અમદાવાદ
ભાજપવાળા CBI, પોલીસ, ED પાછળ જઇને છુપાઇ જાય છે, તે દર્શાવે છે કે તેઓ ગુજરાતના યુવાનોથી કેટલા ડરે છેઃ મનીષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ અમદાવાદમાં પદયાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો.
પદયાત્રાના પ્રારંભે મનીષ સિસોદિયાજીએ ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશીર્વાદ લીધા.
2022 ની ચૂંટણીમાં આ વખતે પરિવર્તન શાળાઓ માટે થશેઃ મનીષ સિસોદિયા
ઘરમાં, દુકાનોમાં બેઠેલા લોકોની પ્રતિક્રિયા કહી રહી છે કે ગુજરાત આ વખતે મોટા પરિવર્તન માટે તૈયાર છેઃ મનીષ સિસોદિયા
ભાજપે ગુજરાતના એક કરોડ બાળકોનું ભવિષ્ય બગાડ્યું છેઃ મનીષ સિસોદિયા
ખાનગી શાળાઓમાં ભણતા બાળકોના વાલીઓને ફીના નામે લૂંટવામાં આવે છે, સરકારી શાળામાં ભણતા બાળકોને સારું શિક્ષણ મળતું નથીઃ મનીષ સિસોદિયા
દરેક ઘરમાં 300 યુનિટ વીજળી મફત, દરેક બહેનના ખાતામાં પૈસા, યુવાનોને રોજગાર અને પેપર લીક સામે કડક કાયદો, પેપર ફોડનારાઓને જેલમાં ધકેલી દેવાની વ્યવસ્થા એ કેજરીવાલજીની ગેરંટી છેઃ મનીષ સિસોદિયા
અત્યારે દિલ્હીમાં અમુક લોકો મારી પાછળ પડ્યા છે તમારી પાછળ પણ પડી શકે છેઃ મનીષ સિસોદિયા
ભાજપવાળા CBI, પોલીસ, ED પાછળ જઇને છુપાઇ જાય છે, તે દર્શાવે છે કે તેઓ ગુજરાતના યુવાનોથી કેટલા ડરે છેઃ મનીષ સિસોદિયા
પરિવર્તન ત્યાગ અને બલિદાન માંગે છેઃ મનીષ સિસોદિયા
છેલ્લા ઘણા મહિનાઓથી સતત વિવિધ કાર્યક્રમો દ્વારા આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે-ખૂણે પોતાને પહોંચાડી છે અને પોતાના સંગઠનને મજબૂત કર્યું છે.
પદયાત્રામાં ઉપસ્થિત જનમેદની જોઈને દરેક વ્યક્તિ અંદાજ લગાવી શકે છે કે આગામી સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતીવાળી સરકાર બનવા જઈ રહી છે.
પદયાત્રામાં જોડાયેલા હજારો લોકોની જનમેદનીએ આમ આદમી પાર્ટીનાં ઉત્સાહને બમણો કરી દીધો છે.
આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતના ઘરે ઘરે પહોંચી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી સતત વિવિધ કાર્યક્રમો દ્વારા આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે-ખૂણે પોતાને પહોંચાડી છે અને પોતાનું સંગઠન મજબૂત કર્યું છે. તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન અને પદયાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. ગયા મહિને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં તિરંગા યાત્રાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે ફરી એકવાર મનીષ સિસોદિયાએ અમદાવાદમાં પદયાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની જોઈને દરેક વ્યક્તિ અનુમાન લગાવી શકે છે કે આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે.
પદયાત્રાની શરૂઆતમાં જ મનીષ સિસોદિયાએ ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ મનીષ સિસોદિયા, ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે અમદાવાદના સ્થાનિક લોકો પણ જોડાયા હતા. પદયાત્રામાં જોડાયેલા હજારો લોકોની ઉપસ્થિતિએ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ બમણો કરી દીધો છે. મનીષ સિસોદિયાએ પદયાત્રા દરમિયાન સ્થાનિક લોકોનું અભિવાદન કર્યું હતું. અમદાવાદની સાથે સમગ્ર ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. અને આ જ આશા આમ આદમી પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવી રહી છે અને તેથી જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓ અને સમગ્ર ગુજરાતના કાર્યકર્તોઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. પદયાત્રાની સફળતા જોઈને આજે દરેક લોકો ખુશ છે અને આવનારા સમયમાં હજુ પણ વધારે મહેનત કરવા માટે તૈયાર છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ પદયાત્રામાં ઉપસ્થિત હજારો લોકોને સંબોધતા કહ્યું કે, સૌ પ્રથમ, તમને બધાને અભિનંદન,પૂરા ઉત્સાહ સાથે આજે તમે અહીં આવ્યા છો. ઘરોમાં, દુકાનોમાં બેઠેલા લોકોની પ્રતિક્રિયા જણાવી રહી છે કે, ગુજરાત આ વખતે ઘણાં મોટા પરિવર્તન માટે તૈયાર છે. આ ઉત્સાહને બનાવી રાખજો. ચૂંટણી આવવાની છે અને આવનારી ચૂંટણીમાં આ વખતે પરિવર્તન શાળાઓ માટે હશે. ગુજરાતના એક કરોડ બાળકોનું ભવિષ્ય ભાજપે બગાડી દીધું છે. પ્રાઇવેટ શાળાઓમાં ભણતા બાળકોનું ભવિષ્ય તેમણે બગાડ્યું છે, ફીના નામે તેમના વાલીઓ લૂંટાઈ રહ્યા છે અને સરકારી શાળાઓમાં ભણતા બાળકોનું ભવિષ્ય તેમણે બગાડી દીધું છે કારણ કે ત્યાં પણ યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી. મહેનત કરીને આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો. ગુજરાતની એક-એક શાળાને દિલ્હીની જેમ શાનદાર બનાવી દેવામાં આવશે. કેજરીવાલએ દિલ્હીમાં કરીને બતાવ્યું છે અને અહીં પણ કરીશું. દરેક ઘરમાં 300 યુનિટ વીજળી મફત, દરેક બહેનના ખાતામાં પૈસા, યુવાનોને રોજગાર અને પેપર લીક સામે કડક કાયદો, પેપર ફોડી નાખનારાઓને જેલમાં ધકેલી દેવાની વ્યવસ્થા એ કેજરીવાલની ગેરંટી છે.
બસ, તમને એક જ વિનંતી છે કે, આ પરિવર્તનની આગને પ્રજ્વલિત રાખો. આ પરિવર્તન બલિદાન પણ માંગે છે. આ પરિવર્તન કુરબાની પણ માંગે છે. અત્યારે દિલ્હીમાં લોકો મારી પાછળ પડ્યા છે, તમારા પાછળ પણ પડશે એવું પણ થઇ શકે છે. પરંતુ એટલી માની લો કે, ભાજપ જેટલી પોલીસને, CBI ને, EDને આગળ કરે છે, એનો અર્થ એ થાય છે કે ભાજપ તમારાથી ડરે છે, આ ભાજપવાળા જેટલા CBI ની પાછળ સંતાય છે, પોલીસની પાછળ સંતાય છે, ED ની પાછળ સંતાય છે, તેનાથી એટલી ખબર પડે છે કે, તેઓ ગુજરાતના યુવાનોથી કેટલા ડરે છે. આ ડરને હજુ વધારો એમનાં મનમાં અને જ્યાં સુધી તેમની હાર ન થાય ત્યાં સુધી આ ડર વધવો જોઈએ. આ વખતે તેમને બતાવી દો કે ભાજપે 27 વર્ષમાં જે નથી કર્યું, અરવિંદ કેજરીવાલની સરકાર 5 વર્ષમાં તે કરી બતાવશે જેની જનતાને જરૂર છે.
અમદાવાદમાં આયોજિત પદયાત્રામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા.
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ