરોગ્યની સુવિધા નર્સિંગ હોમ્સ તથા નાની હોસ્પિટલો દ્વારા પુરી પડાય છે જેના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. શહેરમાં રેસ્ટોરન્ટ માટે નિયમ બાજુ ઉપર મુકી મંજૂરી આપવામાં આવે છે. તો નર્સિગ હોમ્સ અને નાની હોસ્પિટલ માટે કયા કારણથી કાયદાની ગૂંચ ઉભી કરાઈ રહી છે? જો 450થી વધુ નર્સિંગ હોમ્સ અને નાની હોસ્પિટલ બંધ થાય તો આગામી દિવસોમાં શહેરમાં આરોગ્યની સેવા વધુ મોંઘી બનશે. હોસ્પિટલ સાથે સંકળાયેલ કર્મચારીઓ રોજગારી ગુમાવશે. જો કોરોનાની જોખમી લહેર ભવિષ્યમાં આવે તો દર્દીઓને સારવાર મેળવવામાં મુશ્કેલી થશે. ફાયરના સાધનો કે એન.ઓ.સી.ને લઈ અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી એમ પણ આહના પ્રમુખે કહ્યુ હતું. આ મામલે રાજ્ય સરકારને પણ અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.