આમ આદમી પાર્ટી
ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે.

ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે.
પૂર્વ કોર્પોરેટર તથા ભાજપના જિલ્લા SC સેલના ઉપપ્રમુખ રહી ચુકેલ મનહરભાઈ પરમાર અરવિંદ કેજરીવાલના હાથે ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત થઈને મનહરભાઈ પરમાર મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા: આપ
આજે ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર અને જનતાની સેવા કરવાવાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: આપ
લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની સભાઓ, રેલીઓ અને સોશિયલ મીડિયામાં પ્રચાર અને પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે: આપ
આજે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આજે ગુજરાતના દરેક સમાજ, જાતિ – ધર્મના લોકો આમ આદમી પાર્ટીને એક મોકો આપવાનું નક્કી કરીને બેઠા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા ત્રણ ચાર મહિનાથી સતત ગુજરાતમાં આવી રહ્યા છે અને ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની ઊંઘ હરામ થઈ ગઈ છે. એટલા માટે જ આજે ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને આમ આદમી પાર્ટીને રોકવાનું ષડયંત્ર કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના લોકો ભાજપ અને કોંગ્રેસના ષડયંત્રને સફળ નહીં થવા દે. આજે ભાજપ અને કોંગ્રેસના પણ ઈમાનદાર અને જનતાની સેવા કરવાવાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સાથે સાથે દરેક જાતિ ધર્મના લોકો અને દરેક વર્ગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.
આ ઈમાનદાર અને સમાજસેવક લોકોની યાદીમાં વધુ એક નામ જોડાયું છે. ભરૂચના રહેવાસી મનહરભાઈ પરમાર અરવિંદ કેજરીવાલજીના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. મનહરભાઈ પરમારની સાથે સાથે કિશાન આગેવાન પિયુષભાઈ પરમાર , કેતનભાઇ પરમાર, રજનીકાંત ભાઈ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. મનહરભાઈ ભરૂચ નગરપાલિકામાં એક કોર્પોરેટર તરીકે ખૂબ જ સારી સેવા આપી ચૂક્યા છે. આ સિવાય મનહરભાઈ ભાજપમાં ભરૂચ જિલ્લાના અનુસૂચિત જાતિ વીંગના ઉપપ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. મનહરભાઈ આર.ટી.આઈ એક્ટિવિસ્ટોની ટીમ સાથે પણ ઘણા સમયથી કામ કરી રહ્યા છે. મનહરભાઈ માહ્યાવંશી સમાજના જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે તથા ફેર પ્રાઇસ એસોસિએશનના પણ જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ભરૂચ જિલ્લામાં વર્ષો સુધી જે પ્રશ્નોનો નિકાલ ન આવતો હતો તેવા પ્રશ્નોના નિકાલ લાવવા માટે મનહરભાઈએ ખૂબ જ સારી ભૂમિકા ભજવી છે. મનહરભાઈએ ભરૂચમાં પોતાનું સંગઠન ખૂબ જ મજબૂત બનાવ્યું છે અને તેઓ યુવાઓમાં ખૂબ જ પ્રચલિત છે. મનહરભાઈ પરમાર અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિ અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં થયેલા દિલ્હીના કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને દરેક ક્ષેત્રમાં ગેરંટીની ભેટ આપી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મફતમાં વીજળી, મફતમાં સારું શિક્ષણ, મફતમાં સારું આરોગ્ય, બેરોજગારોને રોજગાર, રોજગાર ન મળે ત્યાં સુધી યુવાનોને રૂપિયા 3000 બેરોજગારી ભથ્થુ, વેપારીઓ માટે ભયમુક્ત માહોલ, 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને ₹1000 સન્માન રાશિ, ગુજરાતનાં ખેડૂતો માટે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ આ 5 પાક પર MSP, જળ, જંગલ, જમીન પર માત્ર ગ્રામસભાઓનો જ અધિકાર રહે એ માટે ‘પેસા કાનૂન’, કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી, ખેડૂતો, સરપંચ અને આદિવાસી સમાજ માટે વિશિષ્ટ ગેરંટી ઉપરાંત ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને લોકતંત્ર જળવાઈ રહે તે માટે જનતાની પોતાની સરકાર બને એવી ભેટ ગેરંટી રૂપે અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને આપી છે.
આજે અરવિંદ કેજરીવાલની જનતાના મુદ્દાઓનો ઉકેલ લાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈને દરેક વર્ગ અને સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સાથે લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની સભાઓ, રેલીઓ અને સોશિયલ મીડિયામાં પ્રચાર અને પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે એ જોતા જનતા આ વખતે પરિવર્તન લાવવાનાં મૂડમાં છે એ સ્પષ્ટ નજર આવી રહ્યું છે.
અમદાવાદ
આમ આદમી પાર્ટીએ શેના પર ચિંતન કર્યું?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ જુસ્સા અને જોમ સાથે 182 વિધાનસભા બેઠકો પર થી ચૂંટણી લડ્યા હતા જોકે આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો પ્રાપ્ત થઇ હતી ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધેલા જનાધાર અને પાર્ટીના હારના કારણોને લઇ ચર્ચા થઇ હતી.આગામી વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની રણનીતિને લઇ બેઠક માં ચર્ચા થઇ હતીજેને લઇ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી ,ગોપાલ ઈટાલીયા ,કૈલાશદાન ગઢવી સહીત ના નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું.
આમ આદમી પાર્ટી
અરવિંદ કેજરીવાલે આપના એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ?

અરવિંદ કેજરીવાલેઆપણા એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો બીજેપીની ઓફરથી પ્રભાવિત થઈને જતા ના રહે તે માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમની સાથે બેઠક કરી ને લોભ લાલચમાં નહીં ફસાવવા માટે સૂચના આપી હતી એટલુંજ નહીં વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ કરવા અને પ્રજાલક્ષી પ્રશ્નો અને તેમના કામો કરવા માટે કહ્યું હતું..
આપ ના 5 ચૂંટાયેલા ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું? એ બાબતે તાલીમ આપવામાં આવી હતી. 5 ધારાસભ્ય 3 દિવસ સુધી દિલ્હી ખાતે રહ્યા હતા
એ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તમામ ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું એની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પંજાબ અને દિલ્હીના ચૂંટાયેલા ધારાસભ્યો કેવી રીતે કામ કરે છે એની માહિતી અપાઈ હતી. ગુજરાતમાં કયા કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું છે ? એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર જેવા મુદ્દાઓને ઉઠાવવા માટે સૂચના આપી હતી
દિલ્હી ખાતે યોજાયેલ ધારાસભ્યોની બેઠક ને લઇ એક ધારાસભ્યે કહ્યું હતું કે રાજયની તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનો પાર્ટીનો પ્લાન છે..એ માટે પાંચેય ધારાસભ્યોને કામે લાગી જવા માટે સૂચના આપી હતી
આમ આદમી પાર્ટી
આપ ના મુખ્યપ્રધાન ના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામ ખંભાળિયા થી ચૂંટણી લડશે

આપ ના મુખ્યપ્રધાન ના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામ ખંભાળિયા થી ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી જામખંભાળીયા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે તેની સત્તાવાર જાહેરાત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ થી કરી છે..ત્યારે હવે આ બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર વિક્રમ માડમ ,ભાજપ ના ઉમેદવાર મુળુભાઈ બેરાની વચ્ચે ત્રિકોણિયો જંગ ખેલાશે ત્યારે નોંધનીય છે કે આ બેઠક પર વિક્રમ માડમ ધારાસભ્ય છે ત્યારે જોવાનું છે આ બેઠક પર કયો બળિયો ચૂંટણી જીતવા માં સફળ થશે તે તો 8 ડિસેમ્બરના ઈવીએમ ખુલ્યા બાદ ખબર પડશે
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ