By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: જુનાગઢ જિલ્લામાં નારાજ ભાજપના નેતાઓ આપમાં જોડાયા, ભાજપમાં ચિન્તા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > જુનાગઢ જિલ્લામાં નારાજ ભાજપના નેતાઓ આપમાં જોડાયા, ભાજપમાં ચિન્તા
અમદાવાદગુજરાત

જુનાગઢ જિલ્લામાં નારાજ ભાજપના નેતાઓ આપમાં જોડાયા, ભાજપમાં ચિન્તા

Web Editor Panchat
Last updated: August 25, 2022 7:19 pm
Web Editor Panchat Published August 25, 2022
Share
SHARE

જુનાગઢ જિલ્લામાં નારાજ ભાજપના નેતાઓ આપમાં જોડાયા, ભાજપમાં ચિન્તા

કેશોદના પૂર્વ ભાજપ નેતા અને હાલ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચુડાસમા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ભાજપમાં જૂનાગઢ જિલ્લાના યુવા પ્રમુખ ભગતભાઈ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીનો સહયોગ કરવા અને ગુજરાતમાં બદલાવના ભાગીદાર બનવા આજે દરેક સમાજ માંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: જગમાલભાઈ વાળા

ગુજરાતમાં દરેક વર્ગના કર્મચારી, મહિલાઓ, બાળકો, યુવાનો, વેપારીઓ એમ બધા અરવિંદ કેજરીવાલજીની મુદ્દાની રાજનીતિથી ખુશ છે: જગમાલભાઈ વાળા

આવનારી ચૂંટણી ગુજરાતની જનતા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે: જગમાલભાઈ વાળા

અમદાવાદ/સોમનાથ/ગુજરાત

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ વિધાનસભાના ઉમેદવાર જગમાલભાઈ વાળાએ એક મહત્વપૂર્ણ મુદ્દે માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ ગુજરાતમાં દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતના દરેક ગામ, તાલુકા, જિલ્લામાં લોકો અરવિંદ કેજરીવાલજીના દિલ્હીમાં કરેલા કામ ને જાણી રહ્યા છે અને સમજી રહ્યા છે કે એવું ગુજરાતમાં પણ શક્ય છે જે હવે ફક્ત અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર જ કરી શકે છે. આમ આદમી પાર્ટીનો સહયોગ કરવા અને ગુજરાતમાં બદલાવના ભાગીદાર બનવા આજે દરેક સમાજ માંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીના સંગઠનને ગુજરાતમાં વધુ મજબૂત બનાવી રહ્યા છે.

આજે ગુજરાતની જનતાની સેવા કરવા માટે મહત્વપૂર્ણ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કેશોદના રામજી ચુડાસમા આજે આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ તથા સોમનાથ વિધાનસભા ના ઉમેદવાર જગમાલ વાળા ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રામજી ચુડાસમા કોળી સમાજના મોટા નેતા છે. તે હાલ જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય છે. 48 વર્ષીય રામજી ચુડાસમા એક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા અને જીત્યા છે. તેઓ ભૂતકાળમાં ભાજપના નેતા રહી ચૂક્યા છે પરંતુ ભાજપની ખરાબ નીતિઓના કારણે તેઓ ભાજપથી દૂર થઈ ગયા હતા. રામજી ચુડાસમા પોતાના વિસ્તારમાં ખૂબ જ સારી અને સેવાભાવી માણસની છાપ ધરાવે છે. તેઓ હંમેશા જનતાની સેવા કરવા માટે તત્પર રહેશે અને તેમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીમાં આવીને તેઓ વધુ સારી રીતે ગુજરાતની જનતાની સેવા કરશે.

સાથે સાથે આજે ભગતભાઈ જાડેજા પણ આજે આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ તથા સોમનાથ વિધાનસભાના ઉમેદવાર જગમાલ વાળાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભગતભાઈ જાડેજા મહેર સમાજમાં મોટું નામ ધરાવે છે અને અંત્રોલી ગામના પૂર્વ સરપંચ પણ રહી ચુક્યા છે. તેઓ પહેલા ભાજપમાં જૂનાગઢ જિલ્લામાં યુવા જિલ્લા પ્રમુખ પદે રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે એક વેપારી છે અને અરવિંદ કેજરીવાલજીની નીતિઓથી પ્રેરિત થયા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભગતભાઈ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેથી પોરબંદર વિધાનસભામાં ભાજપને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે.

ગુજરાતમાં લોકો અરવિંદ કેજરીવાલજી દ્વારા આપેલી ગેરંટી પર વિશ્વાસ કરી રહ્યા છે કેમ કે અરવિંદ કેજરીવાલજી ફક્ત હવા માં વાતો નથી કરતા જે કહે છે તે કરીને બતાવે છે. જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં અરવિંદ કેજરીવાલજીએ ગેરંટી અનુસાર બધા વાયદા પુરા કર્યા છે અને હવે ગુજરાતમાં પણ અરવિંદ કેજરીવાલજીએ મફત વીજળી, મફત અને સારું શિક્ષણ, મફતમાં સર્વશ્રેષ્ઠ આરોગ્ય વ્યવસ્થા, દરેક બેરોજગારોને રોજગાર, મહિલાઓને સન્માન રાશિ, વેપારીઓને ઈજ્જત અને આદિવાસી સમાજને વિશેષ ગેરંટીઓ આપી છે જેના કારણે દરેક વર્ગના કર્મચારી, મહિલાઓ, બાળકો, યુવાનો, વેપારીઓ એમ બધા અરવિંદ કેજરીવાલજીની મુદ્દાની રાજનીતિથી ખુશ છે. આવનારી ચૂંટણી ગુજરાતની જનતા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

You Might Also Like

યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત સ્થિર

દેશની આઝાદી બાદ શિક્ષા ક્ષેત્રે પ્રાચીન વૈભવ અને ગૌરવને પુનર્જીવિત કરવાની સરકારની જવાબદારી હતી પરંતુ ગુલામીની માનસિકતાના દબાણમાં પહેલાની સરકાર કામ કરી શકી નહી. નરેન્દ્ર મોદી

ભાજપના કયા નેતાએ કહ્યુ પ્રભારીઓ ચિન્તા છોડો કામ કરો  મળી શકે છે ટિકીટ !

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો

TAGGED:AAPBJPgujaratjunagadhKESHOD
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?