Connect with us

અમદાવાદ

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

Published

on

પ્રતિકાત્મક ફોટો

અનાર પટેલ લડી શકે છે ચૂંટણી !

ગુજરાત વિધાનસભા ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થાય તેવો વાતાવરણ બન્યુ છે,ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલના પુત્રી અનાર બેન પટેલ પણ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે
તેવી ચર્ચાઓ ભાજપમાં શરુ થઇ ગઇ છે, પરિણામે અનેક ભાજપના સિનિયર નેતાઓની ઉંધ હરામ થઇ ચૂકી છે, સુત્રોની વાત સાચી માનીએ તો અનાર પટેલ અમદાવાદમાં થી ચૂટણી લડી શકે છે,,

 

ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !

Advertisement

અનાર પટેલનુ રાજકીય ગણિત !

ભારતિય જનતા પાર્ટીને જે રીતે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ ગોવા અને મણીપુરમાં પ્રંચડ જીત મળી છે,,જેના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદી બાદ અમિત શાહ પણ ગુજરાતમાં
હાજરી આપી રહ્યા છે, આગામી સમયમાં પેજ પ્રમુખો અને કાર્યકર્તાઓ સમ્મેલનોના આયોજનની તૈયારી શરુ કરી દેવાઇ છે, સાથે સાથે અમદાવાદ શહેરમાં વિરાંજલી કાર્યક્મમાં ભવ્ય સફળતા મળી છે, ત્યારે સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં
આવા કાર્યક્રમો કરવા માટે સુચનાઓ આપી દેવામાં આવી છે, ત્યારે ઉમેદવારોની પસંદગી માટેની માપદંડ નક્કી કરી દેવાયા છે, ત્યારે ઉત્તર પ્રદેશ રાજ્યપાલ આનંદી બેન પેટલના પુત્રી અનાર પટેલને ચૂંટણી લડાવવા માટે
લોબીંગ શરુ ગઇ છે, વર્ષ 2017ની વાત કરીએ તો અત્યારના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, એએમસીના વોટર સપ્લાઇ કમિટીના ચેરમેન જતિન પટેલ સહિતના નેતાઓએ આનંદી બેન પટેલને રજુઆત કરી હતી કે અનાર પટેલને
ઘાટલોડિયા બેઠક પરથી ચૂટણી લડાવવામાં આવે,, જો કે પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલે આ બધાની આશ્ચર્યની વચ્ચે ભુપેન્દ્ર પટેલને ચૂંટણી લડવા માટે તૈયારી કરવા કહ્યુ હતું, અને પુત્રી અનારને સમાજ સેવા કરવા લાગી જવા કહ્યુ હતું
જોકે આ વખતે સ્થિતિ અલગ છે, આ વખતે અનારપટેલ ને પુર્વ મેહસુલ પ્રધાન કૌશિક પટેલના સ્થાને ચુંટણી લડાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે, અનાર પટેલનુ નામ નારાણપુરા ઉપરાંત સાબરમતિ બેઠક ઉપર પણ ચર્ચામાં છે
પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલના નજીકના સુત્રોના જણાવ્યા અનુસાર અનાર પટેલને ચુંટણી લડવી કે ના લડવી તે આનંદી બેન નક્કી કરશે, બાકી અનાર પટેલને આનંદી બેન સિવાય ચૂંટણી લડતા કોઇ અટકાવી શકે તેમ નથી,

 

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

અનાર પટેલ ઇલેક્શન લડે તો શુ થાય !
વર્ષ 2017માં ચૂંટણી નહી લડવાનો વસવસો અનાર પટેલે તેમના નજીકના સમર્થકો પાસે વ્યક્ત કર્યો હોવાનુ સુત્રો કહી રહ્યા છે,,જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને કમાન સોપાઇ ત્યારે તેમના સમર્થકો કહી રહ્યા છે કે જો 2017માં
અનાર બેન પટેલને ઘાટલોડિયા બેઠક ઉપરથી આનંદી બેન પટેલે ચૂટણી લડવા દીધી હોત તો તેઓ ગુજરાતના અનાર પટેલ ગુજરાતના સીએમ હોત ! ઉલ્લેખનિય છે કે વર્ષ 2014માં આનંદી બેન પટેલ સીએમ બન્યા પછી અનાર પટેલે
અમદાવાદ જિલ્લા ભાજપમાં ડીસેમ્બર 2014માં ભાજપમાં જોડાયા હતા, 2022માં અનાર બેન પટેલ ઇલેક્શન લડે, તો તેઓઓ પણ સીએમ પદના દાવેદાર હોઇ શકે છે, ત્યારે અનાર પટેલ સીએમ બને કે કેમ તેને લઇન આખરી
નિર્ણય પીએમ નરેન્દ્રમોદી કરી શકે છે !

Advertisement

અનાર પટેલના ઇલેક્શન લડવાથી કોને થશે નુકશાન !
અમદાવાદના પુર્વ મેયર ગૌતમ શાહ, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે,,અમિત શાહને ભાજપમાં જોડવાનો શ્રેય ગૌતમ શાહને જાય છે,
સ્વાભાવિક છે કે શિષ્ય ગુરુને દક્ષિણામાં મોટી ભેટ આપી શકે છે, ગૌતમ શાહ નારાણપુરા વિધાનસભા બેઠક માટે મજબુત દાવેદાર મનાય છે,
દિવાળી દરમિયાન નારાણપુરા વિધાનસભા મત વિસ્તારમાં મોટા મોટા હોર્ડીગ્સ અને પોસ્ટર્સ મુકાયા હતા, આ ઉપરાંત ડેપ્યુટી મેયર ગીતા બેન પટેલનુ નામ પણ નારાણપુરા બેઠક માટે ચર્ચામાં છે
તેઓ પણ સિનિયર કોર્પોરેટર છે, તેઓ પણ અમિત શાહના વિશ્વાસુ છે, પાટીદારોની વાત કરીએ તો સિનિયર કોર્પોરેટર જયેશ પટેલ પણ વેઇટીંગ ફોર એમએલએ ટીકીટ છે,
ઇન્ડિયન ઇન્સ્ટીય્યુટ ઓફ ટીચર્સ યુનિ, કુલપતિ હર્ષદ પટેલ વેઇટીંગ ફોર એમએલએ ટીકીટ છે, તેઓ ગુજરાત ભાજપ મિડીયા સેલના કન્વીનર પણ રહી ચુક્યા છે,,અમિત શાહના કોર ગ્રુપના સભ્ય માનવામાં આવે છે
શહેર ભાજપના મહામંત્રી જીતુ ભગત પણ આ બેઠક માટે દાવેદાર મનાય છે, ભગત પણ અમિત શાહના ખાસ મનાય છે,
ત્યારે અનાર પટેલ રાજકીય એન્ટ્રી અમિત શાહના વફાદારોને આંચકો આપી શકે છે,

 

 

આનંદી બેન પટેલ રાષ્ટ્રપતિ બને તો શુ થાય !

આનંદી બેન પટેલ, પીએમ નરેન્દ્રમોદીના એકદમ અંગત વિશ્વાસુ મનાય છે,, પરિણામે તેમને ગુજરાતમાં સીએમ પદેથી હટાવ્યા બાદ તેમને પહેલા મધ્ય પ્રદેશ અને પછી ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં રાજ્યપાલ તરીકે જવાબદારી સોપાઇ
ત્યારે હવે આગામી સમયમાં દેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ટર્મ જુલાઇ માસમાં પુર્ણ થાય છે ત્યારે તેમના અનુગામી તરીકે આનંદી બેન પટેલને તક મળે તેવી સંભાવના છે,જો ભાજપનુ કેન્દ્રિય નેતૃત્વ નક્કી કરે તો
દેશને પહેલી ગુજરાતી પાટીદાર શિક્ષિકા મહિલા રાષ્ટ્રપતિ દેશને મળી શકે છે, તેવામાં ઇતિહાસમાં સયોગ ઉભો થઇ શકે છે રાષ્ટ્રપતિ ગુજરાતી, પીએમ ગુજરાતી, ગૃહ મંત્રી ગુજરાતી હશે, આ તમામ બાબતો આરએસએસ ઉપર નિર્ભર છે
સંધના વડા મોહનભાગવત ઇચ્છે તો ગુજરાતી મહિલા દેશના રાષ્ટ્રપતિ બની શકે છે.ત્યારે સંધના જ કેટલાક વરિષ્ઠ નેતાઓના કેહવા મુજબ એલ કે આડવાણી, વૈકયા નાયડુ, નિતિન ગડકરી, રાજનાથ સિહ,કેરળના રાજ્યપાલ આરિફ મોહમદ ખાન
સહિતના નેતાઓને તક આપવી જોઇએ, કારણ કે દક્ષિણ ભારતનો જનાધાર વધારવામાં વૈકેયા નાયડુનો પણ રોલ રહ્યો છે, ત્યારે તેમની પણ ઇચ્છા ઉપ રાષ્ટ્રપતિથી પ્રમોશન થઇ ને રાષ્ટ્રપતિ બનાવાની છે,,તેમ સુત્રો કહે છે
ત્યારે બીજી તરફ એલ કે આડવાણીના નજીકના સુત્રો કહે છે કે નરેન્દ્રમોદીના પ્રગતિને તેમનો મોટો હાથ છે, વડા પ્રધાન ન બની શકવાનો વસવસો તો તેમને આજે પણ છે, સાથે હવે તેમને રાષ્ટ્રપતિ બનાવાય તેવી આંતરિક ઇંચ્છાં છે ,,તેવુ મનાય છે.

Advertisement

 

ભુપેન્દ્ર યાદવ ફરી એક વાર પ્રભારીમંત્રી તરીકે આવી શકે છે ગુજરાત !

Continue Reading
Advertisement
9 Comments

9 Comments

  1. Pingback: એસટીમાં ડીઝલ ઉચા ભાવે ખરીદીમાં કોણ છે વચેટીયો !-આપ – Panchat TV

  2. Pingback: ગુજરાતના હેરીટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે 451 કરોડના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર 

  3. Pingback: દેશના આ રાજ્યે બનાવ્યો પ્રથમ ઝુલતો બ્રિજ ! – Panchat TV

  4. Santosh Patwa

    March 27, 2022 at 10:22 pm

    Nice information

  5. Pingback: કોગ્રેસના દિગ્ગજ નેતાનું રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ ! – Panchat TV

  6. Pingback: *કોંગ્રેસના દિગ્ગજ નેતાની રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ !* – Panchat TV

  7. Pingback: કયા નેતાને પત્ની પડી ભારે ! – Panchat TV

  8. Pingback: ગુજરાતમાં ચૂંટણી આવે છે ! – Panchat TV

  9. રાકેશ પંજાબી

    April 1, 2022 at 1:49 pm

    અનાર પટેલ કોઈ પણ સંજોગોમાં રાજકારણ માં સફળતા પ્રાપ્ત કરી શકે તેમ નથી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કોઈ પણ પ્રકારની રાજકીય વિચારધારા માં ફેરફાર કરશે જ નહીં આનંદીબેન પટેલ હવે કોઈ વધારા નું પદ નહીં મેળવી શક્શે ગુજરાત મોડેલ ઉપર મોદીએ દેશમાં વિકાસની યાત્રા શરૂ કરી છે ત્યાં તો સંગઠન ઉપર પક્કડ ધરાવતા નેતા જ મુખ્યમંત્રી બનશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.