અમદાવાદ
ભાજપ 182 સીટો જીતવા માટે જોડશે લાખો નવા સદસ્યો !
ભાજપ 182 સીટો જીતવા માટે જોડશે લાખો નવા સદસ્યો !
આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું
ગુજરાતમાં ભાજપ આ વખતે 182 સીટ જીતવાના મંત્ર સાથે મૈદાનમાં ઉતરી છે,, પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડવા માંગે છે
અત્યાર સુધી ગુજરાતમાં પુર્વ મુખ્ય પ્રધાન માધવસિહ સોલંકીના નામે સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ નોધાયેલો છે, જે અત્યાર સુધી ગુજરાતમાં કોઇ નેતા કે કોઇ પાર્ટી રેકોર્ડ તોડી શકી નથી
જેનો વસવસો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છે,ત્યારે નવા 55 લાખ નવા સેૈનિકોને જોડીને રેકોર્ડ બનાવવાની રણનિતિ તૈયાર કરી છે,
ગુજરાત ભાજપે પહેલા ચિન્તન શિબિર કરી,,અને પછી કારોબારી પણ પુર્ણ કરી લેવાઇ,,જેમાં એકજ સુર વ્યક્ત થયો છે કે આ વખતે કોઇ પણ ભોગે 150 બેઠકો કરતા વધુ સીટો જીતવાની રણનિતી બનાવાઇ છે
જેમાં નબળા બુથોની જવાબદારી ધારાસભ્યો અને સાસંદોને પણ સોપાઇ છે,,ત્યારે હવે નવો સદસ્યોને જોડવાનો અભિયાન હવે જુનથી શરુ કરાશે, સુચના અપાઇ છે કે સમગ્ર રાજ્યમાં 55 લાખ નવા સદસ્યો જોડવાના છે
નવા સદસ્યતા અભિયાન હેઠળ સક્રીય સદસ્યોનો પણ સમાવેશ થાય છે,, ભાજપના સુત્રોની માનીએ તો રાજ્યમાં 52 હજાર બુથો છે, જ્યારે બુથ દીઠ 100 થી 120 નવા યુવાઓને જોડવાની રણનિતી બનાવાઇ છે,,
આમ તો ગુજરાતમાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવે છે,, ભાજપ જીત બાબતે આશ્વસ્ત છે, પણ આ વખતે ભાજપ પુર્વ મુખ્ય પ્રધાન માધવસિહ સોલંકીના નેતૃત્વમાં વર્ષ 1985માં ગુજરાત વિધાનસભાની યોજાયેલ
ચૂટણીમાં કોંંગ્રેસને 149 બેઠકો મળી હતી, એ દરમિયાન કોંગ્રેસે ખામ થીયરીનો અપનાવી હતી,અને સફળ પણ થઇ હતી, જો કે માધવ સિહ સોંલંકીના કાર્યકાળ દરમિયાન અનામત વિરોધી આંદોલન થતા
ટુંકા જ ગાળામાં તેમને મુખ્ય પ્રધાન પદ ઉપરથી રાજીનામુ આપવું પડ્યુ હતું, અને અમર સિહ ચૌધરી મુખ્ય પ્રધાન બન્યા હતા,
પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થાય છે અમાનુષિ અત્યાચાર-અમને ભારતની નાગરિકતા આપો !
વર્ષ 1984માં સમગ્ર દેશમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં માત્ર બે બેઠકો પ્રાપ્ત થઇ હતી, બે બેઠકો પ્રાપ્ત થયા બાદ સમગ્ર દેશમાં ભારતિય જનતા પાર્ટીએ મનન ચિન્તન કર્યું અને ભગવાન રામના નામે આંદોલન કરવાનું
સંધ અને તેની ભગની સંસ્થાઓએ નિર્ણય કર્યો, જેના ભાગ રુપે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ લાલ કૃષ્ણ આડવાણીના નેતૃત્વમાં સોમનાથથી અયોધ્યા રથયાત્રાનુ આયોજન કરાયુ હતું, જેમાં લાખોની સંખ્યામાં કાર સેવકો જોડાયા
રામ જન્મ ભુમિ આદોલન થવાના કારણે સમગ્ર દેશમાં ભારતિય જનતા પાર્ટી છવાઇ ગઇ,હિન્દુત્વની લહેર ઉભી થયા બાદ વર્ષ 1990માં ગુજરાત વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં જનતા દળ અને ભાજપ સયુક્ત રીતે ચૂંટણી લડ્યા
હતા,જેમાં જનતા દળને 70, ભાજપ 67 જ્યારે કોંગ્રેસને માત્ર 33 બેઠકો પ્રાપ્ત થઇ હતી, અને જનતા દળ અને ભાજપની સયુક્ત સરકાર રચાઇ..જેમાં ચિમનભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા,,અને કેસુભાઇ નાયબ મુખ્યમંત્રી બન્યા,,
વર્ષ 1992માં અયોધ્યમાં બાબરી મસ્જીદ ધ્વસ્ત થતા જનતા દળ અને ભાજપનું ગઠ બંધન તુટી પડ્યુ, ચિમન ભાઇ પટેલે પોતાની સરકાર બચાવવા માટે કોંગ્રેસના શરણે ગયા,,અને તેઓએ સત્તા ટકાવી રાખી,જનતાદળનું કોગ્રેસમાં
વિલિનકરણ થયું,
વર્ષ 1995માં ગુજરાતમાં ભાજપે પરિવર્તન લાવો,એક તક ભાજપને સુત્ર ગુચતું કર્યું, રામજન્મ ભુમી આંદોલન અને કોમી રમખાણોથી ત્રસ્ત ગુજરાતની પ્રજાએ ભાજપ પર પુર્ણ ભરોસો મુક્યો,અને ગુજરાત વિધાનસભાની વર્ષ 1995માં યોજાયેલ ચૂટણીમાં
121 બેઠક મળી હતી, અને કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, જો કે પ્રથમ વખત સત્તા મળતાની સાથે જ ભાજપમાં સત્તા માટે આંતરિક સંધર્ષ શરુ થઇ,તેઓ આ અરસામાં ગુજરાતને સમૃધ્ધ બનાવવા માટે વિદેશી મુડી રોકાણ
લાવવા માટે પહોચ્યા અને અહી તેમના સાથીદારોએ પીઠ પાઠળ ખંજર ભોક્યું, અને 46 ધારાસભ્યોએ બળવો કરતા ખજુરાહો કાંડ થયું,,જેમાં મધ્યપ્રદેશના તત્કાલિન સીએમ દિગ્વિજ સિહના આશિર્વાદથી ગુજરાતના ધારાસભ્યોનુ બળવો સફળ થયો,,
અને કેશુભાઇ પટેલને રાજીનામુ આપવુ પડ્યુ,, અને સુરેશ સીએમ તરીકે વિરાજમાન થયા,, જો કે લાંબો ટાઇમ ટકી ન શક્યા, અને શકરસિહ વાધેલાએ ભાજપથી અલગ થઇ, કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા,, અને તેઓએ ટનાટન સરકાર ચલાવી,,
જો કે તેમની સરકાર પણ વધુ ન ચાલી,, કારણ હતું તેમની વાક પટુતા,, અને કોંગ્રેસ તેમની સરકારને આપેલો ટેકો પાછો ખેચી લીધો,, અને પછી રાજપને કોંગ્રેસે બહારથી ટેકો આપીને દિલિપ પરિખ મુખ્યમંત્રી બન્યા, જો કે થોડાક સમયમાં
તેઓએ વિધાનસભાનુ વિસર્જન કર્યુ,,અને જનતા સમક્ષ ચૂટણી માટે ગયા,,
વર્ષ 1998માં ગુજરાતમાં ફરીવાર ભાજપની ભવ્ય જીત થઇ,ત્યારે કેશુભાઇના નેતૃત્વમાં ભાજપને 117 બેઠકો અને કેશુભાઇ ફરી વાર મુખ્ય પ્રધાન બન્યા, જો કે માત્ર ત્રણ વરસના ટુંકા ગાળામાં જ તેમને રાજીનામુ આપવુ પડ્યુ, કારણ કે વર્ષ 2000માં સ્થાનિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો કારમો પરાજય થયો, અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ઉપરાંત તાલુકા જિલ્લા પંચાયતોમાં ભાજપે સત્તા ગુમાવી,,
વર્ષ 2001માં આવેલ ભુકંપ દરમિયાન રાજ્ય સરકારની નબળી કામગીરીની સાથે જ ગુજરાત ભાજપમા ભારે અંસતોષ જોવા મળ્યો, કેશુભાઇ વિરોધી લોબી દિલ્હીમાં સક્રીય થઇ,,અને અંતે કેશુભાઇએ 2001માં મુખ્ય પ્રધાન પદથી રાજીનામું આપવું પડ્યુ
પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાના બળવા દરમિયાન ગુજરાત બહાર અપમાનિત કરીને કાઢી મુકાયેલા નરેન્દ્રમોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કેન્દ્રિય નેતૃત્વે ગુજરાતની જવાબદારી સોપી દીધી,,તેમના નેતૃત્વમાં વર્ષ 2002માં યોજાયેલ ચૂટણીમાં
ભાજપને 128 બેઠકો સાથે ભવ્ય જીત મળી,વર્ષ 2007માં કેશુભાઇ પટેલ,ગોરધનભાઇ ઝડફીયા,બાવકુ ભાઇ ઉઘાડ, ધીરુ ભાઇ ગજેરા, બેચર ભાઇ ભાદણી,કાશીરામ રાણા, એ કે પટેલ, વલ્લભ કથિરીયા જેવા ભાજપના સિનયર નેતાઓેના વિરોધ
વચ્ચે પણ નરેન્દ્રમોદી અડીખમ રહ્યા, 2007માં પણ ભાજપને 117 બેઠકો મળી હતી, જ્યારે 2012માં 115 સીટો મળી,,જ્યારે 2014માં વારાણસી અને વડોદરાથી લોકસભા સીટો ઉપર વિજય મેળવી તેઓ દેશના વડા પ્રધાન બન્યા,, જ્યારે 2017માં
વડા પ્રધાન નરેન્દ્રમોદીની ગેર હાજરીમાં ભાજપ ગુજરાતમાં સોનો આકડો પણ પાર ન કરી શકી,, અને 99માં સમેટાઇ ગઇ,,મહત્વપુર્ણ વાત એ છે કે તત્કાલિન સમયે ભાજપનો ટાર્ગેટ 150 બેઠકો મેળવવાનો હતો,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
હવે વર્ષ 2022માં ભાજપ હવે 182 સીટો જીતવાનો લક્ષ્યાંક રાખી રહી છે,ત્યારે સવાયા ગુજરાતી એવા પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ નવી રણનિતી સાથે મેદાનમાં ઉતર્યા છે,
ભુતકાળમાં ભાજપના પ્રદેશ અઘ્યક્ષ તરીકે એ કે પટેલ, શંકરસિહ વાધેલા, કાશિરામ રાણા, રાજેન્દ્ર સિહ રાણા, વજુભાઇ વાળા, પુરસોત્તમ રુપાલા, આર સી ફળદું, વિજય રુપાણી, જીતુ વાધાણી જેવા દિગ્ગજ નેતાઓ પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે
જોકે તેઓ માધવસિહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી શક્યા નથી, ત્યારે નોધનિય છેકે ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ આખા દેશમાં સૌથી વધુ મતોથી નવસારી લોકસભા બેઠક જીતવાનો રેકોર્ડ ધરાવે છે,
ચંદ્રકાંત પાટીલે ગુજરાત ભાજપની કમાન સંભાળ્યા બાદ ગુજરાત ભાજપમાં નવો જોમ ઉમેર્યો છે, રાજ્યની તમામ જિલ્લા પંચાયતો, આઠ મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓમાં ભાજપને ભવ્ય જીત અપાવી છે,
મહત્વની વાત એ છે કે નરેન્દ્રમોદી ગુજરાતમાં હતા, ત્યાં સુધી ક્યારેય ગાંધીનગર મહાનગર પાલિકા કે જિલ્લા પંયાયતમાં ભાજપને સીધી સત્તા મળી ન હતી, પેટા ચૂટણીઓમાં તમામ બેઠકો જીતવાનો તેમનો રેકોર્ડ છે,
ત્યારે કુશળ રણનિતીકાર ચંદ્રકાંત પાટીલે કોંગ્રેસના ગઢ રહેલા બેઠકો માટે આગવી રણનિતિ બનાવી છે, જેના ભાગ રુપે ગુજરાતમાં આગામી સમયમાં ભાજપ દ્વારા 55 લાખ નવા સૈનિકોને જોડવામાં આવશે,
એ માટે અભિયાન 16જુનથી શરુ થશે, જેમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન શરુ કરવામાં આવશે એ માટે દરેક જિલ્લા અને શહેરોમાં ઇંચાંર્જની નિમણુકો પણ કરી દેવામા આવી છે,એટલું જ નહી , વિધાનસભા બેઠકો પ્રમાણે
પ્રભારીઓની નિમણુંક કરી દેવામા આવી છે,
ઉલ્લેખનિય છે કે ભાજપ ઓબીસી , દરબાર, પાટીદાર અને લધુમતી જ્ઞાતીઓના પ્રદેશ પ્રમુખ બનાવીને પ્રયોગ કરી જોયો છે, પણ કોઇએ માધવસિહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ નથી તોડી શક્યા..પરિણામે હવે ભાજપના શિર્ષ નેેતૃત્વે
બિન ગુજરાતી, મહારષ્ટ્રિયન પાટીદાર અથવા એમ કહીએ કે સવાયા ગુજરાતી કહી શકાય તેવા ચંદ્રકાંત પાટીલને કમાન સોપી છે, ત્યારે ચંદ્રકાત પાટીલનો અત્યાર સુધી જે પરફોરમંશ રહ્યુ છે,, તેને જોતા લાગે છેકે તેઓ ભાજપને ઇચ્છિત ટાર્ગેટ સુધી
પહોચાડી શકશે, પરિણામે જે રણનિતી તેઓ બનાવે છે,,તેને અમલ કરવા માટે સમગ્ર પાર્ટી લાગી છે, જ્યારે હાલ ગુજરાતમાં 1.26 લાખ પ્રાથમિક સભ્યો નોધાયેલા છે, જ્યારે હવે ચૂંટણી માથે છે ત્યારે વધુ લાખો નવા સભ્યો બનાવીને ભાજપ પોતાના 150 કરતા વધુ સીટો અર્જિત કરવાના ટાર્ગેટને સર કરવા માંગે છે,