Connect with us

ઈકોનોમી

કચ્છના લાખોંદ ખાતે આકાર પામેલો ભારતનો સર્વ પ્રથમ ઊંટડીના દૂધનો પેકેજિંગ પ્લાન્ટ થકી કચ્છમાં રોજગારીની નવી તકોનું સર્જન

Published

on

કચ્છના લાખોંદ ખાતે આકાર પામેલો ભારતનો સર્વ પ્રથમ ઊંટડીના દૂધનો પેકેજિંગ પ્લાન્ટ થકી કચ્છમાં રોજગારીની નવી તકોનું સર્જન

ઊંટડીના દૂધનું દૈનિક ૪૧૦૦ લીટરનું કલેકશન : ઊંટડીના દૂધમાંથી વિવિધ પ્રોડકટ બનાવી દેશમાં કરાતું વેંચાણ : ૫૦૦૦ ઊંટનો ઉછેર કરતા ૨૫૦ ઊંટ ઉછેરકો માટે નવી દિશાઓ વિકસી

રાજયનો પ્રથમ પૂર્ણ રીતે સોલાર પાવર સંચાલિત રૂ.૧૯૦ કરોડના ખર્ચે બનેલા ચાંદ્રાણીના નવર્નિમિત દૂધ પ્લાન્ટથી અન્ય જિલ્લામાં દૂધ પ્રોડકટનું વેંચાણ શકય બનશે

દૂધની પ્રોડકટમાં વેલ્યૂ એડિશનના કારણે કચ્છના પશુપાલકોને દૂધના ઊંચા ભાવો મળશે : આડકતરી રીતે હજારો લોકોને રોજગારી મળશે તથા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં બચત થશે

કચ્છમાં માનવીય વસતી કરતાં પશુધનની વસતી વધુ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે ત્યારે આ ક્ષેત્રમાં જો વિકાસની નવી તકો ખૂલે તો કચ્છ જેવા સૂકા મલકમાં રોજગારીનું સર્જન થાય તે આશય સાથે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ડેરીની સ્થાપના વર્ષ ૨૦૦૯માં કરવામાં આવી હતી. જે બાદ વર્ષ ૨૦૧૩માં માત્ર ૩ વર્ષના ટૂંકા ગાળામાં લાખોંદ ખાતે રૂ. ૨૦ હજાર લીટર પેકેજિંગથી દૂધ પ્લાન્ટની શરૂઆત કરાઇ હતી. જે પ્લાન્ટ આજે વટવૃક્ષ બનીને દૈનિક ૨ લાખ લીટરથી ૬ લાખ લીટર દૂધની પ્રોસેસિંગ અને પેકેજિંગની ક્ષમતા ધરાવતો થઇ ગયો છે. આગામી સમયની કચ્છની જરૂરિયાત અને પશુપાલકોના હિતને જોતા ૧૯૦ કરોડના ખર્ચે અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે નવો પ્લાન્ટ ઊભો કરાયો છે. આ સાથે કચ્છની વિકાસગાથાની કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. જેમાં કચ્છના લાખોંદ ખાતે ભારતનો સર્વ પ્રથમ ઊંટડીના દૂધનો પેકેજિંગ પ્લાન્ટ પણ ઊભો કરવામાં આવ્યો છે. જે કચ્છ અને ગુજરાત માટે ગર્વની બાબત છે.
કચ્છમાં ગાય, ભેંસના ઉછેર અને પશુપાલન સાથે મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયેલા છે. પરંતુ ઊંટ ઉછેરના વ્યવસાય સાથે મર્યાદિત પશુપાલકો જોડાયેલા છે. બદલાતા સમય સાથે ઊંટ ઉછેરમાં આવતી સમસ્યા તથા રોજગારીની તકો ઘટતા આ વ્યવસાયથી નવી પેઢી દૂર જઇ રહી હતી. પરંતુ રાજ્યની સંવેદનશીલ સરકારના લોકલક્ષી નિર્ણયના કારણે કચ્છમાં ભારતના સર્વપ્રથમ ઊંટડીના દૂધનો પ્લાન્ટ આકાર પામ્યો છે. જેના કારણે ઊંટ ઉછેરના વ્યવસાયની નવી દિશા ખૂલી છે. તેમજ માલધારી પરિવારોને એક આધાર મળ્યો છે. આ અંગે અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલે ભારતના આ પ્રથમ પ્લાન્ટ અંગે વિગતે જણાવ્યું હતું કે, કચ્છમાંથી ઊંટડીનો ઉછેર કરતા માલધારીઓ પાસેથી દૂધ મેળવીને તેનું પ્રોસેસિંગ અને પેકેજિંગ કરાય છે. ઊંટડીના દૂધમાંથી વિવિધ બનાવટો જેવી કે, આઈસ્ક્રીમ, પાઉડર વગેરેનું ઉત્પાદન કરીને તેનું બજારમાં વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી કચ્છના માલધારીઓને પ્રોત્સાહન મળ્યું છે. વર્તમાન સમયમાં ૫૦૦૦ જેટલાં ઊંટનું પાલન કરતા ૨૫૦ ઊંટ ઉછેરકો પ્લાન્ટ સાથે જોડાયેલા છે. હાલમાં દૈનિક ૪૧૦૦ લીટર દૂધનું કલેકશન કરવામાં આવી રહ્યું છે. માલધારીઓને ઊંટડીના દૂધ પેટે પ્રતિ લીટર રૂ.૫૧ લેખે ચૂકવણી કરવામાં આવે છે. જે મુજબ ગત વર્ષે વાર્ષિક રૂ. ૭ કરોડનું ઊંટ ઉછેરકોને ચુકવણું કરાયું હતું. આ વર્ષે રૂ. ૧૦ કરોડનું સંભવિત ચૂકવણું કરાશે.
સરકારની મદદથી ચાંદ્રાણી ખાતેના ૧૯૦ કરોડના ખર્ચે બનેલા નવા પ્લાન્ટ અંગે માહિતી આપતા વલમજીભાઇ હુંબલે ઉમેર્યું હતું કે, કુલ ૨૬ એકરમાં બનેલા આ પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સંચાલિત પ્લાન્ટની વર્તમાન દૈનિક રૂ. ૨ લાખ લીટરની કેપેસિટી છે, જે વિસ્તરીને દૈનિક ૪ થી ૬ લાખ લીટર સુધી થઈ શકશે. સોલાર પાવરથી સંચાલિત પ્લાન્ટની ક્ષમતા વધતા વધુ ૨ લાખ લીટર દૂધ તથા તેની બનાવટને અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છ તથા નજીકના જિલ્લામાં વેંચાણ અર્થે મુકી શકાશે. કાચા દૂધના વેચાણની સામે વેલ્યૂ એડિશન કરી દૂધ અને દૂધની બનાવટો જેમ કે, દહીં, છાશ, પનીર, માવો, પેંડા, ઘી વગેરે તૈયાર થશે. વેલ્યૂ એડિશન શકય બનતા કચ્છના માનવધનથી વધુ પશુધન ધરાવતા જિલ્લાના પશુપાલકોને ઊંચા ભાવો ચૂકવવા સરહદ ડેરી સક્ષમ બનતા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ખેડૂતોની બમણી આવક કરવાની કલ્પના ફળીભૂત થશે. આમ, સીધી અને આડકતરી રીતે ૧૦૦૦થી વધારે લોકોને રોજગારી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં બચત તથા તેનો સીધો ફાયદો પશુપાલકોને થશે. તેઓ જણાવે છે કે, આજે સરહદ ડેરી થકી કચ્છમાં ૧૨૫ મહિલા મંડળી તથા ૧૦૦૦૦ મહિલા પશુપાલક સભાસદ આજે આત્મનિર્ભર બન્યા છે.
ચેરમેનએ નવા પ્લાન્ટ સાથે કાર્યરત થનારા ગુજરાતના સૌ-પ્રથમ સોલાર પાવર સંચાલિત અને સંપૂર્ણ ઓટોમેટિક પશુ-આહાર(કેટલ ફીડ) અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેટલ ફીડ પ્લાન્ટનું ૩૦૦ મેટ્રિક ટન પ્રતિદિનથી ૫૦૦ મેટ્રિક ટન પ્રતિ દિન વિસ્તરણ થઇ શકે છે. જેના કારણે વધુ માલનું ઉત્પાદન શકય બનશે.
ઉલ્લેખનીય છે કે, ૧૪ મંડળી પાસેથી ₹૧૪૦૦ લીટર દૂધ એકત્રીકરણથી સરહદ ડેરીની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે વટવૃક્ષ બનેલા આ પ્રકલ્પ દ્વારા ૭૩૫ મંડળીના ૯૦ હજારથી વધારે પશુપાલકો પાસેથી રૂ. ૫.૫૦ લાખ લીટર જેટલું દૂધનું ઊંચું કલેક્શન કરવામાં આવ્યું છે. તેમજ ચાલુ વર્ષે ₹રૂ. ૭ લાખ લીટર દૂધ કલેક્શનનું લક્ષ્યાંક છે

Advertisement

 

ઈકોનોમી

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અડાલજ ખાતે યોજાયો

Published

on

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અને સ્થાપક ચેરમેન  ઘનશ્યામભાઈ અમીનનો ‘અમૃત મહોત્સવ’ આજરોજ અન્નપૂર્ણાધામ, અડાલજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ રાજ્યભરમાંથી આવેલા વિવિધ ક્રેડિટ સોસાયટીઓના પ્રતિનિધિઓ પાસેથી આ ક્ષેત્રમાં સુચારું કામગીરી કરવા માટે શું શું તકલીફો પડે છે, તેની માહિતી તેમના સ્વમુખે મેળવી હતી.તેઓએ સર્વે સોસાયટીના પ્રતિનિધિઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપની કોઈપણ સમસ્યા કે સહકાર ક્ષેત્રના વિકાસ માટે કોઈ ઉમદા વિચાર હોય તો તે બાબતે અવશ્ય અમારી સરકારનું ધ્યાન દોરવું. જેથી કરી આપણે એક ઉમદા સહકારી ક્ષેત્રનું નિર્માણ કરી શકીએ.
તેમણે ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રને કઈ દિશામાં લઈ જવાનું છે, તે આપણે સૌએ સાથે મળીને નક્કી કરવાનું છે.એ દિશામાં સહકાર ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. હજુ પણ વધુને વધુ સહકારી ક્રેડિટ સોસાયટીઓ અને મંડળીઓની રચના થાય તેવું ઉમદા વાતાવરણ ઉભું કરવાનું છે. સહકારીતા એક એવો મજબૂત પાયો છે કે, જે ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા અદા કરે છે. સહકારી મંડળીઓ થકી જ આજે ગ્રામ્ય વિસ્તારના નાના-મોટા ધંધા રોજગાર કરતા અને મજૂર વર્ગ વ્યાજખોરોના ચુંગલમાંથી બચી શક્યા છે. ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં નંબર વન છે, એનો આનંદ વ્યક્ત કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે રાજ્યમાં ૬૨૦૦ જેટલી મંડળીઓ કાર્યરત છે. જેના ૪૮ લાખ જેટલા સભાસદો છે. રૂપિયા ૧ હજાર કરોડથી પણ વધુની ડિપોઝિટ છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘનશ્યામભાઈ અમીનની સહકારી ક્ષેત્રેની કામગીરી ખૂબ જ ઉમદા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન સહકારી ક્ષેત્રની પ્રગતિ માટે સમર્પિત કર્યું છે. આ ક્ષેત્રના વિધવાન, સારા લેખક સાથે સાથે સહકારી ક્ષેત્રેની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા માટે તેઓએ સેતુરૂપ ભૂમિકા અદા કરી છે. તેની સાથે તેમણે ગુજરાતની નાની નાની ક્રેડિટ સોસાયટી અને મંડળીઓને એકઠી કરી આ ફેડરેશન બનાવવાની ઉમદા કામગીરી કરી છે. તેમણે ઘનશ્યામભાઈના દીર્ઘાયુ આયુષ્ય અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શાસનધુરા સંભાળી તેની સાથે સહકાર વિભાગ એક વિભાગ તરીકે દેશમાં અસ્તિત્વમાં આવ્યું છે. સહકાર ક્ષેત્રની પ્રગતિ થાય તે માટે તેમણે આ વિભાગની જવાબદારી આ ક્ષેત્રે અનુભવી અને ગુજરાતના સપૂત શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. સહકાર ક્ષેત્રનો વધુને વધુ મજબૂત કરી રાજ્યની વિકાસ ગતિને વધુ તેજ બનાવવા આ સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે મહાનુભાવો ના હસ્તે ફેડરેશનના સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યની વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સોસાયટીઓનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીઝની વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના વોઇસ ચેરમેન મહેશભાઈ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને ફેડરેશનની કામગીરી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. ફેડરેશનના એ.ઇ. ઓ. રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ફેડરેશનની સ્થાપના થી ડિઝિટલ સુધીની યાત્રાની રસપ્રદ માહિતી આપી હતી.
આ પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીન, મહારાષ્ટ્ર સ્ટેટ કો.ઓપ.ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન ઓમપ્રકાશ કોઇટે, નિવૃત્ત રજિસ્ટાર જે. જે. શાહ, આણંદના એ.ઇ. ઓ. સુરેશભાઈ પટેલ સહિત, ફેડરેશનના હોદ્દેદારો, રાજ્યની વિવિધ મંડળી અને સોસાયટીના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

ઈકોનોમી

ક્રેડાઈ ગાંધીનગર આયોજિત પ્રોપર્ટી શોને ખુલ્લો મુકતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

Published

on

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી માં યોજાઇ રહેલા ક્રેડાઈ ગાંધીનગર આયોજિત પ્રોપર્ટી શો ની મુલાકાત લીધી હતી.
તેમણે લોકોને સરળતા એ સુવિધા યુક્ત આવાસો માટે પસંદગીનો વિકલ્પ મળી રહે તે માટે આવા પ્રોપર્ટી શો એક સક્ષમ પ્લેટફોર્મ ગણાવ્યા હતા.
સૌને આવાસ માટેની પ્રધાન મંત્રી આવાસ યોજના માં પણ આવાસ નિર્માણ કારો નો સહયોગ મળે તેવી અપેક્ષા મુખ્ય મંત્રી એ વ્યક્ત કરી સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થી વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવા આહવાન કર્યું હતું.
ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ અને ક્રેડાઇ ગાંધીનગર ના હોદેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

Continue Reading

ઈકોનોમી

સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સુર્યમંદિરને બજેટ પોથીમાં સ્થાન

Published

on

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ 2023-24 માટે ઐતિહાસિક રૂ. 3,01,022 કરોડનું બજેટ રજૂ કરાયું છે. વર્ષ 2022માં નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી. આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત‘થી ગૂંથવામાં આવ્યું છે.

બજેટ પોથીમાં હસ્તકલાને સ્થાન આપી ગુજરાતે રાજ્યની સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કર્યો હતો. બજેટ પોથી પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ, મોઢેરા સુર્યમંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત વડે ગૂંથવામાં આવ્યા છે. ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.

આ ઉપરાંત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢેરાનું સુર્યમંદિર એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. મોઢેરા ગામ દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાત દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે. જેના સન્માન સ્વરૂપે બજેટ પોથીમાં મોઢેરાના સુર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો.

વારલી ચિત્રકળા ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર તેમજ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ, તલાસરી, મોખડા, જવાહર, વિક્રમગઢ, સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગરહવેલી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરાતા હોય છે. આ અદ્‌ભૂત અને હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની ચિત્રકળાને બજેટ પોથીની થીમ રાખવામાં આવી છે.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.