અમદાવાદ
પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !

પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !
ગુજરાત વિધાનસભાની 182 સીટો જીતવાના નેમ સાથે ભાજપ આગળ વધી રહ્યુ છે ત્યારે પ્રાંતિજના પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને ભાજપમાં જોડવા માટેનો ઓપરેશન હાથ ધરાયુ છે,
સુત્રોની વાત સાચી માનીએ તો કાશી વિશ્વનાથના પરમભક્ત વડા પ્રધાન નરેન્દ્રમોદીના આશિર્વાદ લીધા બાદ પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ મધ્ય પ્રદેશ સ્થિત ઉજ્જૈનમાં મહાકાલના આશિર્વાદ લેવા પહોચ્યા છે,
તેઓની રાજકીય સોદાબાજીના ભાગ રુપે પ્રાંતિજ બેઠક માટે ભાજપે ટિકીટ કરી હોવાનુ પણ સુત્રો કહી રહ્યા છે, આ બેઠક પર અત્યારે રાજ્ય સરકારના મંત્રી ગજેન્દ્ર સિહ પરમાર પ્રતિનિધીત્વ કરી રહ્યા છે,
જો કે તેમનો પત્ની સિવાયની અન્ય સ્ત્રી સાથેનો વિભત્સ વિડીયો વાયરલ થયો હતો જે તેમની રાજકીય કારકીર્દી માટે ભષ્માસુર સાબિત થઇ શકે છે,
સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
પ્રાંતિજ બેઠકના ઇતિહાસની વાત કરીએ તો
વર્ષ 1962માં કોંગ્રેસના શાંતુ ભાઇ પટેલે સ્વતંત્ર પક્ષના કિશોર સિહ ચાવડાને હરાવ્યા
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એન એ ઝાલાએ કોંગ્રેસના શાંતુ ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1972માં કોંગ્રેસના ગોપાલ દાસ પટેલે એનસીઓના કૃપાસંગ સોલંકીને હરાવ્યા
વર્ષ 1975માં અપક્ષ ઉમેદવાર દિપ સિહ રાઠોડે અપક્ષ ઉમેદવાર મણિલાલ પટેલને હરાવ્યા
વર્ષ 1980માં જનતા પાર્ટીના મગન ભાઇ પટેલે કોંગ્રેસ આઇના હરિશ ચંદ્ર સિહને હરાવ્યા
વર્ષ 1985માં કોંગ્રેસના ગોવિંદ પટેલે ભાજપના વિરેન્દ્ર સિહ ઝાલાને હરાવ્યા
વર્ષ 1990માં ભાજપના વિરેન્દ્ર સિહ ઝાલાએ કોગ્રેસના ગોવિંદ ભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 1995માં વિરેન્દ્ર સિહ ઝાલાએ કોંગ્રેસના જયવદન પટેલને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના દિપ સિહ રાઠોડે કોંગ્રેસના ગોવિંદ પટેલને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના દિપ સિહ રાઠોડે કોંગ્રેસ વિરેન્દ્ર સિહ ઝાલાને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના જય સિહ ચૌહાણે કોંગ્રેસના વિરેન્દ્ર સિહ ઝાલાને હરાવ્યા
વર્ષ 2012માં કોંગ્રેસના મહેન્દ્ર સિહ બારૈયાએ ભાજપના જયસિહ ચૌહાણને હરાવ્યા
વર્ષ 2017માં ભાજપના ગજેન્દ્ર સિહ પરમાર કોંગ્રેસના મહેન્દ્ર સિહ બારૈયાને હરાવ્યા
પ્રાંતિજ બેઠક પર કોંગ્રેસ વર્ષ 1962, 1972, 1985,વર્ષ 2012મા જીતી છે, જ્યારે વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષ વર્ષ 1980માં જનતા પાર્ટી, અને વર્ષ 1975માં અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી જીતી ચુક્યા છે
જ્યારે ભાજપ 1990, 1995,1998,2002,2007.2017 એમ છ વખત ચૂંટણી જીતી ચુક્યો છે,,
વર્ષ 2017માં કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને ભાજપના યુવા નેતા ગજેન્દ્ર સિહ પરમાર ભોય ભેગા કરી દીધા હતા, તેઓ પ્રાંતિજ વિધાનસભાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સતત રાજ્ય સરકારમાં રજુઆત કરીને ઉકેલ લાવતા હતા, જેને પરિણામે તેઓ પ્રાંતિજ વિધાનસભામાં પ્રજા વત્સલ નેતા તરીકે લોક હૃદયમાં સ્થાન પામ્યા હતા, ગજેન્દ્ર સિહ ચૌહાણનો સ્વભાવ એક સરળ સહજ અને મિલન સાર છે, તેઓ લોકોના પ્રશ્નો ઉકેલવામાં હમેશા
અગ્રેસર રહે છે, તેઓ અધિકારી અને પ્રધાનોને પણ પોતાના પ્રશ્નોને લઇને દબાણ ઉભો કરી વિસ્તારની જનતાને ન્યાય અપાવતા હતા, તેમને અંદાજ પણ ન હતો કે સંવેદનશિલ ગણાતી મુખ્ય પ્રધાન વિજય રુપાણીની સરકારના તમામ પ્રધાનો ઘર ભેગા કરવાનો કેન્દ્રિય નેતૃત્વે નિર્ણય કર્યો, જેની સાથે જ ન જાણ્યુ જાનકી નાથે તેવું પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ગજેન્દ્ર સિહના જીવનમાં બન્યું એવુ કે તેઓ સીધા રાજ્ય કક્ષાના પ્રધાન બની ગયા,,જેની સાથે
તેમના રાજકીય વિરોધીએ પણ સક્રીય બન્યા,,અને સ્વચ્છ છબી ધરાવતા, ચારિત્ર્યવાન, પ્રજા વત્સલ, લોક હૃદય સમ્રાટ બની ચુકેલા યુવા નેતા ગજેન્દ્ર સિહ ચૌહાણનો રાજકીય કાટો કાઢી નાખવા માટે ષડયંત્રો ખેલ શરુ થયો ,, અને
એક મહિલા કાર્યકર્તા સાથે અંગત પળોનો આનંદ માણતા હોય તેવો કથિત વિડીયો વાયરલ થયો,, એ મહિલાએ છેક કોર્ટ સુધી ન્યાય માટે ફરિયાદ કરી છે, જો કે ચારિત્ર્યવાન અને પ્રજા વત્સલ હોવાના કારણે તેમના રાજકીય વિરોધીઓ તેમનુ રાજકીય એન્કાઉન્ટર કરી શક્યા નહી,પણ તેમના ચરિત્ર પર કાદવ ઉછાળવામાં જરુરથી સફળ થયા, જો કે તેમનુ મંત્રી પદ યથાવત છે,,
હવે તેમના રાજકીય વિરોધીઓએ નવો દાવ ખેલ્યો છે, વર્ષ 2012માં પુર્વ શિક્ષણ પ્રધાન જયસિહ ચૌહાણને હરાવીને આવેલા કોંગ્રેસના મહેન્દ્ર સિહ બારૈયા ભાજપના બારણે ડોરબેલ વાગડી રહ્યા છે,અને ભાજપના બંધ દરવાજા ખોલાવવા પ્રયત્ન કરી રહ્યા છે,જેના ભાગ રુપે તેઓ કાશિવિશ્વનાથના પરમ ભક્ત વડા પ્રધાન નરેન્દ્રમોદીના શરણે પહોચ્યા હતા, બજેટ સત્ર દરમિયાન તેઓએ વડા પ્રધાન નરેન્દ્રમોદી સાથે આશિર્વાદ લીધા હતા, ત્રણ મહિનાના ભાજપ સાથેના લિવ ઇન રિલેશનને હવે ઔપરચારિક કરવા જઇ રહ્યા છે, આગામી સપ્તાહમાં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે સત્તાવાર રીતે જોડાઈ જશે, અને ભાજપનો કેસરીયો ધારણ કરશે, જેની સાથે જ
રાજ્ય સરકારના પ્રધાન ગજેન્દ્ર સિહ પરમાર માટે શનિની પનોતીની જેમ કપરા દિવસોનો આરંભ થાય તેવી શક્યતાઓ છે, કારણ બહુજ સ્પષ્ટ છે, સુત્રોની વાત સાચી માનીએ તો મહેન્દ્ર સિહ બારૈયા પ્રાંતિજ બેઠક માટે
કન્ફરમેન્શન સાથે ભાજપના ખુંટે બંધાઇ રહ્યા છે, ત્યારે ગજેન્દ્ર સિહ પરમાર પુર્વ શિક્ષણ મંત્રી જય સિહ ચૌહાણ સહિતના અનેક દાવેદારોની ચૂંટણી લડવાની મનની મનમાં રહી જશે,
કોના રોળાઇ શકે છે
ભાજપ- સભંવિત દાવેદાર
ગજેન્દ્ર સિહ પરમાર- રાજ્ય સરકારના પ્રધાન
જયસિહ ચૌહાણ, પુર્વ શિક્ષણ પ્રધાન
પ્રદીપ સિહ રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય
રણજીત સિહ દિપસિહ રાઠોડ, સાસંદ પુત્ર
મહેશ ભાઇ અમિચંદ પટેલ, પુર્વ ચેરમેન સાબરડેરી
કલ્પેશ પટેલ, ચેરમને એપીએમસી તલોદ
અમદાવાદ પોલીસ કમિશ્રનર સહિત અનેક અધિકારીઓની કેમ થઇ શકે છે બદલી
શંકર સિહ વાધેલાએ કેમ કહ્યુ કે હક લેવા માટે કરગરવાનુ ના હોય લાત મારીને લેવાનુ તાકાત રાખવી જોઇએ
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ