ઇન્ડિયા

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ગુજરાતમાં સંગઠનને કરી રહ્યુ છે મજબૂત, 3 નવા સચિવોની નિમણૂક

Published

on

ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં 5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ શુક્રવારે ગુજરાતમાં 3 સચિવોની નિમણૂંક કરી અને વર્તમાન નેતાઓને હટાવ્યા છે.

 

 

ઉમંગ સિંધાર, વિરેન્દ્રસિંહ રાઠોડ અને બી.એમ. સંદીપને રાજ્યના પ્રભારી રઘુ શર્માને મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રામકિશન ઓઝાને પણ રાજ્યમાં પાર્ટીના કામ માટે તૈયાર કરવામાં આવ્યા છે.

 

Advertisement

રાજ્યના સંગઠનને મજબૂત કરવાની તૈયારી

કોંગ્રેસ 1989થી ગુજરાતમાં સત્તાની બહાર છે અને છેલ્લી ચૂંટણીમાં નજીક આવી હોવા છતા સત્તારૂઢ ભાજપને જડમૂળથી ઉખેડી શક્યું ન હતું. ગંભીર પડકાર રજૂ કરવા માટે પાર્ટી રાજ્ય સંગઠનને મજબૂત કરવાની તૈયારી કરી રહી છે.

વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં તાજેતરની બેઠકમાં રાજ્યના નેતાઓએ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના વિકલ્પનો ઉલ્લેખ કર્યો હતો. જેમને વ્યૂહરચના માટે લાવવામાં આવ્યા હતા.

 

ભાજપે પણ શરૂ કરી તૈયારી

Advertisement

બીજી તરફ ભાજપે ગુજરાત ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 5 રાજ્યોની ચૂંટણીમાં જીત બાદ રાજ્યની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં રાજ્યમાં પાર્ટીના તમામ સાંસદોને મળ્યા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version