Connect with us

અમદાવાદ

બાપુનગર વિધાનસભાને લઇને ભાજપમાં શરુ થયો કંકાસ !

Published

on

file photo
ભાસ્કર ભટ્ટ

ભાસ્કર ભટ્ટ

પ્રકાશ ગુર્જર

પ્રકાશ ગુર્જર

બાપુનગર વિધાનસભાને લઇને ભાજપમાં શરુ થયો કંકાસ !

પ્રદીપ સિહ વાધેલા અને જગદીશ પંચાલના જુથ વચ્ચે ગજગ્રાહ !

પ્રકાશ ગુર્જર વર્સીસ ભાસ્કર ભટ્ટની લડાઇ થઇ જાહેર !

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર મંગળવારે તમામ ચેરમેન ડેપ્યુટી ચેરમને સહિતના હોદ્દેદારો સાથે બેઠક યોજાતી હોય છે
જેમાં મોટાભાગના તમામ હોદે્દારો ઉપસ્થિત રહેતા હોય છે આ બેઠકમાં પ્રજાલક્ષી કામોની સમિક્ષા અને રાજકીય અજેન્ડા લઇને
ચર્ચા થતી હોય છે,જો કે આ મંગળવારે યોજાયેલી બેઠક તોફાની બની હતી, મ્યુનિપલ ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે સમય સર નહી આવવા બદલ
બાપુનગર વોર્ડના કાઉન્સિલર પ્રકાશ ગુર્જરને ઠપકો આપ્યો હતો, ત્યારે પ્રકાશે ગુર્જરે પણ ભાસ્કર ભટ્ટ સામે લાલ આંખ કરી હતી અને બન્ને વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી,,

Advertisement

પ્રકાશ ગુર્જરે ભાસ્કર ભટ્ટ સામે કેમ કરી લાલ આંખ !

મહત્વની વાત એ છે કે ભાસ્કર ભટ્ટ સરસપુર વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે, જ્યારે મુળ કોગ્રેસી અને રાજસ્થાની એવા પ્રકાશ ગુર્જર વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂટણી દરમિયાન
ટિકીટ ન મળતા કોગ્રેસનો હાથ છોડી કમળની સુવાસ લેવા ભાજપમાં જોડાયા,, જેની સાથે તેમને ભાજપે અમદાવાદ નગર પ્રાથમિક સમિતિના સભ્ય બનાવ્યા હતા
આ વખતે તેમના રાજકિય ગુરુ પ્રદીપ સિહ વાધેલાના આશિર્વાદથી તેઓ સીટીએમ એક્સપ્રેસ વે પાસે રહેતા હોવા છતાં તેમને બાપુનગર વોર્ડમાંથી કોર્પોરેશનની ટીકીટ અપાઇ,
તેઓ માંડ માંડ 700 મતોથી ચૂટણી જીત્યા હતા, જ્યારે બીજી તરફ સરસપુર વોર્ડના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટ વર્ષ 2015માં યોજાયેલ ચુટણીમાં કારમી હાર બાદ વર્ષ 2021માં તેઓએ આતંરિક વિરોધ વચ્ચે તત્કાલિન શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને શહેર પ્રભારી આઇ કે જાડેજાના આશિર્વાદ સાથે સરસપુર વોર્ડમાં ચૂંટણી લડ્યા અને ચાર હજાર કરતા વધુ મતોથી જીત મેળવ્યા બાદ મ્યનિસિપલ ભાજપના નેતા પણ બન્યા,,
જ્યારે બીજી તરફ પ્રદીપ સિહ વાધેલાના આશિર્વાદના કારણે હેલ્થ કમિટીના વાઇસ ચેરમેન બન્યા,,

 

 

અપક્ષ ચૂંટણી લડેલા ભાસ્કર ભટ્ટ અને મુળ કોંગ્રેસી એવા પ્રકાશ ગુર્જર વચ્ચે કેમ છે લડાઇ !

અમદાવાદ મહાનગર પાલિકાની તોફાની બનેલ મંગળવારીના મુળમાં બાપુનગર વિધાનસભાની ટીકીટ છે,
મ્યુનિસિપલ ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ સરસપુર વોર્ડમાં પ્રથમ વખત વર્ષ 2000માં ભાજપે ટિકીટ ન આપતા બળવો કરીને અપક્ષ તરીકે ચૂટણી લડ્યા હતા,
જોકે તેઓ હારી ગયા હતા, પણ તેમને જે પ્રકારે સરસપુરની જનતાએ પ્રેમ આપ્યો તેનાથી અહી કોગ્રેસની પેનલ ચૂટાઈ અને ભાજપની પેનલ હારી ગઇ,,પછી ભાજપને ભાસ્કર ભટ્ટની તાકાતનો આહેસાસ થયો,, અને તેમને બળવો કરવા છતાં
ભાજપના બાગીને નતમસ્કત વંદન કરીને પરત લઇ લેવાયા, એટલુ નહી તેમને 2005મા્ થાળીમાં પરોસીને ટીકીટ આપી,, તેમને રિક્રીયેશન કમિટીના ચેરમેન પણ બનાવાયા, વર્ષ 2010માં તેઓ ફરી જીત્યા, સતત જીત બાદ તેમને વિધાનસભા
લડવાની ઇચ્છા થઇ, પણ પાર્ટી તેમની ઇચ્છાઓ ઉપર પાણી ફેરવી દીધુ,,છતાં તેમને 2015માં ત્રિજી વખત કોર્પોરેશનની ટીકીટ અપાઇ,, ત્યારે ભાજપના આતંરિક જુથવાદ અને પાટીદાર અનામત આદોલનના કારણે તેઓ હારી ગયા
ત્યારે ભાજપે તેમને 2021માં ફરી ટીકીટ આપી,, અને તેઓ જીતી ગયા,, હવે તેમના મનમાં 2022ની વિધાનસભા ઇલેક્શન લડવાના કોંડ જાગ્યા છે, તો સામે મુળ કોગ્રેસી રાજસ્થાની એવા જે ભાસ્કર ભટ્ટથી જુનિયર હોવા છતાં પ્રકાશ ગુર્જરની ઇચ્છા
પણ પોતાના રાજનિતિક ગુરુ પ્રદીપ સિહ વાધેલાનો ભગવો ઝબ્બો પકડીને વિધાનસભાની ટીકીટ લેવા પ્રયત્નો કરી રહી છે, અને એટલે બન્ને નેતાઓ એક બીજાને કણાંની ખુચેં છે, સાથે એકબીજા ને ઉતારી પાડવાની કોઇ તક ચુંકતા નથી,
પ્રકાશ ગુર્જરે મદદગાર પરિવારના નામે સમગ્ર બાપુનગર વિધાનસભા મત વિસ્તારમાં ટીમ બનાવી રહ્યા છે,જેનાથી ભાજપ સ્થાનિક આગેવાનો પણ નારાજ છે, તો ભાસ્કર ભટ્ટ માટે આ ચિન્તાનો વિષય છે,

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.