Connect with us

અમદાવાદ

ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ ગયુ: ઈસુદાન ગઢવી

Published

on

દિલ્હીની કટ્ટર ઈમાનદાર સરકાર તોડવાનો ભાજપનો નિષ્ફળ પ્રયાસ.

 

ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ ગયુ: ઈસુદાન ગઢવી

ભાજપે ‘ઓપરેશન લોટસ’ હેઠળ દિલ્હીના ધારાસભ્યોને 20 કરોડ રૂપિયા ઓફર કર્યા: ઈસુદાન ગઢવી

જેમ સીરીયલ કિલર હત્યાઓ કરવાનો પ્લાન ઘડે એવી જ રીતે ભાજપે જે રાજ્યમાં તેમની સરકાર ન બને ત્યાં સરકાર પાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવી છે: ઈસુદાન ગઢવી

Advertisement

અરવિંદ કેજરીવાલજીના સૈનિકો પ્રજા માટે વફાદાર છે: ઈસુદાન ગઢવી

40 જેટલા ધારાસભ્યોને 20 કરોડની ઓફર આપી હોય મતલબ હાલ ક્યાંક ભાજપ પાસે 800 કરોડ રૂપિયા પડ્યા હશે, તો સૌથી પહેલા CBI અને ED ભાજપની તપાસ કરે: ઈસુદાન ગઢવી

ઈમાનદાર મનીષ સીસોદીયાજીએ આ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી છે: ઈસુદાન ગઢવી

આપણે 75 વર્ષની આઝાદી ઉજવી રહ્યા છીએ કે ધારાસભ્યો તોડી રહ્યા છીએ?: ઈસુદાન ગઢવી

ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે: ઈસુદાન ગઢવી

Advertisement

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ભ્રષ્ટ ભાજપે એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેમ સીરીયલ કિલર હત્યાઓ કરવાનો પ્લાન ઘડે એવી જ રીતે ભાજપે જે રાજ્યમાં તેમની સરકાર ન બને ત્યાં સરકાર પાડવાની મોડસ ઓપરેન્ડી અપનાવી છે. ભાજપે હમણાં જ મહારાષ્ટ્ર સરકાર પાડી, આ પહેલા ભાજપે આસામ અને મધ્યપ્રદેશમાં પણ સરકાર પાડી હતી. ‘ઓપરેશન લોટસ’ નામ આપીને ભ્રષ્ટ ભાજપે કેટલાક રૂપિયા એકઠા કરીને અરવિંદ કેજરીવાલજીની દિલ્હીની ઈમાનદાર પાર્ટીને પાડવાનું ષડયંત્ર કર્યું.

અરવિંદ કેજરીવાલજીનું પ્રભુત્વ જેમ જેમ ગુજરાતમાં વધી રહ્યું છે તેનાથી ભાજપ ડરી ગઈ છે. ગુજરાતના દરેક કર્મચારી, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ અરવિંદ કેજરીવાલજીને ખુબ જ પ્રેમ આપી રહ્યા છે. એટલે તેનાથી ડરીને ભાજપે અરવિંદ કેજરીવાલજીને ગુજરાતમાં રોકવા માટે દિલ્હીની સરકાર પાડવાની કોશિશ કરી છે. આપણે જોયું કે મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદેજીને CM બનાવાની ઓફર આપીને સરકાર પાડી અને બીજા ધારાસભ્યોને પણ 50 કરોડ રૂપિયા જેટલા ઓફર કર્યા તો ત્યાં કોઈ CBI કે ED તપાસ નથી કરતું કે આવા 1700-1800 કરોડ જેટલા રૂપિયા આવે છે ક્યાંથી. અને એવી જ રીતે ભાજપે મનીષ સીસોદીયાજીને પણ CM બનવવાની ઓફર આપીને સરકાર પાડવાની કોશિશ કરી છે. પરંતુ ઈમાનદાર મનીષ સીસોદીયાજી જે અરવિંદ કેજરીવાલજીના અનુયાયી છે, એમણે આ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી.

મનીષ સિસોદિયાજીના ના પડ્યા બાદ ભાજપે સરકાર પાડવા માટે બીજો રસ્તો અપનાવ્યો, દિલ્હીના ધારાસભ્યોને 20 કરોડ રૂપિયા ઓફર કરી સરકાર તોડવાની કોશિશ કરી. જો 40 જેટલા ધારાસભ્યોને ઓફર આપી હોય મતલબ હાલ ક્યાંક ભાજપ પાસે 800 કરોડ રૂપિયા પડ્યા હશે, તો સૌથી પહેલા CBI અને ED તેની તપાસ કરે. ભ્રષ્ટ ભાજપના આ કૃત્ય એ લોકશાહીની હત્યા કરી છે. આપણે આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ માનવીએ છીએ જ્યાં દેશ માટે ગર્વની વાત છે ત્યાં ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે.

Advertisement

અરવિંદ કેજરીવાલજીએ ધારાસભ્યો સાથે મિટિંગ કરી છે અને ત્યાંથી માહિતી મળી છે કે, 62 માંથી 53 ધારાસભ્યો ત્યાં ઉપસ્થિત હતા, એક સ્પીકર સાહેબ છે તે હાલમાં વિદેશ છે, મનીષ સીસોદીયાજી હિમાચલ પ્રદેશમાં હતા અને સત્યેન્દ્ર જૈનનું સૌ જાણે છે કે તેઓને ભાજપે ખોટા કેસ કરી જેલમાં નાખ્યા છે, આ સિવાય બાકીના બચેલા ધારાસભ્યો સાથે ફોનમાં વાત કરી ચર્ચા કરી છે કે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ ગયું છે. દેશમાં સૌને ભાજપ પર ગુસ્સો છે હવે, ગુજરાતની જનતા હવે ભાજપથી નફરત કરતી થઈ ગઈ છે, ગમે ત્યારે ગમે તેને ખરીદી લેવામાં આવે છે અને ગમે તેને ધારાસભ્ય બનાવવામાં આવે છે. કોઈ ભાજપના ધારાસભ્યની તપાસ નથી થતી. ભાજપ અને કોંગ્રેસની મીલીભગત ચાલુ જ રહે છે. ભાજપે આ શું ચાલુ કર્યું છે? આપણે 75 વર્ષની આઝાદી ઉજવી રહ્યા છીએ કે ધારાસભ્યો તોડી રહ્યા છીએ?

મને ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે ભાજપના નેતાઓએ લાખ કોશિશ કરી દિલ્હીના ધારાસભ્યોને તોડવાની પણ અરવિંદ કેજરીવાલજીના કટ્ટર ઈમાનદાર ધારાસભ્યો તૂટ્યા નથી. આ સાબિતી છે કે અરવિંદ કેજરીવાલજીના સૈનિકો પ્રજા માટે વફાદાર છે. અને એટલે જ એમણે મનીષ સિસોદિયાજી વિરુદ્ધ CBI અને ED લગાડી છે. કદાચ એવું પણ બની શકે કે આવનારા દિવસોમાં મનીષ સિસોદિયાજીની ધરપકડ પણ કરે. મારી ગુજરાતની જનતાથી અપીલ છે કે આ ચૂંટણીમાં ભાજપને જીતવા ન દેતા અને કોંગ્રેસને એક પણ વોટ પડવો ન જોઈએ. કેમ કે જો હાલ દિલ્હીમાં કોંગ્રેસના 20 ધારાસભ્યો હોત તો તે ભાજપમાં જતા રહ્યા હોત અને આવું ગુજરાતમાં પણ થશે જો કોંગ્રેસને વોટ આપશો તો.

મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે અમે તમારી માટે લડવા આવ્યા છીએ, ત્યાં તમે આ બંને પાર્ટીને ઓળખતા હોવા જોઈએ, હવે આ પાર્ટીઓ ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને પૂર્ણ બહુમતી થી બનાવો, એટલે ભવિષ્યમાં પણ ભાજપ કોંગ્રેસ સાથે મળીને સરકાર પાડવાની કોશિશ ન કરી શકે.

Advertisement

આ મહત્વપૂર્ણ પ્રેસવાર્તામાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી સહિત પ્રદેશ એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર અને પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.