અમદાવાદ
ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !

ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !

ફાઇલ ફોટો- અમિત શાહ સંગ ભુપેન્દ્ર યાદવ
ગુજરાત વિધાનસભા ઇલેક્શન માટે બ્યુંગલ ફુકાઇ ચુક્યો છે, સત્તાધારી પક્ષ ભાજપ,કોગ્રેસ અને આમ અદામી પાર્ટી સહિત અનેક અપક્ષો પણ ચૂટણી લડવા માટે તાલ ઠોકી રહ્યા છે
તેવામાં 2017માં ભાજપને સત્તાના શિખર સુધી પહોડનાર તત્કાલિન પ્રભારી અને હાલના કેન્દ્ર સરકારના પ્રધાન ભુપેન્દ્ર યાદવને ફરી ગુજરાતના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોપાય તેવી
સંભાવના વર્તાઇ રહી છે, ભુપેન્દ્ર યાદવ 2017માં ગુજરાત ભાજપના ચાણક્ય રહ્યા હતા, જોઇએ આ રિપોર્ટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ચર્ચાઓનો બજાર ગરમ છે, કેટલાક કહે છે ચૂટણી જુન સુધી આવશે તો કેટલાક કહે છે, કોઇ કહે છે કે પોતાના નિયત સમય એટલે કે ડીસેમ્બરમાં પણ આવી
શકે છે, તેની વચ્ચે કેન્દ્ર સરકારના પ્રધાન ભુપેન્દ્ર યાદવને ગુરજરાતના પ્રભારી મંત્રી બનાવાય તેવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે, સાથે એક અઠવાડિયામાં તેમનો પ્રવાસ પણ ગુજરાતમાં ગોઠવાશે
તેવી ચર્ચાઓ ભાજપના રાજકીય વર્તુળોમાં શરુ થઇ ગઇ છે
Chaired the meeting of the consultative committee of Parliament of @moefcc on the Single-Window Integrated Environmental Management System-PARIVESH.
Detailed discussions and suggestions from MPs will be key inputs as we expand the scope of PARIVESH to the next level. pic.twitter.com/aKEoBbkzPf
— Bhupender Yadav (@byadavbjp) March 21, 2022
સફળ રણનિતીકાર તરીકે ભુપેન્દ્રયાદવ
ભુપેન્દ્ર યાદવને સફળ સંગઠનના સફળ રણનિતિકાર તરીકે જોવામાં આવે છે, 2017માં જ્યારે તેઓ ગુજરાતના પ્રભારી હતી તે સમયે ગુજરાતમાં પાટીદારો ભાજપના વિરોધમાં હતા
તે સમયે ભાજપ સત્તામાં આવે તેવી પરિસ્થિતિ ન હતી, તેવા સંજોગોમાં ભુપેન્દ્ર યાદવે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો,,સમગ્ર ગુજરાતમાં કાર્યકર્તાઓમાં જીત માટે જુસ્સો ભર્યો, બુથ મેનેજમેન્ટ અને પેજ પ્રમુખ રણનિતિને મજબુક કરી,
પાટીદાર અનામત આદોલનને કઇ રીતે તોડાય અથવા એમ કહીએ કે
તેની અસર ભાજપને કઇ રીતે ઓછી થાય તે માટે રણનિતિ ઘડી, પાટીદાર આદોલનની આગેવાની કરતા અનેક નેતાઓને તોડીને છેલ્લી ઘડીએ ભાજપમાં જોડ્યા,, રુત્વીજ પટેલને પાટીદાર
નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા, પાટીદાર સમાજના આગેવાનોને સાથે બેઠક કરી,,અને ભાજપને હારતા હરતા જીત તરફ વાળી લીધી,,અને 2017માં ભાજપને જીત અપવવામાં તેમની રણનિતિ કારગર નિવડી,,
વિજય રુપાણીએ જ્યારે સીએમ પદ ઉપર રાજીનામુ આપ્યુ હતુ, ત્યારથી તેઓ ગુજરાતથી દુર હતા, ત્યારે હવે એક એઠવાડીયામાં તેઓનો ગુજરાત પ્રવાસ ગોઠવાઇ શકેછે,
बिहार दिवस पर आईएनऐ स्थित दिल्ली हाट में बिहार उत्सव में भाग लिया।
एक बार फिर से आपन्हे सब के बिहार दिवस के हार्दिक बधाय आरू ढ़ेर सिनी सुभकामना। pic.twitter.com/PyVKcPY2o1
— Bhupender Yadav (@byadavbjp) March 22, 2022
2022માં પણ મળી શકે છે ગુજરાતની જવાબદારી
આમ આદમી પાર્ટીએ જે રીતે પંજાબમાં સત્તા હાંસલ કરી તેવી જ રીતે તે ગુજરાતમાં પણ આવી રહી છે,જેમાં પ્રથમ શક્તિપ્રદર્શન તે 2 એપ્રિલથી કરશે, જેમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન
ભગવંત માન આવશે,, રોડ શો કરશે,, સાથે પંજાબમાં જીત અપાવનારી ટીમને આપે ગુજરાતની જવાબદારી સોપી દીધી છે, પરિણામે હવે ભાજપને કોગ્રેસ કરતા આપની ચિન્તા વધુ છે, કારણ કે
આદ આદમી પાર્ટીએ પંજાબમા આવતાની સાથે પોતાના વચનોના પાલનની શરુઆત કરી દીધી છે, જ્યારે ભાજપ સામે યુપીની જનતાને અપાયેલા વચનો પાલન કરવાનો પડકાર રહેશે, જેથી ભાજપ હાઇકમાન્ડ
ભુપેન્દ્રયાદવને ફરીથી ગુજરાતની જવાબદારી સોપી શકે છે
This #WorldWaterDay, let's pledge to save every drop of water we can. #JalJeevanMission pic.twitter.com/Fsx7ytmOAV
— Bhupender Yadav (@byadavbjp) March 22, 2022
રાહુલ ગાંધી સાથે ગુજરાત કોગ્રેસી નેતાઓની મુલાકાત
ગુજરાત કોગ્રેસની સ્થિતિ હાલ એક જોડે ને તેર તુટે જેવી છે, કારણ કે જ્યારથી ખુલાસો થયો છે કે તેમના 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં ત્યારથી તેમનામાં હડકંપ શરુ થઇ ગયો છે
ત્યારે ગુજરાત કોગ્રસેમાં દિગ્વિજય સિહ અને હાર્દીક પટેલ જુથ વચ્ચે પણ વિવાદો ચરમસીમાએ છે તેવી પરિસ્થિતિમાં ગુજરાતમાં કોગ્રેસની રણનિતિ શુ રહેશે કયા મુદ્દાઓ લઇને તેઓ
જનતા વચ્ચે જશે, અને જે રીતે કોગ્રેસનુ જનાધાર સામે સવાલો ઉભા થાય છે તેનાથી કોગ્રેસના ધારાસભ્યોને નુકાશન થઇ રહ્યા છે, ગુજરાતમાં ભાજપ સરકાર નિષ્ફળ શાષન આપવા છતાં
કોગ્રેસ તેને ઘેરી સકતી નથી, હવે તો આપ પણ કોગ્રેસ માટે પડકાર છે,, તેવામાં હવે કોગ્રેનસા નેતાઓ રાહુલ ગાંધીને દિલ્હીમાં મળ્યા છે,,અને ગુજરાતનો ચીતાર રજુ કર્યો છે, સાથે ટીકીટ આપવાથી માંડી પ્રચારની
રણનિતિ તૈયાર કરીને ગુજરાત પરત આવશે,
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ