Connect with us

અમદાવાદ

ગુજરાતમા ધર્મ પરિવર્તનના મોટા રેકેટનો પર્દાફાશ !

Published

on

ગુજરાતમા ધર્મ પરિવર્તનના મોટા રેકેટનો પર્દાફાશ !

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે રહેઠાણ વિસ્તારમાં બનતા નિર્માણાધિન ચર્ચને તોડી પાડવાની કામગીરી
તંત્રે કરી છે, સ્થાનિકોનો આરોપ છે કે અહી ધર્મ પરિવર્તન કરાવવાનો નેટવર્ક ચાલતો હતો..જેનો સ્થાનિકોએ પર્દાફાશ કર્યા હોવાનો
દાવો કર્યો છે, જ્યારે આ અંગે સામે પક્ષે કોઇ બોલવા તૈયાર નથી,

ભાજપના રાજમાં ભાજપના યુવા નેતાને દારુ સાથે પકડતી પોલીસ !

આશાબેન નાયક

ચર્ચમાંથી રડવાના આવાજ આવતો હતો- આશાબેન નાયક

Advertisement

અમદાવાદના અમરાઇવાડી વોર્ડના શક્તિનગરમાં છેલ્લા ચાર મહિનાથી બે માળનો મકાન બની રહ્યો હતો, જેને સ્થાનિક વ્યક્તિએ દક્ષિણ ભારતના
રહેવાસીઓને વેચાણ કર્યો હતો, સ્થાનિકોનો આરોપ છે કે આમાં ચર્ચ બનાવવાની હિલ ચાલ હતી, જેનો વિરોધ કરાયો, અને સાથે
તંત્રને જાણ કરાઇ,, ત્યારે મહાનગર પાલિકાની મંજુરી વગર બે માળનો મકાન બની ગયું હતુ,,જેને તોડવાની કામગીરી શરુ કરી દેવાઇ
સ્થાનિક આશાબેન નાયકે આરોપ લગાવ્યા છે અમારી ફરિયાદ બાદ 3 વખત નોટિસો અપાઇ હતી અને જ્યારે ઉગ્ર વિરોધ કરાયો ત્યારે
આ ગેર કાયદે બનતા મકાનને તોડવામાં આવ્યુ છે, તેઓએ કહ્યુ કે અમે ઇચ્છતા નથી કે અમારા બાળકો ક્રિશ્ચિયન ધર્મમાં જાય
અહી ચર્ચ બની રહ્યુ હતું, ચાર મહિનાથી બને છે,સમગ્ર ચાલીને મુસિબતનો સામનો કરવો પડી રહ્યો હતો,,અહીથી રડવાના આવાજ
આવતા સ્પિકરો જોર જોરથી વગાડવામાં આવતા હતા,,

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

બબીબેન નાયક

સ્કુલના બદલે ચર્ચા બનાવાયુ-બબી બેન નાયક

બબી બેન નાયકે પણ આરોપ લગાવ્યો કે સમગ્ર વિસ્તાર હિન્દુઓનો છે અમારે અમારા વિસ્તારમાં ચર્ચ ના જોઇએ, બાળકો ઉપર ખરાબ
અસર પડે છે, અહી કહેવામાં આવ્યુ હતુ કે ગરીબ બાળકોને ભણાવવા માટે સ્કૂલ બનાવીશું, પણ સ્કુલના બદલે ચર્ચ બનાવાઇ રહ્યુ હતું
ચર્ચનુ બોર્ડ પણ મારી દેવાયુ હતું જેનો અમારો વિરોધ હતો

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

Advertisement

શ્વેતા બેન પાટીલ

ધર્મ પરિવર્તન કરાવતા હતા, શ્વેતાબેન પાટીલ

બીજા પણ સ્થાનિક આગેવાન શ્વેતા પાટીલે જણાવ્યુ કે અહી તેઓ કહેતા હતા છોકરીઓ માટે સિવણ ક્લાસ ખોલવામાં આવશે, પછી કહ્યુ
હતુ કે ગરીબ બાળકો માટે સ્કૂલ ખોલવામાં આવશે,, તેઓ દક્ષિણ ભારતના હતા મદ્રાસીમાં બોલતા હતા, પહેલા તેઓ અઠવાડિયામાં
એક વખત આવતા,, પછી ત્રણ વખત આવવા લાગ્યા તેઓ આદિવાસીઓને અહી લાવતા ધર્મ પરિવર્તન કરાવતા હતા,
ખરા બપોરે સ્પિકરો ચાલુ કરી દેતા, જેમાં ઘરમાંથી ચીસા ચીસ સંભળાતી,જ્યારે તેમને પુછીએ તો તેઓ કહેતા હતા કે ભુત ભગાડીએ છીએ
અમારા આસપાસના બાળકોને ખ્રિસ્તી સંપ્રદાયની પુસ્તકો વાચંવા માટે આપતા,સાથે બાળકોને બોલાવીને ખાવા પીવાની વસ્તુઓ
આપતા હતા, બાળકોને લલચાવતા ફોસલાવતા હતા, ઇશા મસિહના વખાણ કરતા ગીતો તૈયાર કરાવતા, બાળકો પૈસા અને વસ્તુઓની
લાલચના કારણે આ બધુ યાદ પણ કરતા હતા, તેમને ધીમે ધીમે ધર્મ પરિવર્તન તરફ લઇ જતા હતા, જેનો અમારો વિરોધ હતો,

ઠાસરામાં રામના પરિવારને કોણ પડશે ભારે !

જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાવા જોઇએ

આમ તો શક્તિનગરના રહીશોના વિરોધના પગલે આ વિવાદિત નિર્માણાધિન મકાન તોડવામાં આવ્યા છે, પણ સવાલ એ ઉઠે છે કે
જ્યારે આ મકાન બનવાની શરુઆત થઇ ત્યારે કોઇ વોર્ડ ઇન્સ્પેક્ટરનુ ઘ્યાન કેમ ન ગયું અથવા વોર્ડ ઇન્સ્પેક્ટરે જાતે આ ચર્ચ બનાવવા માટે
ભ્રષ્ટાચાર કર્યો હશે,, કારણ કે જ્યારે સ્થાનિકોએ પહેલી અરજી કરી ત્યારે જ કેમ ન અટકાવવામાં આવ્યુ ,,બિલ્ડીગને સીલ કેમ ન મારાયું
વિલંબ કરવાનુ કારણ શું,,ચાર મહિના સુધી આટલુ મોટુ બિલ્ડીંગ બનતું રહ્યુ ત્યાં સુધી એએમસીનુ એસ્ટેટ વિભાગ શુ કરતો હતો,
વોર્ડ ઇંસપેક્ટરથી લાઇને ડેપ્યુટી એસ્ટેટ ટીડીઓ સુધીના અધિકારીઓ ચુપકીદી કેમ સેવી, શુ તેમને ચર્ચના જવાબદાર લોકોએ
આર્થિક પેકેજનો કોઇ લાભ આપ્યો હતો, સ્થાનિકોના વિરોધ સામે પગલા લેવામાં તકલીફ ક્યાં હતી,આમાં માટે ના જવાબદાર
અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ જ નહી પણ એસીબીએ પણ તપાસ કરવી જોઇએ,

Advertisement

ભાજપના રાજમાં ભાજપના યુવા નેતાને દારુ સાથે પકડતી પોલીસ !

લોભ લાલચથી ધર્મ પરિવર્તન ઉપર છે પ્રતિબંધ

રાજ્યમાં ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ છે, કોઇ પણ ધર્મના લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તિત કરી સકાતા નથી,
ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે ચર્ચમાં નિર્દોષ બાળકોનુ બ્રેન વોશ કરાતુ હતું, ચર્ચ બનાવનાર, અને ચર્ચમાં આવનાર
અને ધર્મ પરિવર્તન કરાવવાની ચેષ્ટા કરનારાઓ સામે પોલીસ એક્શન લેવા જોઇએ

હાર્દીકે ધારણ કર્યો કેસરિયો ખેસ !

બે પ્રધાનો વચ્ચે ફસાયો પ્રસિધ્ધી વિભાગ !

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.