રાજ્ય સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમથી નગરપાલિકાઓ માટે નિહિત્ત ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ રહેલી વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ નગરપાલિકાની કામગીરી સુચારુ રૂપે ચાલુ રહે તે હેતુસર નગરપાલિકાના વહિવટદાર તરીકે મામલતદાર વાંકાનેરની નિમણૂંક કરી છે.