ડોક્ટરોએસ કરી સરકારની સર્જરી
ડોક્ટરોના હડતાળ સામે સરકારના દંડવત
ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
સરકારે ડોક્ટર્સને લઇને લીધા મોટા નિર્યણ
રાજય સરકારના તબીબોને તા.૧.૬.ર૦૧૯ થી ર૦ ટકા એન.પી.પી.એ ચુકવાશે:એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે.
રાજ્યના નાગરિકોને આરોગ્ય સવલતો સત્વરે મળી રહે તે માટે
ગુજરાત ગર્વમેન્ટ ડૉક્ટર્સની માંગણીઓ સંદર્ભે રાજ્ય સરકારના મહત્વનો નિર્ણય
¤ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા લેવાયા નિર્ણય
¤ રાજય સરકારના તબીબોને તા.૧.૬.ર૦૧૯ થી ર૦ ટકા એન.પી.પી.એ ચુકવાશે:એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે.
¤ બેઝીક અને એન.પી.પી.એ.ની મહત્તમ મર્યાદા ભારત સરકાર મુજબ રૂા.ર,૩૭,પ૦૦/- નિયત કરાઈ
¤ તજજ્ઞ સેવા, વર્ગ-૧ ના કરારીય / બોન્ડેડ તજજ્ઞોને માસિક ફીકસ વેતન રૂા.૮૪૦૦૦/-થી વધારીને રૂા.૯પ૦૦૦/- અપાશે
¤ કરારીય અથવા બોન્ડેડ એમ.બી.બી.એસ. તબીબોને માસિક ફીકસ વેતન રૂા.૬૩૦૦૦/- થી વધારીને રૂા.૭પ૦૦૦ કરાયુ
¤ રાજયના તજજ્ઞ સેવા વર્ગ-૧ ના તબીબોને ૮ વર્ષે ટીકુ કમિશનનો લાભ મળવાપાત્ર રહેશે
ગુજરાતમાં ડોક્ટર્સના આદોલન સામે સરકાર ઝુકી છે, અને તેમની માંગણીઓ મુજબ નોન પ્રેક્ટેસિંગ એલાઉન્સ ચુકવવા તૈયાર થઇ ગઇ છે,
ઉલ્લેખનિય છેકે છેલ્લા ચાર દિવસથી ડોક્ટર્સના આદોલનના કારણે ઓપીસી સેવાઓ ખોરવાઇ ગઇ હતી, જેના કારણે સરકારે ડોક્ટર્સની માગંણીઓ માની લીધી છે,,
સરકારે જે જાહેરાત કરી છે તે મુજબ જોઇએ તો,,
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ર્ડાકટર્સના પ્રશ્નોની માંગણીઓ સંદર્ભે હકારાત્મક અભિગમ દાખવીને રાજ્ય ના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા મહત્વના નિર્ણયો
સંપૂર્ણ સંવેદના સાથે કર્યા છે ત્યારે ગરીબ નાગરિકોની આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે મળતી થઈ જાય અને માનવીની મહામૂલી જિંદગી બચાવવા ના આ સેવાયજ્ઞમાં સત્વરે જોડાઈ જવા તબીબોને અપીલ કરાઈ છે.
અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય વિગતો આપતાં કહ્યું કે,તબીબો
ના એન.પી.એ.ની માંગણી સંદર્ભે સરકારે તા.૧.૬.ર૦૧૯ થી ર૦ ટકા એન.પી.પી.એ.ની ચુકવણીનો નિર્ણય કર્યો છે. એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો એપ્રિલ-ર૦રર, બીજો હપ્તો ઓકટોબર-ર૦રર, ત્રીજો હપ્તો એપ્રિલ-ર૦ર૩,ચોથોહપ્તો ઓકટોબર-ર૦ર૩ અને પાંચમો હપ્તો એપ્રિલ-ર૦ર૪ ના રોજ ચૂકવવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે,બેઝીક અને એન.પી.પી.એ.ની મહત્તમ મર્યાદા ભારત સર
કાર મુજબ રૂા.ર,૩૭,પ૦૦/- નિયત કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યના જે ઉમેદવારોએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી હોય તેઓની તમામ એડહોક સેવાઓ નિયમિત કરી સળંગ ગણવામાં આવશે. બાકી રહેતી એડહોક સેવાઓ નિયમિત કરવા અને સળંગ કરવા એડહોક સેલની રચના કરવામાં આવશે. તજજ્ઞ સેવા, વર્ગ-૧ ના કરારીય / બોન્ડેડ તજજ્ઞોને માસિક ફીકસ વેતન રૂા.૮૪૦૦૦/-થી વધારીને રૂા.૯પ૦૦૦/- આપવામાં આવશે. કરારીય અથવા બોન્ડેડ એમ.બી.બી.એસ. તબીબોને માસિક ફીકસ વેતન રૂા.૬૩૦૦૦/- થી વધારીને રૂા.૭પ૦૦૦/- આપવામાં આવશે તેમ જણાવ્યું છે.
રાજયના તજજ્ઞ સેવા વર્ગ-૧ ના તબીબોને ૮ વર્ષે ટીકુકમિશનનો લાભ મળવાપાત્ર રહેશે.
અગ્રવાલે ઉમેર્યુ કે,રાજય સરકારની સેવામાં હોય તેવા એમ.બી.બી.એસ. ર્ડાકટરો માટે અનુસ્તાનક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ૧૦ ટકા સીટો અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવી છે.જી.એમ.ઇ.આર.એસ. હસ્તકના તબીબી શિક્ષકોને ન્યુ પેન્શન સ્ક્રીમ, રજા પ્રવાસ રાહત,રજાનુંરોકડમાં રૂપાંતર,ટ્રાવેલ્સએલાઉન્સ,મેડીકલએલાઉન્સ જેવા લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની મેડીકલકોલેજો–હોસ્પિટલો ખાતે બોન્ડેડ ઉમેદવારો ધ્વારાબજાવેલ સેવાને બોન્ડમુકત તરીકે માન્ય રાખવામાં આવી છે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના તબીબી શિક્ષકોના ઉચ્ચતર પગાર ઘોરણ અન્વયે નામાભિધાન મંજુર કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે,તબીબી શિક્ષણ, તબીબી સેવા અને જાહેર આરોગ્ય પ્રભાગમાં સીધી ભરતી અને બઢતીની ઝુંબેશ હાથ ધરાઇ છે. એડહોક ધોરણે ફરજ બજાવતા ટયુટરોને ૭ મા પગાર પંચનો લાભ મળવાપાત્ર રહેશે. તબીબી શિક્ષણ પ્રભાગ હેઠળના ૧પ ટકા સીનીયરટયુટરોનેટીકુ કમિશન મુજબ ત્રીજા ઉ.પ.ધો.નો લાભ તથા ૧૦ ટકા સીનીયર પ્રાધ્યાપકોને ૭મા પગાર પંચ મુજબ હાયરએડમીનીસ્ટ્રેટીવ ગ્રેડ(HAG) નો લાભ મળવાપાત્ર રહેશે.