bhavnagar
અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.
અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી દૂર કરવાની નેમ સાથે ભાવનગરમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભગત માને ભાવનગરમાં જાહેરસભાને સંબોધી હતી જેમાં તેઓ જાહેરાત કરી હતી કે આઈબી ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.આપ દ્વારા આપવામાં આવેલ તમામ ગેરન્ટી નો અમલ પણ સરકાર બનતાની સાથે શરૂ કરી દેવાશે, તેઓ જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવો જોઈએ.આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, બધા લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે અને તેમને જેલ મુક્ત કરવામાં આવશે. આ તેમણે આઈબીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 92થી 93 સીટો મળી રહી છે.આ ઉપરાંત અરવિંદ કેજીરવાલે કહ્યું કે, ગુજરાતને ડબલ એન્જિનની નહીં પરંતુ નવા એન્જિનની જરૂર છે.
હજુ આપણ વધારે મહેનત કરવાની જરૂર છે. હજુ વધુ સીટ કવર કરવાની છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, જો ઓછા માર્જીનથી સરકાર બનશે તે ભાજપવાળા અમારી સરકાર તોડી નાખશે. તેથી 150 જેટલી બેઠક જીતાડવાની લોકોને અપીલ કરી હતી.